Monday, 15 January 2018

આજરોજ હું એક 100 પ્રશ્નનો આપ સમક્ષ મૂકી રહ્યો છું.. જે આપને આગામી પરીક્ષા મા ઉપયોગી થાય એ આશા સાથે....*2

*1) ઘર્ઘર, ગોધા અને પિંગા વાદ્યોનો પ્રકાર જણાવો.*

અ) રણવાદ્યો બ) ધનવાદ્યો
ક) સુષીર વાદ્યો ડ) તંતુ વાદ્યો

*2) નીચે આપેલા વાદ્યો પૈકી, કયા વાદ્યનો સમાવેશ સુષીર – વાદ્ય અંતર્ગત થાય છે?*

અ) સુરંદો બ) શંખ
ક) ભેરી ડ) જયઘંટા

*3) નીચે દર્શાવેલ વાદ્યોને તેના પ્રકાર અંતર્ગત જોડો.*

ક) એકતંત્રી વીણા, પિનાકી, ચિત્રા, આલપીની — આનદ્ધ વાદ્ય
ખ) મૃદંગ, દુંદુભી, ભેરી, ડમરુ, તુમ્બડી — તંતુ વાદ્ય
ગ) જયઘંટા, કસ્ત્રા, શુક્તિ, પટ્ટ, ક્સુદ્ર — ધન વાદ્ય
ઘ) વેણુ, મુરલી, મધુકરી, તંડુકિની, ચુકડા, તુરી — સુષિર વાદ્ય

અ) ક – 1, ખ – 2 , ગ – 3 , ઘ- 4 બ) ક – 2, ખ – 1 , ગ – 3 , ઘ- 4
ક) ક – 1, ખ – 4 , ગ – 3 , ઘ- 2 ડ) ક – 1, ખ – 3 , ગ – 4 , ઘ- 2

*4) વ્રજભાષાનો ખૂબજ જાણીતો ગ્રંથ કયો છે?*

અ) પ્રવીણસાગર બ) મૃચ્છ-કટીકમ
ક) કાદંબરી ડ) વિકર્મોવર્ષિયમ

*5) ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતું પુસ્તક ‘ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાહો’ ના લેખન નામ શું છે?*

અ) હરજીવન દાફડા બ) કુન્દનિકા કાપડિયા
ક) દોલત ભટ્ટ ડ) હરકાન્ત શુક્લ

*6) ગુજરાતના ‘જત’ જ્ઞાતિના કલાકારો કયું વાદ્ય સુપેરે વગાડી જાણે છે?*

અ) સુરંદો, જોડિયો પાવો બ) ઢોલક
ક) મોરલી ડ) કરતાલ

*7) ગુજરાતમાં પ્રચલિત લોકવાદ્યો, તેની બનાવવાની રીત, વગાડવા માટેના નિયમોની જાણકારી આપતું પુસ્તક ” ગુજરાતના લોકવાદ્યો” ના રચનાકારનું નામ શોધો.*

અ) શ્રી મોરારી બાપુ બ) શ્રી ઈન્દ્રશંકર રાવળ
ક) શ્રી મકરંદ મેહતા ડ) શ્રી હરકિશન મહેતા

*8) સૌરાષ્ટ્ર વિસ્તારના “ચારણ ” જ્ઞાતિનું લોકવાદ્ય નીચેના પૈકી કયું છે?*

અ) રાવણહથ્થો બ) જંતર
ક) ભેરી ડ) મૃદંગ

*9) અહીં આપેલ વાદ્ય અને તેની બનાવવાની રીત એકબીજા સાથે જોડો.*

ક) સુષિર વાદ્ય – 1) ચામડું મઢી બનાવવામાં આવતું વાદ્ય જેમ કે તબલા, ઢોલક, ખંજરી
ખ) તંતુ વાદ્ય – 2) ફૂંક મારીને વગાડવામાં આવતું વાદ્ય જેમ કે શંખ, પાવો
ગ) અવનદ્ધ વાદ્ય – 3) તાર દ્વારા સુર રેલાવતું વાદ્ય જેમકે વીણા
ઘ) ઘન વાદ્ય – 4) અથડાવીને વગાડાતું વાદ્ય જેમકે ઝાલર

અ) ક – 2 , ખ – 1 , ગ – 4 , ઘ – 3 બ) ક – 1 , ખ – 2 , ગ – 4 , ઘ – 3
ક) ક – 2 , ખ – 3 , ગ – 1 , ઘ – 4 ડ) ક – 1 , ખ – 3 , ગ – 2 , ઘ – 4

*10) ‘ડાહ્યાભાઈ ભાટ’ અને ‘ગણેશ ભરથરી’ જેવા કલાકારોનું નામ કયા વાદ્ય સાથે જોડાયેલું છે?*

અ) તબલા બ) જોડિયો પાવો
ક) રાવણ હથ્થો ડ) મંજીરા

*11) ‘બૂંગિયો’ , ‘ટીંટોડી’ અને ‘મટકી’ જેવા શબ્દોની વ્યુત્પતિ સાથે કયું વાજીંત્ર જોડાયેલું છે?*

અ) ઢોલ વાગવાના પ્રકાર બ) કરતાલની ગોઠવણી સાથે
ક) તબલાના ઢાળ ડ) જલતરંગના દ્વારા ઉતપન્ન સંગીત

*12) ગુજરાતમાં ‘સુલેમાન જુમા’ નામ કયા વાદ્ય સાથે લેવામાં આવે છે?*

અ) સુરંદો બ) ડફ
ક) નોબત ડ) શરણાઈ

*13) પ્રાચીન ભારતમાં ‘નગારું’ અન્ય કયા નામ સાથે પ્રચલિત હતું?*

અ) નોબત બ) દુંદુભિ
ક) શિરસ્ત્રાણ ડ) નિર્ગુન્ડી

*14) ‘ડફ’ એટલેકે ‘ડફલી’ સંસ્કૃતમાં અન્ય કયા નામે ઓળખાય છે?*

અ) ઝલ્લરી બ) તંડુકીની
ક) તુમ્બકી ડ) તુમ્બડીયા

*15) ‘ખંજરી’ કયા નામે ઓળખાતી હતી ?*

અ) પિનાકી બ) મધુકરી
ક) તુરી ડ) કંજીરા

16) નીચેના પૈકી કયા વાદ્યનો ઉપયોગ ભવાઈના વેષમાં પ્રચુર માત્રામાં કરવામાં આવે છે?

અ) ભૂંગળ બ) ખંજરી
ક) પટ્ટ ડ) આલાપિની

17) યુદ્ધના સમયે વગાડવામાં આવતા વાજીંત્રોમાંથી ઓળખી બતાવો.

અ) તંડુકીની , તૂરી બ) શંખ , ભેરી
ક) ચિત્રા , વેણુ ડ) ચુકડા , તુંબડી

18) વિજય સરઘસમાં વગાડાતું વાદ્ય ગોતી બતાવો.

અ) ઝાલર , જયઘંટા, કસ્ત્રા બ) પિનાકી, નાળ, પખવાજ
ક) ભુંગળ, નિશાન -ડંકો , જયઢક્ક ડ) ડુગ્ગી, ડંકો, ડમરુ

19) ગુજરાતમાં ‘મંજીરાના માણીગર’ તરીકે કયું નામ જાણીતું છે?

અ) સાધુ વીરદાસજી બ) હાજી રમકડુ
ક) બીરજુ બારોટ ડ) જીગ્નેશ કવિરાજ

20) શંખ અને મહાભારતના પાત્રોને એકબીજા સાથે જોડો.

ક) અર્જુન 1) અનંત વિજય
ખ) કૃષ્ણ 2) સુઘોષ
ગ) યુધિષ્ઠિર 3) મણિપુષ્પ
ઘ) નકુળ 4) દેવદત્ત
ચ) સહદેવ 5) પંચજન્ય

અ) ક-4, ખ – 5, ગ- 1, ઘ-2, ચ-3 બ) ક-5, ખ – 3, ગ- 1, ઘ-2, ચ-4
ક) ક-3, ખ – 5, ગ- 2, ઘ-1, ચ-4 ડ) ક-5, ખ – 3, ગ- 4, ઘ-1, ચ-2

21) અકબરના સમયમાં સેના સાથે રાખવામાં આવતા વાજીંત્રો; જેવા કે ‘કરણા’ , ‘નફીર’ , ‘ઝાંઝ’ , ‘દમ્મામાં’ વગેરેની માહિતી આપતું પુસ્તક કયું છે?

અ) આઈને અકબરી બ) અકબરે દરબારી
ક) દિને ઇલાહી ડ) તુઝુકે બાબરી

22) ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલું વાદ્ય પીછાણો.

અ) તાડપુ બ) નરઘું
ક) બિજોરું ડ) કરતાળીયું

23) ચતુર્મુખ મૃદંગનું શિલ્પ કયાં આવેલું છે?

અ) પાટણ; રાણકી-વાવના સ્થાપત્યોમાં બ) ધૂમલીમાંથી મળી આવેલા પ્રાચીન અવષેશોમાં
ક) સોમનાથ મંદિરના સ્થાપત્યોમાં ડ) મોઢેરાના સૂર્યમંદિરના સ્થાપત્યોમાં

24) કઈ જાતક કથામાં ગુજરાતના ‘મદારીના ખેલ’ નું વર્ણન જોવા મળે છે?

અ) ભૂરિદત્ત જાતકકથા બ) વિચરતા સમુદાયોની જાતકકથા
ક) નૃપ કથાઓ ડ) સૃપ દંતકથાઓ

25) વિકલ્પોમાં દર્શાવેલી વિભિન્ન બાબતોમાંથી કઈ બાબતનો સમાવેશ ‘મદારીના ખેલ’ અંતર્ગત થતો નથી?

અ) પ્રાદેશિક સ્પર્શવાળી શબ્દોની રમત
બ) હાથની ચાલાકી
ક) શરીર સૌષ્ટવનો ખેલ
ડ) હાકલા , પડકારા અને તળપદા શબ્દોની રમૂજ

26) સમુદ્રમાં પણ તરી શકે તેવી વિશિષ્ઠ પ્રજાતિના ઊંટ, કે જે માત્ર ગુજરાતમાં ; કચ્છ પ્રદેશના બન્ની વિસ્તારમાં વિચરતા જોવા મળે છે તેને દર્શાવો.

અ) ખરાઈ ઊંટ બ) બેકટેરિયન પ્રજાતિના ઊંટ
ક) હાઈબ્રીડ ઊંટ ડ) લામા પ્રજાતિના ઊંટ

27) કચ્છના કયા ટાપુ પરથી,ધોળાવીરા નગરને ઉત્તખાણિત કરવામાં આવ્યું હતું?

અ) બેલા ટાપુ બ) ખાવડા ટાપુ
ક) ખડીર બેટ ડ) ધોરડો ટાપુ

28) અહીં દર્શાવેલા વિકલ્પમાંથી ક્યા વિકલ્પનો સમાવેશ,ધોળાવીરામાંથી મળેલા લખાણ-પાટિયામાં થતો નથી?

અ) આરાવાળું વર્તુળ બ) સમબાજુ ચતુષ્કોણ
ક) ગુણાકારનું ચિહ્ન ડ) ભાગાકારનું ચિહ્ન

29) શિલ્પીઓ માટે કામ કરતી કઈ સંસ્થા કચ્છમાં આવેલી છે?

અ) કચ્છ વિકાસ ટ્રસ્ટ બ) ખમીર
ક) હુડકો ડ) પાંજી – ધી

30) સંત શિરોમણી ‘ડાડા મેકરણ ‘ નો ઉત્સવ , કચ્છમાં કઈ જગ્યાએ ઉજવવામાં આવે છે?

અ) ઘ્રન્ગ બ) લખપત
ક) મોડસર ડ) રુદ્રાણી

31) મધુસુદન ઢાંકી રચિત પુસ્તક કયું? તાજેતરમાં જેનું વિમોચન એલ.ડી. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજી ખાતે કરવામાં આવ્યું?

અ) મારુ-ગુર્જર ટેમ્પલ આર્કિટેક્ચર
બ) પ્રસાદા ઓફ કૉસ્મૉસ
ક) ફૂટ- પ્રિન્ટ્સ ઓફ વિશ્વ-કર્મા
ડ) પ્રનાલા ઈન ઈન્ડિયા

32) વિભિન્ન રાગ અને તેને ગાવા માટેના ઉચિત સમય સાથે સરખાવો.

ક) ભૈરવ ( ખયાલ ગાયકીને બાદ કરતાં ) 1) મધ્ય રાત્રી
ખ) બાગેશ્રી 2) સવાર
ગ) યમન 3) બપોર પછી
ઘ) ભીમપલાસી 4) કોઈપણ સમયે
ચ) પીલુ 5) સાંજ

અ) ક – 2 , ખ – 1, ગ – 5, ઘ – 3, ચ – 4 બ) ક – 1 , ખ – 2, ગ – 5, ઘ – 3, ચ – 4
ક) ક – 3 , ખ – 1, ગ – 2, ઘ – 5, ચ – 4 ડ) ક – 3 , ખ – 5, ગ – 4, ઘ – 2, ચ – 1
ઈ) ક – 2 , ખ – 3, ગ – 1, ઘ – 5, ચ – 4

33) ગુજરાતમાં ગવાતા જુદા-જુદા રાગોને ઋતુ આધારિત જોડો.

લ) હિંડોલ 1) વસંત
વ) માલકૌંસ 2) શિશીર
સ) ભૈરવ 3) શરદ
શ) શ્રી 4) હેમંત

અ) લ – 2 
, વ – 4 , સ – 3 , શ – 1 બ) લ – 2 , વ – 1 , સ – 4 , શ – 3
ક) લ – 3 , વ – 1 , સ – 4 , શ – 2 ડ) લ – 1, વ – 3 , સ – 2 , શ -4

34) ગુજરાતમાં પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રી કૃષ્ણના ગુણકીર્તન સ્વરૂપે ભજવાતી ‘ ઢાઢીલીલા’ ની ઉત્તપત્તિ કયા પ્રદેશમાં થઇ હતી?

ક) વ્રજભૂમિ ખ) દ્વારીકા નગરી
ગ) વટપદ્ર ભૂમિ ઘ) સારસ્વત પ્રદેશ

35) ‘લોટી ઉત્સવ’ કયા સંપ્રદાય સાથે જોડાયેલ છે?

ચ) સિંધી સંપ્રદાય છ) વૈષ્ણવ સંપ્રદાય
જ) બહાઈ સંપ્રદાય ઝ) ખોજા સંપ્રદાય

36) કયા સૂફીનો સમાવેશ ગુજરાત અંતર્ગત થતો નથી?

ટ) મખદૂમ -એ – જહાંનીયાં ઠ) મોઈનુદીન ચિસ્તી
s) બુરહાનુદ્દીન -કુત્તુબ- એ – આલમ ઢ) સૈયદ – મોહમ્મદ -શાહ -આલમ

37) ભવાઈ સાથે કઈ બાબત સંકળાયેલ નથી?

ણ) અસાઈત ઠાકર રચિત ગ્રંથ ‘હંસાઉંલી’માં ભવાઈ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે
ત) ભવાઈ ; સંગીત, નૃત્ય, સંવાદ, રસ તેમજ લોકકથાના મિશ્રણ દ્વારા સંદેશ આપે છે
થ) હિન્દુ સ્ત્રી અને મુસ્લિમ પુરુષના પ્રેમની વાર્તા; ‘જૂઠણ’ના વેશમાં ભજવવામાં આવેલ છે
દ) અસાઈત ના પુત્ર માંડણ નાયક દ્વારા ભજવાયેલ ‘ઝંડા ઝૂલણ નો વેશ’ ; દોહા, ગઝલ, કુંડળીયા, સવૈયા, ઝૂલણા સાથેની સંગીતબદ્ધ અને લોકઢાળ યુક્ત રચના છે

38) ઉત્તરપ્રદેશનું કયું નૃત્ય ગુજરાતના નૃત્ય ‘ફૂલોના ગરબા’ સાથે સામ્યતા ધરાવે છે?

ધ) સ્વાંગ ન) રામલીલા
પ) ચરકુલા ફ) ખ્યાલ

39) ભારતના વિભિન્ન રાજ્ય – નૃત્ય જોડકામાં યોગ્ય રીતે જોડો.

બ) રાઈ 1) ગુજરાત
ભ) ધમાલ 2) બુંદેલખંડ
મ) નૂપા પાલા 3) મણિપુર
ય) છાઉ નૃત્ય 4) સિક્કિમ
ર) ભૂતિયા નૃત્ય 5) ઓરિસ્સા

અ) બ – 2, ભ – 1, મ – 3, ય – 5, ર – 4 આ) બ – 4, ભ – 3, મ – 1, ય – 4, ર – 2
ઇ) બ – 5, ભ – 1, મ – 3, ય – 2, ર – 4 ઈ) બ – 3, ભ – 1, મ – 4, ય – 2, ર – 5

40) નીચેના પૈકી કયો રાગ ઠુમરી સાથે સુસંગત નથી?

લ) કાફી વ) સિંદૂરા
શ) ધાની સ) માલકૌંસ

*41) ગાનશૈલીને પ્રદેશ સાથે સંકળાવો.*

ષ) નાટી 1) રાજસ્થાન
હ) માંડ 2) હિમાચલ
ળ)ધમાઈલ 3) બંગાળ
ક્ષ) હીર 4) પંજાબ
જ્ઞ) કાફી 5) કચ્છ

અ) ષ -2, હ – 5, ળ – 1, ક્ષ – 3, જ્ઞ – 4 બ) ષ -2, હ – 1, ળ – 3, ક્ષ – 4, જ્ઞ – 5
ક) ષ -2, હ – 1, ળ – 5, ક્ષ – 4, જ્ઞ – 3 ડ) ષ -1, હ – 4, ળ – 5, ક્ષ – 3, જ્ઞ – 2

*42) નીચેનામાંથી કઈ બાબત લોકનૃત્યો સાથે સુ-સંગત નથી?*

ચ) લોકનૃત્ય નિયમ , કાયદા અને સિદ્ધાંતોથી બદ્ધ ; રાજ્યાશ્રિત હોય છે
છ) લોકનૃત્ય મોટેભાગે સામુહિક રીતે થાય છે પરંતુ તેમાં વ્યક્તિગત નૃત્ય માટેનો પણ અવકાશ હોય છે
જ) લોકનૃત્ય ઉત્સવ સાથે વણાયેલ ; સરળ પરંતુ તાલ-લય સાથે સાંસ્કૃતિક દર્શન કરાવે છે
ઝ) લોકનૃત્ય અભિનય, અંગચલન, જોમ, સ્ફૂર્તિ દ્વારા મનુષ્ય જીવનને પ્રવાહિત કરે છે

*43) નીચેના ગુજરાતી નૃત્યો પૈકી કયું નૃત્ય ધીર ગંભીર પ્રકારનું છે?*

ટ) હુડો ઠ) મેરાયો
ડ) ટિપ્પણી ઢ) ચાળો

44) નમન, મંડળ, ભેટિયા, સોળંગા અને દોઢિયાં શાનો પ્રકાર છે?

ણ) ગરબા ત) રાસ
થ) ટીંટોડો દ) ટીમલી

*45) માંડવા નૃત્ય સાથે સંકળાયેલ ન હોય તેવા તથ્યને ઓળખી બતાવો.*

ધ) માંડવા નૃત્ય ‘હોળી’ અને ‘ડાંગ દરબાર’ જેવા પ્રસંગોએ રમવામાં આવે છે જે ‘કહાડિયા’ તરીકે પણ પ્રચલિત છે
ન) માંડવા નૃત્યમાં ગીતની વિવિધતા સાથે 28 થી 30 પ્રકારના પક્ષીઓની નકલ એટલેકે ‘ચાળો’ કરવામાં આવે છે
પ) માંડવા નૃત્યમાં સ્ત્રીઓ ; પુરુષોના ખભા પર ઉભા રહી ચાર માળનો માંડવો બનાવી નૃત્યરૂપે ફરે છે
ફ) માંડવા નૃત્યમાં માદળ, ઢાંક, પાવરી, શરણાઈ, ઢોલકી વગેરે લોકવાદ્યોનો ઉપયોગ થાય છે

*46) આદિવાસીના ‘ડુંગરદેવના મેળા’ સાથે કઈ બાબત ગોઠ ધરાવતી નથી?*

બ) ડુંગરદેવનો મેળો દર પાંચ વર્ષે ભરાય છે જેમાં હાટ, જંગલી પેદાશોનું વેચાણ, આદિવાસી કલાકૃતિઓનું પ્રદર્શન, નૃત્ય , ગાન અને સામુહિકતાની ભાવના પ્રદર્શિત થાય છે.
ભ) ‘પાવરી વાદ્ય’ કે જે દૂધીના ખોખા, મોરના પીંછા અને પ્રાણીઓના શીંગડામાંથી બને છે તેનો વ્યાપક ઉપયોગ નાચ-ગાન વખતે કરવામાં આવે છે
મ) ડાંગ દરબાર આ દિવસે ડુંગર પર ભરાય છે
ય) ડુંગર પાર રહેતી, નભતી અને વિચારતી પ્રજા આ દિવસે તેની પૂજા – અર્ચના કરી પ્રકૃતિ સાથેના પોતાના તાદાત્મયને સાર્થક કરે છે

*47) અરવલ્લીના પહાડી પ્રદેશમાં ઉજવાતા ‘ ગવરી ઉત્સવ ‘ સાથે કઈ બાબત જોડાયેલી નથી?*

ર) ગૌરી ઉત્સવ વિભિન્ન જાતિઓ વચ્ચે ભાવનાત્મક, સામાજિક અને સાંસ્કૃતિક એકતા સ્થાપિત કરતો લોકઉત્સવ છે
લ) પ્રકૃતિ સાથે જોડાયેલા સમાજની ધબકતી સંસ્કૃતિ તેમજ જનમાનસના વિસ્તૃત સામાજિકીકરણના દર્શન કરાવે છે
વ) ગીત-સંગીત-સમૂહનૃત્ય – કથા- નાટકનું સંમિશ્રિત સ્વરૂપ છે
શ) વર્ષઋતુમાં શ્રાવણી પૂનમ થી કાર્તિક આઠમ સુધી ચાલતો ઉત્સવ છે

*48) હઠીસિંહ અને તેમના પત્ની હરકુંવર દ્વારા નિર્માણ કરાવેલ જૈન દેરાસરનું વર્ણન એચ.જી. બ્રિગ્સના કયા પુસ્તકમાં વૈવિધ્યપૂર્ણ રીતે વાંચવા મળે છે?*

ષ) ધ સિટિસ ઓફ ગુર્જરાષ્ટ્ર
સ) ગૌરવ ભૂમિ ગુજરાત
હ) ગુજરાતનો સમૃદ્ધ વાડ્મય વારસો
ળ) મરમી શબદનો મેળો

*49) પુસ્તક ‘પોળોનો ઈતિહાસ’ ના લેખકનું નામ જણાવો.*

હ) ચંદ્રવદન ચી.મહેતા
ળ) નંદશંકર મહેતા
ક્ષ) મકરંદ મહેતા
જ્ઞ) ચંદ્રકાન્ત મહેતા

*50) પુસ્તક ‘ અમદાવાદ નો ઇતિહાસ ‘ ના લેખકનું નામ જણાવો.*

ક) પ્રાણલાલ એદલજી ડોસા
ખ) મગનલાલ વખતચંદ
ગ) ઈસ્ટર ડેવિડ
ઘ) અચ્યુત યાજ્ઞિક
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
07/01/2018, 10:33 PM - ‪+91 90994 09723‬: Yuvirajsinh Jadeja:
(પ્રશ્નપત્ર 2)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*મિત્રો દિવસે દિવસે સ્પર્ધાત્મક પરીક્ષા ના પ્રશ્નો પૂછવાનું સ્તર ઊંચુ જઈ રહ્યું છે....*
*આ હરિફાઈમાં ટકી રહેવા માટે મારા ગુરુજી 🇮👑🙏અશોકસિંહ પરમાર સર🙏🇮🇳👑 ના શબ્દ મા કહું તો વાંચન મા 🦁સિંહાવલોકન અને વિહંગાવલોકન ની ખાસ જરૂર છે... હેવ ગોખણ પટ્ટી કે વન લાઈનર પ્રશ્નનો પૂછવાનો ટ્રેન્ડ ઓછો થઈ રહ્યો છે...*
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
*આજરોજ હું એક 100 પ્રશ્નનો આપ સમક્ષ મૂકી રહ્યો છું.. જે આપને આગામી પરીક્ષા મા ઉપયોગી થાય એ આશા સાથે....*
*(આ પ્રશ્નો ના જવાબ આવતીકાલે હું આપીશ)*
*હવે આ રીતે ના પ્રશ્નો પરીક્ષા મા આવી શકે છે.....*
*મિત્રો મારી એક ઓપન ચેલેન્જ પણ છે કે જો તમે કોઈ પ્રાઇવેટ ક્લાસીસમાં જતા હોય તો એમની પાસે આ પ્રશ્નોનું નિરાકરણ પુછ જો. જો એ આપને 40 પ્રશ્નો ના પણ સાચા જવાબ આપી શકે તો સમજવું કે આપ યોગ્ય કલાસીસ માં કલાસીસ કરો છો*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
*51) હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમો દીવો ‘ લૅમ્પ ઓફ યુનિટી’ અમદાવાદમાં છેલ્લા ત્રણસો વર્ષથી પ્રજ્વલિત છે; તે ક્યાં આવેલો છે?*

ચ) સરખેજ રોઝા
છ) વસંત-રજ્જબ કબર
જ) ત્રણ દરવાજા
ઝ) માણેક ચોક

*52) અમદાવાદની મોટાભાગની પોળો કઈ સદીમાં બાંધવામાં આવી હતી?*

ણ) ચોથી- પાંચમી સદી
ત) ચોથી- પાંચમી સદી (ઈસુ પૂર્વે)
થ) સત્તરમી – અઢારમી સદી
દ) નવમી સદી

*53) અમદાવાદમાં ‘ભારત – હોલેન્ડ’ સ્થાપત્યનો નમૂનો ક્યાં જોવા મળે છે?*

ધ) ડચ કબ્રસ્તાન
ન) નગીનાવાડી
પ) સરખેજ રોઝા
ફ) સિદ્દી બશીરની મસ્જિદ

*54) ‘ચબુતરો’ , ‘ચોક’ અને ‘ ચાખણું’ ક્યાંના પ્રખ્યાત છે?*

બ) વડોદરા ભ) સુરત
મ) અમદાવાદ ય) બાલાસિનોર

*55) નીચે જણાવેલ બાબતો પૈકી કઈ બાબત યુનેસ્કો (UNESCO)ને લાગુ પડતી નથી?*

ર) મનુષ્યોમાં શિક્ષણ દ્વારા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવાનું તેમજ વૈશ્વિક સંસ્કૃતિને સામુહિક ચેતનાના માનદંડ તરીકે જાળવી રાખવાનું કાર્ય કરે છે
લ) તેનું મુખ્ય મથક પોલેન્ડના ‘કર્કવો’ શહેરમાં છે
ષ)’ સ્ત્રી – પુરુષના મનમાં શાંતિનું નિર્માણ કરવું’ યુનેસ્કોની કેચ-લાઈન છે
સ) નેપાળનું ‘ભક્તપુર’ અને શ્રીલંકાનું ‘ગાલે’ શહેર વિશ્વ ધરોહર શહેરમાં સમાવિષ્ઠ કરવામાં આવેલ છે

*56) અમદાવાદ શહેરને ‘વિશ્વ ધરોહર શહેર’ તરીકે જાહેર કરતી વખતે કઈ કઈ બાબતોને યુનેસ્કો દ્વારા ધ્યાનમાં લેવામાં આવી નથી?*

હ ) અમદાવાદમાં આવેલ સાયન્સ સીટી, હિમાલયા મોલ અને રીવર ફ્રન્ટ
ળ) અમદાવાદની લગભગ 600 જેટલી પોળોમાં આવેલ લાકડાની કોતરણીવાળા મકાનો, લાકડાની હવેલીઓ, ચબુતરા, વરસાદી પાણી સંગ્રહણપદ્ધતિ, કુદરતી પ્રકાશ માટેના જાળીયા અને ઝરુખા
ક્ષ) હિન્દુ – કાષ્ટ કોતરણી , ઈન્ડો- ઇસ્લામિક સ્થાપત્ય , જૈન દહેરાસર
જ્ઞ) અમદાવાદના સામાન્યજન કે જે અંહિંસક આંદોલનનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે, ચબુતરા, ચાટ અને પાંજરાપોળના નિર્માણ દર્શાવે છે કે અહીંના લોકો સહઅસ્તિત્વમાં મને છે

*57) ગુજરાત સરકારના ‘ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત’ અંતર્ગત ચાલતા પ્રોજેક્ટ ‘હેરિટેજ વૉક’માં નીચેના પૈકી કયા સ્થળને સમાવાયેલ નથી?*

ક) લખપત ખ) વડોદરા
ગ) જૂનાગઢ ઘ) શંખલપુર

*58) અમદાવાદમાં બનતી કઈ સાડી વિશ્વવિખ્યાત છે?*

ચ) પટોળા છ) આશાવલી
જ) પૈથની ઝ) કસાવુ

*59) સિકંદર શાહનો મકબરો કયાં આવેલો છે?*

ટ) હાલોલ ઠ) ગોધરા
ડ) મહેમદાવાદ ઢ) અમદાવાદ

*60) ગુજરાતના ‘કલચરલ કેપીટલ’ તરીકે કયું શહેર ઓળખાય છે?*

ણ) અમદાવાદ ત) રાજકોટ
થ) જામનગર દ) વડોદરા

*61) યુવાનો દ્વારા હેરિટેજ વૉક માટે બનાવાયેલો કોનસેપ્ટ કયો છે?*

ધ) હેરિટેજ વૉક ન) મીટ મી એટ ખાડીયા
પ) હેપ્પી સ્ટ્રીટ ફ) દાદીમાનો ઓટલો

*62) માણભટ્ટ દ્વારા વગાડવામાં આવતી ‘માણ’ અન્ય કયા નામે ઓળખાય છે? નીચે આપેલા બે વિકલ્પમાંથી ઓળખી બતાવો.*

બ) ઘટમ ભ) મૃદંગ

*63) પ્રાચીન ગુજરાતીઓ નીચે દર્શાવેલ વાજિંત્રો પૈકી કયા વાજીંત્રથી પરિચીત ન હતા?*

મ) પખવાજ ય) નાલ
ર) ડુગ્ગી લ) ગિટાર

*64) અમદાવાદમાં ઝવેરીવાડમાં આવેલ પાર્શ્વનાથ દેરાસર કેજે સર્વ-ધર્મ સમભાવનું પ્રતીક છે તેને અનુલક્ષીને જોડકા જોડો.*

વ) સંસ્કૃત શિલાલેખ લખનાર 1) સઈદ અને ઈસફ સલાટ
શ) દેરાસરમાં કોતરણી કરનાર 2) વિજયરામ બ્રાહ્મણ
સ) પ્રાણ પ્રતિષ્ઠા કરનાર 3) શાંતિસાગર સૂરિ
ષ) ગુજરાતીમાં પ્રશસ્તિ લેખ લખનાર 4) પુષ્ટિમાર્ગીય ગોવર્ધનદાસ
હ) અંજનશલાકા 5) હરકંવર શેઠાણી

ળ) વ – 2 , શ – 1 , સ – 3 , ષ – 4 , હ – 5 ક્ષ) વ – 2 , શ – 4 , સ – 5 , ષ – 3 , હ – 1
જ્ઞ) વ – 1 , શ – 2 , સ – 5 , ષ – 4 , હ – 3 ત્ર) વ – 1 , શ – 2 , સ – 3 , ષ – 4 , હ – 5

*65) ગુજરાતમાં આવેલા વિવિધ મ્યુઝિયમ અને તેના આધારિત તથ્યો જોડો.*

ક) કચ્છ મ્યુઝિયમ , ભુજ 1) વિશ્વનું એકમાત્ર કાપડ મ્યુઝિયમ
ખ) એગ્રિકલચરલ મ્યુઝિયમ 2) ગુજરાતનું સૌપ્રથમ મ્યુઝિયમ
ગ) કેલિકો મ્યઝિયમ 3) આણંદ , વડોદરા
ઘ) ગાંધી સ્મારક સંગ્રહાલય 4) ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
ચ) ટ્રાયબલ મ્યુઝિયમ 5) સાબરમતી , અમદાવાદ

અ) ક – 4 , ખ – 5 , ગ – 3, ઘ – 1 , ચ – 2 બ) ક – 1 , ખ – 2 , ગ – 3, ઘ – 5 , ચ – 4
ક) ક – 2 , ખ – 3 , ગ – 1, ઘ – 5 , ચ – 4 ડ) ક – 3 , ખ – 2 , ગ – 1, ઘ – 5 , ચ – 1

66) ગુજરાતમાં આવેલા વિવિધ મ્યુઝિયમ અંતર્ગત અહીં આપેલી ત્રણ બાબતો પૈકી કઈ બાબત સાચી નથી?

ચ) ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ઇતિહાસ, સંસ્કૃતિ, ઉત્પત્તિ અને માનવજીવનને દર્શાવતું મ્યુઝિયમ આવેલ છે
છ) લોથલમાં આવેલું મ્યુઝિયમ; હડ્ડપ્પાકાલીન વ્યાપાર , મુદ્રા, મણકા, પરિવહન , નગરજીવન પર પ્રકાશ પાડે છે
જ) સરદાર સ્મૃતિ સંગ્રહાલય ભાવનગરમાં, જયારે મરાઠા સંસ્કૃતિ અને શાસન વ્યવસ્થા દર્શાવતું સંગ્રહાલય; લક્ષ્મી વિલાસ પેલેસ,વડોદરામાં આવેલ છે

67) ગુજરાતના વિવિધ મ્યુઝિયમ અને તે કયા શહેરમાં આવેલા છે તેને સંલગ્ન જોડકા જોડો.

ઝ) બાર્ટન મ્યુઝિયમ 1) અમદાવાદ
ટ) વોટસન મ્યુઝિયમ 2) રાજકોટ
ઠ) લેડી વિલ્સન મ્યુઝિયમ 3) સુરત
ડ) વીંચસ્ટર મ્યુઝિયમ 4) ભાવનગર
ઢ) શ્રેયશ મ્યુઝિયમ 5) ધરમપુર

ણ) ઝ – 1 , ટ – 2, ઠ – 3, ડ – 4, ઢ – 5 ત) ઝ – 2 , ટ – 4, ઠ – 5, ડ – 3, ઢ – 1
થ) ઝ – 4 , ટ – 2, ઠ – 5, ડ – 3, ઢ – 1 દ) ઝ – 4 , ટ – 2, ઠ – 3, ડ – 5, ઢ – 1

68) તાંબા, કાંસા , સોના, રૂપા જેવી વિધ-વિધ ધાતુના પાત્રો માટેનું મ્યુઝિયમ ‘ ધાતુપાત્ર સંગ્રહાલય ‘ તેમજ પતંગ બનાવવાની કળાને ઉજાગર કરતું ‘પતંગ મ્યુઝિયમ’ કયા શહેરમાં નિર્માણ પામ્યા છે?

a) સુરત b) અમદાવાદ
c) ગાંધીનગર d) ભુજ

69) મેડિકલ ક્ષેત્રને લગતા મ્યુઝિયમ ગુજરાતના કયા બે શહેરોમાં આવેલા છે?

ધ) વડોદરા , સુરત ન) અમદાવાદ , વડોદરા
પ) સુરત , અમદાવાદ

70) ગુજરાતમાં આવેલું બાળકો માટેનું મ્યુઝિયમ ‘ધીરજબેન બાળસંગ્રહાલય’ ક્યાં સ્થિત છે?

ફ) સાપુતારા બ) વાંસદા
ભ) આહવા મ) કપડ઼વર્ણજ

71) એ જણાવો કે અહીં આપેલા ઉદેશ્યોમાંથી કયો ઉદેશ્ય મ્યુઝિયમનો નથી?

ય) સંગ્રહાલય બાળકો માટેના શિક્ષણ, પ્રેરણા અને ઇતિહાસનું પોતીકું સ્થળ છે
ર) સંગ્રહાલય દ્વારા આવનારી પેઢીને તાલીમ, કૌશલ્ય અને વ્યવસ્થાપન પ્રદાન કરવા
લ) સંગ્રહાલય દ્વારા મનુષ્યના ઐતિહાસિક વિકાસની ઝાંખી થાય છે. તે મનુષ્યને પોતાના પૂર્વજોની વિરાસત, જીવન જીવવાની પદ્ધતિ સાથે જોડે છે
વ) સાંસ્કૃતિક વારસાની જાળવણી, ક્રમિક વિકાસ તેમજ જ્ઞાનરૂપી ઝરણાને પેઢી દર પેઢી વહાવવું

72) નીચે આપેલી બાબતો પૈકી કઈ બાબત મ્યુઝિયમના વ્યવસ્થાપન સાથે સંકળાયેલી નથી?

શ) સંશોધન અને જાળવણી
સ) મરમ્મત અને નિભાવ
ષ) લાઈટિંગ અને ગોઠવણી
હ) શૈક્ષણિક અને સાંસ્કૃતિક

73) ગુજરાતના રાજકીય ઈતિહાસને દર્શાવતું સંગ્રહાલય ક્યાં આવેલું છે?

ક્ષ) સરદાર સેવા સદન ; અમદાવાદ
જ્ઞ) ગુજરાત વિધાનસભા ભવન; ગાંધીનગર
ત્ર) સત્યાગ્રહ આશ્રમ ; અમદાવાદ
ળ) મહાત્મા મંદિર ; ગાંધીનગર

74) કૅલિકો મ્યુઝિયમની પ્રેરણા અને પ્રેરકબળ આપનાર વ્યક્તિઓ શોધો.

અ) આનંદકુમાર સ્વામી , ગૌતમ સારાભાઈ
ઈ) વિક્રમ સારાભાઈ , લીનાબેન સારાભાઈ
ઉ) મૃણાલિની સારાભાઈ, લાલભાઈ દલપતરામ

75) આદિમ જાતિઓની ઉત્પત્તિ, ક્રમિક વિકાસ, ક્રમિક વિકાસ, સાંસ્કૃતિક જીવન, રહન-સહન અને ખાન-પાનની વિધ-વિધ પદ્ધતિઓની ઝાંખી કરાવતું મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

અ) ગોધરા આ) સાપુતારા
અં) છોટા ઉદેપુર ઉ) વાંસદા

76) કઈ બાબત પતંગ મ્યુઝિયમ સાથે બંધ બેસતી નથી?

ક) વિશ્વમાં આવેલા બે પતંગ મ્યુઝિયમ પૈકીનું એક અમદાવાદ ખાતે આવેલું છે
કા) ભાનુભાઈ શાહનું ત્રીસ-ચાલીશ વર્ષ જુના પતંગોનું કલેક્શન અહીં રાખવામાં આવ્યું છે
કી) ઈસ. 1270ની સાલથી બનેલા વિવિધ પ્રકારના રંગ, કાગળ અને કટિંગવાળા પતંગોનો ઈતિહાસ અને પ્રદર્શન અહીં મુકવામાં આવેલ છે
કિ) ભારતે પતંગબાજીની કળા ચીનને શીખવેલ

77) ગુજરાતના નીચે દર્શાવેલ રાજ-ઘરાના પૈકી કયા ઘરાના પાસે આજે પણ વિવિધ પ્રકારની ક્લાસિક કાર સંગ્રહિત છે?🚗

કુ) વાંકાનેર
કૂ) જેતપુર
કે) ગોંડલ
કૈ) કોટડા સાંગાણી

78) સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ, રાજકીય ઈતિહાસ અને માનવીય મનોજગતને સ્પર્શતું મ્યુઝિયમ કયું છે?

કો) આયના મહેલ ;ભુજ
કૌ) વોટસન મ્યુઝિયમ ; રાજકોટ
કં) ખંભાળિયા દરવાજો ; જામનગર
કઃ) ભુજૉડી ; કચ્છ

79) કઈ સંસ્કૃતિનીનો સમાવેશ સાપુતારા મ્યુઝિયમમાં કરવામાં આવ્યો નથી?

ક) વારલી ખ) કોટવાળીયા
ગ) કાથોડી ઘ) બજાણીયા

80) નીચે દર્શાવેલ જાતિ પૈકી કઈ જાતિનો સમાવેશ ‘અસુરક્ષિત આદીમ જાતિ’ માં થતો નથી?

ચ) કોટવાળીયા છ) કોલઘા
જ) બાવરી ઝ) કાથોડી

81) નીચે આપેલા જીલ્લા પૈકી કયા જિલ્લામાં ‘કાથોડી’ આદીવાસીની વસ્તી આવેલી નથી?

ટ) સુરત ઠ) ડાંગ
ડ) નર્મદા ઢ) કચ્છ

82) ગુજરાતમાં અસુરક્ષિત આદિમ જાતિઓમાં કુલ કેટલી જાતિઓનો સમાવેશ થાય છે?

ત) આઠ થ) નવ
દ) દસ ધ) સાત

83) 2011ની વસ્તી ગણતરી અનુસાર, ગુજરાતમાં આદિવાસીની કુલ કેટલી વસ્તી છે?

પ) 1 કરોડ 5 લાખ ફ) 89.17 લાખ
બ) 80 લાખ 5 હજાર ભ) 50 લાખ

84) ગુજરાતના કુલ કેટલા જિલ્લામાં આદિવાસી વસ્તી આવેલી છે?

ર) 15 જિલ્લામાં લ) 14 જિલ્લામાં
વ) 10 જિલ્લામાં સ) 7 જિલ્લામાં

85) અહીં આપેલા નૃત્ય પૈકી કયું નૃત્ય ‘ તરણેતરના મેળાની શાન’ કહેવાય છે?

હ) મટકી નૃત્ય ળ) આલેણી – હાલેણી નૃત્ય
ક્ષ) હુડો નૃત્ય જ્ઞ) રાસ નૃત્ય

86) નીચે આપેલ પહેરવેશ પૈકી કોને ગુજરાતી પહેરવેશ ન ગણી શકાય?

ક) કાપડું ખ) શરારા
ગ) ઓઢણી ઘ) કેડિયું

87) ગુજરાતમાં જંગલી ગધેડા માટે કયું સ્થળ જાણીતું છે?

ચ) વૌઠા છ) જેનાબાદ
જ) ઢીમા ઝ) હુડકો

88) ગુજરાતનું રાજ્યપુષ્પ કયું છે?

ધ) ગુલાબ ન) ગલગોટો
પ) મોગરો ફ) ચંપો

89) ગુજરાતમાં વહાણવટા દ્વારા ચાલતા વ્યાપારનો ઇતિહાસ સૌપ્રથમ કયા પુસ્તકમાંથી મળી આવે છે?

બ) ધ પેરિપ્લસ ઓફ ઇરિથ્રિયન સી
ભ) ઇન્ડિયાસ નેવલ ટ્રેડિશન્સ
મ) ધ સીલ્ક રોડ
ય) મુસ્લિમ એડયુકેશન એન્ડ લર્નિંગ ઈન ગુજરાત

90) ગુજરાતમાં ‘હરણી એરપોર્ટ’ કયા શહેરમાં આવેલું છે?

ર) અમદાવાદ લ) સુરત
વ) વડોદરા સ) કેશોદ

91) અહીં આપેલા જીલ્લા પૈકી કયા જિલ્લામાં ‘ગીર નું જંગલ’ આવેલું નથી?

શ) જૂનાગઢ ષ) ગીર સોમનાથ
સ) અમરેલી અ) ભાવનગર

92) ગીરના સિંહ બચાવવા માટેનું અભિયાન કોના દ્વારા સૌપ્રથમ વખત ચલાવવામાં આવ્યું હતું?

અ) મોહમ્મદ બેગડા બ) સલીમ – અલી
ક) મહાબતખાન ડ) લોર્ડ કર્ઝન

93) અહીં આપેલા વૃક્ષમાંથી કયું વૃક્ષ ગીરના જંગલમાં જોવા મળતું નથી?

ક) ઉમરો ખ) ખાખરો
ગ) દેવધર ઘ) ધાવડો

94) નીચેનામાંથી કયું પંખી શિયાળા દરમિયાન ‘નળ સરોવર’ માં જોવા મળતું નથી?

હ) હેરૉન ળ) મુરહેન
ક્ષ) સ્પેરો જ્ઞ) પેલીકન

*95) અમદાવાદમાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ તેમજ મુંબઈમાં ‘ગુજરાતી સભા’ ના સ્થાપક ‘એલેકઝાન્ડર કિન્લોક ફાર્બ્સ’ સાથે કઈ બાબત સંલગ્ન નથી?*

અ) તેમણે પોતાની કારકિર્દી દરમિયાન ‘મહીકાંઠા’ , ‘કાઠિયાવાડ’ , ‘સુરત’ , ‘મુંબઈ’ અને ‘ખાનદેશ’ માં જુદા જુદા હોદ્દા પાર કાર્ય કર્યું હતું.
બ) તેઓ ‘ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી’ તરીકે સાહિત્ય જગતમાં જાણીતા છે
ક) તેઓ દ્વારા 1856 માં પુસ્તક “રાસમાળા: હિન્દુ એનલ્સ ઓફ ધ પ્રોવિન્સ ઓફ ગુજરાત” પ્રસિદ્ધ કરવામાં આવ્યું જેનું ગુજરાતીમાં ભાષાંતર ‘રણછોડલાલ ઉદયરામ દવે’ દ્વારા કરવામાં આવ્યું હતું
ડ) તેમણે દલપતરામ સાથે મળી નાટક ‘લક્ષ્મી’ અને ‘ફાર્બસ વિરહ’ રચ્યાં

*96) અહીં આપેલા ધાન્ય પૈકી કયું ધાન્ય તાપી, સુરત, ડાંગ જિલ્લાના મુખ્ય ખોરાકમાં સમાવિષ્ઠ થતું નથી?*

અ) કોદરો બ) નાગલી
ક) વરઈ ડ) બંટી

*97) કાંસાની થાળીમાં મીણ દ્વારા ભાંગસરની લાકડીને ઉભી રાખી, તેમાંથી સંગીત ઉત્પન્ન કરી; ‘કુકના રામકથા’ કાવ્યાત્મક રીતે રજુ કરવામાં આવે છે. તે પ્રદેશને ઓળખી બતાવો.*

ક) દંડકારણ્ય ગ઼) પાંચાળ પ્રદેશ
ચ) નાઘેર પ્રદેશ જ) પાટણવાડો

*98) જે બાબત ‘ડાંગી નૃત્ય’ સાથે ન સંકળાયેલી હોય તે ઓળખી બતાવો.*

ટ) ભીલ , કાથોડી આદિવાસી દ્વારા ‘ડાંગ દરબાર’ સમયે પ્રસ્તુત કરવાની પરંપરામાંથી આવેલ નૃત્ય
ડ) સમૂહભાવના, પ્રકૃતિ સાથેનું જોડાણ
ણ) જોમ, સ્ફૂર્તિ, તાલ, લયનું સંમિશ્રણ
થ) સ્ત્રી – પુરુષ સમાનતા, કુદરતી લાવણ્ય

*99) ગુજરાતનું કાશ્મીર તરીકે કયું સ્થળ ઓળખાય છે?*

ધ) નળકાંઠો પ) જુનારાજ
બ) મહાલના જંગલો મ) સાપુતારા

1) — અ) રણવાદ્યો
2) — બ) શંખ
3) — બ) ક – 2, ખ – 1 , ગ – 3 , ઘ- 4
4) — અ) પ્રવીણસાગર
5) — ડ) હરકાન્ત શુક્લ
 6) — અ) સુરંદો, જોડિયો પાવો
7) — બ) શ્રી ઈન્દ્રશંકર રાવળ
8) — બ) જંતર
9) — ક) ક – 1 , ખ – 2 , ગ – 3 , ઘ – 4
10) — ક) રાવણ હથ્થો
11) — અ) ઢોલ વાગવાના પ્રકાર
12) — ક) નોબત
13) — બ) દુંદુભિ
14) — અ) ઝલ્લરી
15) — ડ) કંજીરા
16) — અ) ભૂંગળ
17) — બ) શંખ , ભેરી
18) — ક) ભુંગળ, નિશાન -ડંકો , જયઢક્ક
19) –અ) સાધુ વીરદાસજી
20) — અ) ક-4, ખ – 5, ગ- 1, ઘ-2, ચ-3
21) — બ) અકબરે દરબારી
22) — અ) તાડપુ
23)– ક) સોમનાથ મંદિરના સ્થાપત્યોમાં
24) — અ) ભૂરિદત્ત જાતકકથા
25) — ક) શરીર સૌષ્ટવનો ખેલ
26) — ખરાઈ ઊંટ
27) — ક) ખડીર બેટ
28) — ડ) ભાગાકારનું ચિહ્ન
29) — બ) ખમીર
30) — અ) ઘ્રન્ગ
31) — ક) ફૂટ- પ્રિન્ટ્સ ઓફ વિશ્વ-કર્મા
32) — અ) ક – 2 , ખ – 1, ગ – 5, ઘ – 3, ચ – 4
33) — ડ) લ – 1, વ – 3 , સ – 2 , શ -4
34) — ક) વ્રજભૂમિ
35) –છ) વૈષ્ણવ સંપ્રદાય
36) — ઠ) મોઈનુદીન ચિસ્તી
37) — ણ) અસાઈત ઠાકર રચિત ગ્રંથ ‘હંસાઉંલી’માં ભવાઈ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે
38) — પ) ચરકુલા
39) — અ) બ – 2, ભ – 1, મ – 3, ય – 5, ર – 4
40) — સ) માલકૌંસ
41) — ષ -2, હ – 1, ળ – 3, ક્ષ – 4, જ્ઞ – 5
42) — ચ) લોકનૃત્ય નિયમ , કાયદા અને સિદ્ધાંતોથી બદ્ધ ; રાજ્યાશ્રિત હોય છે
43) — ડ) ટિપ્પણી
44) — ત) રાસ
45) — ન) માંડવા નૃત્યમાં ગીતની વિવિધતા સાથે 28 થી 30 પ્રકારના પક્ષીઓની નકલ એટલેકે ‘ચાળો’ કરવામાં આવે છે
46) — મ) ડાંગ દરબાર આ દિવસે ડુંગર પર ભરાય છે
47) — શ) વર્ષઋતુમાં શ્રાવણી પૂનમ થી કાર્તિક આઠમ સુધી ચાલતો ઉત્સવ છે
48) — ષ) ધ સિટિસ ઓફ ગુર્જરાષ્ટ્ર
49) — ક્ષ) મકરંદ મહેતા
50) — ખ) મગનલાલ વખતચંદ
51) — જ) ત્રણ દરવાજા
52) — થ) સત્તરમી – અઢારમી સદી
53) — ધ) ડચ કબ્રસ્તાન
54) — મ) અમદાવાદ
55) — લ) તેનું મુખ્ય મથક પોલેન્ડના ‘કર્કવો’ શહેરમાં છે
56) — હ ) અમદાવાદમાં આવેલ સાયન્સ સીટી, હિમાલયા મોલ અને રીવર ફ્રન્ટ
57) — ઘ) શંખલપુર
58) — છ) આશાવલી
59) — ટ) હાલોલ
60) — દ) વડોદરા
61) — ન) મીટ મી એટ ખાડીયા
62) — બ) ઘટમ
63) — લ) ગિટાર
64) — ળ) વ – 2 , શ – 1 , સ – 3 , ષ – 4 , હ – 5
65) — ક) ક – 2 , ખ – 3 , ગ – 1, ઘ – 5 , ચ – 4
66) — ચ) ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ઇતિહાસ, સંસ્કૃતિ, ઉત્પત્તિ અને માનવજીવનને દર્શાવતું મ્યુઝિયમ આવેલ છે
67) — થ) ઝ – 4 , ટ – 2, ઠ – 5, ડ – 3, ઢ – 1
68) — b) અમદાવાદ
69) — ન) અમદાવાદ , વડોદરા
70) — મ) કપડ઼વર્ણજ
71) — ર) સંગ્રહાલય દ્વારા આવનારી પેઢીને તાલીમ, કૌશલ્ય અને વ્યવસ્થાપન પ્રદાન કરવા
72) — હ) શૈક્ષણિક અને સાંસ્કૃતિક
73) — જ્ઞ) ગુજરાત વિધાનસભા ભવન; ગાંધીનગર
74) — અ) આનંદકુમાર સ્વામી , ગૌતમ સારાભાઈ
75) — આ) સાપુતારા
76) — કિ) ભારતે પતંગબાજીની કળા ચીનને શીખવેલ
77) — કે) ગોંડલ
78) — કૌ) વોટસન મ્યુઝિયમ ; રાજકોટ
79) — ઘ) બજાણીયા
80) — જ) બાવરી
81) — ઢ) કચ્છ
82) — ત) આઠ
83) — ફ) 89.17 લાખ
84) — લ) 14 જિલ્લામાં
85) — ક્ષ) હુડો નૃત્ય
86) — ખ) શરારા
87) — છ) જેનાબાદ
88) — ન) ગલગોટો
89) — બ) ધ પેરિપ્લસ ઓફ ઇરિથ્રિયન સી
90) — વ) વડોદરા
91) — અ) ભાવનગર
92) — ક) મહાબતખાન
93) — ગ) દેવધર
94) — ક્ષ) સ્પેરો
95) — ડ) તેમણે દલપતરામ સાથે મળી નાટક ‘લક્ષ્મી’ અને ‘ફાર્બસ વિરહ’ રચ્યાં
96) — ડ) બંટી
97) — ક) દંડકારણ્ય
98) — ટ) ભીલ , કાથોડી આદિવાસી દ્વારા ‘ડાંગ દરબાર’ સમયે પ્રસ્તુત કરવાની પરંપરામાંથી આવેલ નૃત્ય
99) — પ) જુનારાજ

આજરોજ હું એક 100 પ્રશ્નનો આપ સમક્ષ મૂકી રહ્યો છું.. જે આપને આગામી પરીક્ષા મા ઉપયોગી થાય એ આશા સાથે...1

*1)   ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની જાણકારી માટે નીચેનામાંથી કઈ બાબત અગત્યની છે?*

અ)   મુઘલ કાલીન સિક્કાઓ, તવારીખો, શાહી ફરમાનો, અખબારાત, ખતપત્રો

બ)   અરબી- ફારસી, સંસ્કૃત-ગુજરાતી  અભિલેખો

ક)    સિક્કાઓ, દાનપત્રો, વાવલેખો, તામ્રપત્રો, પાળીયાલેખો, પૂર્તલેખો

ડ)    અ ,બ અને ક

*2)   વાવના પ્રવેશમાર્ગ ( મુખ) ની સંખ્યાના આધારે તેનો પ્રકાર બાબતે કયું જોડકું ખોટું છે?*

અ)    નંદા   –   એક મુખ                             બ)    ભદ્રા  –    બે મુખ
ક)    ત્રિજયા –  ત્રણ મુખ                             ડ)    વિજ્યા  – ચારમુખ

*3)   મધ્યકાલીન ગુજરાતના  તોલમાપની અગત્યની માહિતી આપતું પુસ્તક કયું છે?*

અ) બાલાવબોધ       બ)   મુખ્તસર તારીખ ગુજરાત
ક)  હંસાઉલી            ડ)    કાન્હડ-દે-પ્રબંધ

*4)   વિદેશી લેખક; ગુજરાત સંદર્ભમાં લખેલી કઈ બાબત સાચી નથી?*

અ)   આફ્રિકન પ્રવાસી ઈબ્ન – બતુતા                – ખંભાતની સમૃદ્ધિ

બ)   પોર્ટુગીઝ પ્રવાસી દુ-આર્ટે બારબોસા           – ગુજરાતની    રાજકીયસ્થિતિ

ક)    જર્મન પ્રવાસી મેન્ડેલ્સલો                             – ગુજરાતમાં પારસીઓની સામાજિકસ્થિતિ

ડ)    ઈરાકી પ્રવાસી અલ- મસુદી                         – ગુજરાતની  ભૌગોલિકસ્થિતિ

*5)  સરહદનું રક્ષણ, કાયદાનો અમલ,લશ્કરની જાળવણી તેમજ મહેસુલ ઉઘરાવવા જેવા કાર્ય કરનાર અધિકારી કે જે સલ્તનત કાળમાં નાઝીમ તરીકે ઓળખાતા તેમને વેતન પેટે જાગીર આપવાને બદલે રોકડ આપવાની શરૂઆત કોના સમયમાં થઈ?*     

અ)   અલાઉદ્દીન ખીલજી      બ)   મુઘલ કાળ

ક)    ફિરોઝશાહ તુઘલક       ડ)    ફહર્તુલ મુલ્ક

*6)  સલ્તનતકાળમાં ગુજરાતના જુદા–જુદા અધિકારી અને તેના અંતર્ગત થતા કાર્યોના જોડકામાંથી ખોટું જોડકું ઓળખી બતાવો*

અ)  કાનુનગો  –  ખેતી વિષયક બાબતો સાથે સંકળાયેલ

બ)   આમીલ  – વહીવટી બાબતો સાથે સંકળાયેલ

ક)   શિકદાર   – ન્યાયની બાબતો સાથે સંકળાયેલ

ડ)   મુશરિફ   – કર ઉઘરાવવાની બાબતો સાથે સંકળાયેલ

*7)   સલ્તનતકાળમાં ગુજરાતમાં કઈ પદ્ધતિ દ્વારા જમીનની વહેંચણી કરવામાં આવી હતી?*

અ)   વાંટા પદ્ધતિ      બ)   સાટા પદ્ધતિ

ક)    સૂંઢલ પદ્ધતિ      ડ)    ભાગીયા પદ્ધતિ

*8)   અમદાવાદ અને અહમદનગર (હિંમતનગર)માં ટંકશાળની શરૂઆત કોના સમયમાં થઈ?*

અ)   અહમદશાહ        બ)   અલ્પખાન

ક)    મુહમ્મદ બેગડા     ડ)    મુઝ્ઝફરશાહ

*9)   ગુજરાતના સુલ્તાન બહાદુરશાહે દિલ્હીના કયા મોંગોલ શાસક સાથે સંઘર્ષ કર્યો હતો?*

અ)  બાબર          બ)     અકબર

ક)   હુમાયુ           ડ)      જહાંગીર

*10)   નીચેની કઈ બાબત ગીતકાર બૈજુ–બાવરાને લાગુ પડતી નથી?*

અ)   તેનું મુળનામ “મંજુ” હતું

બ)   તેને બહાદુરશાહ ના દરબારમાં ખુબ પ્રસિદ્ધિ મેળવી હતી

ક)    તેને હુમાયુને ખુશ કરી માળવાની કતલ અટકાવી હતી

ડ)    તેનું સ્મારક બૈજનાથ મુકામે આવેલ છે
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

*11)   શિકદાર,તહેસીલદાર, આમીલ, મુશરિફ,મુહહસીલ, ગુમાસ્તા, સરહંગ વગેરે સલ્તનતકાલીન પદો કઈ બાબત સાથે મુખ્યરૂપે સંકળાયેલ છે?*

અ)  લશ્કરી    બ)   વિદેશી

ક)   મહેસુલ    ડ)   મનોરંજન

*12) ગુજરાતમાં  ઢોરદીઠ ઉઘરાવાતો કર સલ્તનતકાળમાં કયા નામે ઓળખાતો હતો?*

અ) પૂંછી    બ)  દાણ

ક)  ઘોટક   ડ)  અલહણ

*13)  શાહેબુલ–બરિદ  અને મલેકુલ–બરિદ  નામના અમલદારોના હોદ્દાકયા ખાતા સાથે સંકળાયેલ હતા?*

અ)  ખેતી-પશુપાલન     બ)   સંદેશાવ્યવહાર

ક)   જાશૂસી                ડ)    ખાન-પાન

*14)   નીચેનામાંથી કઈ બાબત સલ્તનતકાલીન ગુજરાતના સિક્કાઓ સાથે સંકળાયેલ નથી?*

અ)   સિક્કા પર હિજરી સવંત, ખલિફા નું નામ , સુલ્તાનનું નામ, ટંકશાળનુંનામ    અને ચિન્હ, સિક્કો પાડયા ના વર્ષનો ઉલ્લેખ ફારસી ભાષામાં

બ)   સિક્કા દીનાર, ટંકા, મહેમુદી, મુઝ્ઝફરશાહી નામે ઓળખાતા

ક)    સિક્કા દિલ્હીની ટંકશાળમાં બનાવવામાં આવતા હતા

ડ)    નકલી સિક્કા બનતા રોકવા માટેની તકનીકનો ઉપયોગ કરવામાં આવતો હતો

*15)   અમદાવાદમાં કઈ પોળ સૌ પ્રથમ  બની હતી?*

અ)   પતાસાની પોળ

બ)   મુહરતની પોળ

ક)    રતન પોળ

ડ)    માંડવીની પોળ

*16)  નીચેની કઈ બાબત ગુજરાતી ખાનપાન પદ્ધતિ સાથે સંકળાયેલ નથી?*

અ)   પરિધાનવિધિ

, ભોજન વિચ્છતિ, વીરભોજન વર્ણક, અહોશ્યાલક બોલી વગેરે ગ્રંથોમાં પંદર થી સત્તરમી સદી દરમિયાનની ખાનપાન પદ્ધતિઓનો
ઉલ્લેખ કરવામાં આવેલ છે

બ)    લાડુની 36 જાતો, 52 જાતની ભાજી, 27 જાતના ઢોકળા, અનેકવિધ અથાણાં, તાંબુલ, સુકામેવા- લીલામેવા, પાપડ, ચટણી, કચુંબર, મિષ્ટાન
ફળો વગેરે ખાનપાનમાં સમાવિષ્ઠ હતાં

ક)    દરેક ભોજમાં, બ્રહ્મભોજન બાદજ સામાન્ય જન ભોજન ગ્રહણ કરી શકતા.

ડ)    ગાદી, ચાકળા, ચુડીયા, ચોકીપટ વગેરેનો ઉપયોગ શણગાર માટે તેમજ ત્રાટ, વાટાં, કચોલાંનો ઉપયોગ વાનગી પીરસવામાં કરવામાં આવતો.

*17) પડાવ, નાયડા, કોટીયા,બતેલા, બગલા અને ગંજા શાના નામ છે?*

અ) કચ્છમાં બનાવવામાં આવતા વિવિધ પ્રકારના વહાણો

બ) નળ-સરોવરમાં આવતા વિવિધ પક્ષીઓની જાત

ક) માટીના વાસણોના વિવિધ નામ

ડ) ખેતીનો સરંજામ

*18) ગુજરાતમાં પહેરવામાં આવતી ટોપીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે?*

અ)   અધોતરી   બ)   અતલસ

ક)    કલહી       ડ)    જમાવાડી

19)   નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે જણાવો.

અ)  જીતલ                                            –  ગુજરાતી ચલણનું નામ

બ)  ગરભી, મંજુડી, ગુલમાર                              –  ખંભાત માંથી આફ્રિકાના દેશોમાં નિકાસ થતી કાપડની વિવિધ જાત

ક)   કિનખાબ, છીંટ, તારકસબ                         – ગુજરાતમાંથી નિકાસ થતી ગળીના પ્રકારો

ડ)   પ્રબંધ, પ્રશસ્તિ, આગમ,રાસ,ચરિત્ર           – જૈન સાહિત્યના વિવિધ પ્રકારો

*20) નીચેનામાંથી કઈ બાબત પારસી ધર્મ ( જરથોસ્તી)  સાથે સંલગ્ન નથી?*

અ) પક્ષીઓ માટે શબને માખણ લગાડી “દોખમા” માં ખુલ્લું મૂકી દેતા

બ)  સ્વચ્છતા, સાદાઈ અને શાંતિપ્રિયતા નો સંદેશ પારસી ધર્મ આપે છે.

ક) અહુરબાની ની પારસીઓ પૂજા કરે છે.

ડ)સંજાણ,નવસારી,ભરૂચ,ગોદાવરી અને ખંભાત એ પારસીઓના પાંચ ભૌગોલિક વિભાગ પાડવામાં આવ્યા હતા.



*21) મુસ્લિમ ધર્મના સાંસ્કૃતિક પ્રભાવ બાબતે કઈ બાબત સાચી નથી?*

અ) જલેબી,ગુલાબજાંબુ અને વિવિધ પ્રકારના શરબતો

બ) સૂકોમેવો, બદામ,અનાર,અંજીર,તરબૂચનો ઉપયોગ

ક) ભૌમિતિક આકારો, ફૂલછોડ, વેલી વગેરનો સ્થાપત્યમાં ઉપયોગ

ડ) વહાણો દ્વારા વ્યાપાર માટેની સ્પર્ધા

*22) “ગુજરાતી પર અરબી–ફારસી ની અસર” પુસ્તકના લેખકનું નામ જણાવો.*

અ) ડૉ. છોટુભાઈ નાયક   બ)   શિવલાલ ગૌદાની

ક) ડૉ. બર્જેશ                 ડ)    ડૉ. હરગોવન શાસ્ત્રી

*23)  અમદાવાદ ના કિલ્લામાં 139 બુરજો, 18 દરવાજા, 6709 કાંગરા આવેલ છે તેનો ઉલ્લેખ નીચેનામાંથી કયા પુસ્તકમાં કરવામાં આવ્યો છે?*

અ) મિરાતે અહમદી     બ)   સલાતીને ગુજરાત

ક)   મુઝફ્ફરશાહી       ડ)   તવારીખે ગુજરાત

*24)  નીચેનામાંથી ખોટો વિકલ્પ શોધો.*

અ) ગવાક્ષ, ગર્ભગૃહ, અંતરાલ, શૃંગારચોકી, મંડોવર,પીઠ, શીખર     – મંદિર

બ) લિવાન, મેહરાબ, મિનારો                                                           – મસ્જિદ

ક)  નેવ , ચોઈર , એપ્સ, એલ્ટર                                                         – ચર્ચ

ડ) બિમાહ, રબી-સીટ ,તોરાહ                                                       – અગિયારી

25)  મુસ્લિમ આર્કિટેક્ચર ઓફ અહમદાબાદ ના લેખક કોણ છે?

અ)  બર્જેસ            બ)   બારબોસા

ક)   કર્નલ ટોડ       ડ)    મેન્ડેલ

*26) ગોમતીપુરમાં આવેલ ઝૂલતા મિનારા કઈ મસ્જિદમાં આવેલ છે?*

અ) રાણી સિપ્રીની મસ્જિદ           બ) બીબીજીની મસ્જિદ

ક)  રાણી રૂપમતીની મસ્જિદ       ડ)  બાઈ હરિરની મસ્જિદ

*27) ગુજરાતમાં મહેસુલી સુધારા કોના દ્વારા દાખલ કરવામાં આવ્યા?*

અ) રહીમખાન    બ) ટોડરમલ

ક)  ઇતમાદખાન  ડ) બહેરામખાન

28) ગુજરાતના સંદર્ભમાં, જહાંગીરના ફરમાનોમાંથી કયું ફરમાન લાગુ પડતું ન હતું?

અ) રાજ્યમાં દારૂબંધી, જહાંગીરના જન્મદિવસે અને રાજ્યારોહણના દિવસે માંસાહારનો ત્યાગ

બ)  તળાવ, વાવ, ધર્મશાળા અને દવાખાનાઓનું નિર્માણ, વેઠપ્રથાની નાબુદી

ક) જઝિયાવેરો, જળમાર્ગ પર મહેસુલ તેમજ રાહદારી વેરો ઉઘરાવવો

ડ) ઘરવેરાની નાબુદી, બિનવારસી મિલકતોનો ઉપયોગ જાહેર બાંધકામ માટે

*29) ગુજરાતમાં પડેલા “સત્યાશિયા” દુષ્કાળનું વર્ણન કયા પુસ્તકમાં જોવા મળે છે?*

અ) મિરાતે સિકંદરી   બ) મિરાતે અહમદી

ક) તારીખે જહાંગીરી  ડ) તુઝુકે બાબરી

*30) અધિકારી અને તેના કાર્યને અનુલક્ષીને કયું જોડકું ખોટું છે તે જણાવો.*

અ) બક્ષી             – પોલીસદળનો વડો અધિકારી

બ) મુહતસીબ      – દારુ,ભાંગ, જુગાર, વેશ્યાગમન જેવા દુષણો પર નિયંત્રણ રાખવાનું કાર્ય કરતો

ક) વાકિયાનવીસ – પ્રાંતોના સમાચાર શાહી દરબારમાં મોકલવાનું કાર્ય કરતો

ડ) કાઝી              – ન્યાય ખાતાનો વડો કહેવાતો

*31) નીચેનામાંથી કયું ખાતું મોંગોલ શાસન દરમિયાન અસ્તિત્વમાં ન હતું?*

અ) હરડે- મુરબ્બા ખાતું  બ) નોબત અને ઘડિયાળ ખાતું

ક)  ઘોડા હાજરી ખાતું    ડ)  ગ્રામીણ વિકાસ ખાતું

*32) મોંગોલકાલીન સિક્કા બાબતે નીચેનામાંથી કયું જોડકું સાચું છે?*

અ)  જહાંગીરના શાસન દરમિયાન બાર રાશિ અન

ુસાર બાર જુદા-જુદા પ્રકારના સિક્કા ચલણમાં આવ્યા હતા

બ) સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાલતા ચલણી સિક્કા “કોરી” ભુજની ટંકશાળમાં બનાવવામાં આવતા હતા

ક) અકબરી રૂપિયો, મોહમદી રૂપિયો સૌરાષ્ટમાં લાંબા સમય સુધી ચલણમાં હતો

ડ) મહોરના નામે ઓળખાતા ચાંદીના સિક્કા અજમેરની ટંકશાળમાં બનાવવામાં આવતા હતા

*33) સાંકળી, પૈયાર,ઝૂમણાં, કાંકલી,હાંસડી અને ટૂંપીયો જેવા ઘરેણાં સ્ત્રીના કયા અંગ સાથે સંલગ્ન છે?*

અ) નાક- કાન    બ)  હાથ

ક) ગળું          ડ)   આંગળી

*34) અકબર દ્વારા કઈ સવંતની શરૂઆત કરવામાં આવી હતી?*

અ) દીને ઈલાહી સવંત     બ)   હિજરી  સવંત

ક)  અકબરી સવંત     ડ)    ચિશ્તી સવંત

*35) દરિયાપુરમાં રેશમ ધોવા માટેના કુવા કયા નામે ઓળખાતા હતા?*

અ) રેશકુવા         બ) મશરુકુવા

ક) પાતાળ કુવા     ડ) ધોબી કુવા



*36) ગુજરાતના સલ્તનતકાલીન તોલમાપ બાબતે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે તે જણાવો.*

અ) માટ  – સૌરાષ્ટ્રમાં ચાલતું તોલમાપ

બ) ખાંડી – વહાણમાં માલ ચડાવવા ઉપયોગમાં લેવામાં આવતું માપ

ક) ગજ – અનાજ માટેનું તોલમાપ

ડ) કાંટરા – ડાંગર માટે વપરાતું તોલમાપ

*37) અકબર દ્વારા પર્યુષણના બાર દિવસ, સોફિયાન, ઈદ, સંક્રાંતિની તિથિ, બાદશાહનો જન્મદિવસ, નવરોઝ, મોહરમ વગેરે મળી, કુલ છ માસ અને છ દિવસ જીવ હિંસાની મનાઈ માટેનું ફરમાન, કયા જૈન સાધુની પ્રેરણા દ્વારા બહાર પાડવામાં આવ્યું?*

અ) હીરવિજય સુરી     બ)  મેરુતુંગ

ક)  વિજયસેન         ડ)  સમય સુંદર

*38) કોના પ્રભાવ હેઠળ ઔરંગઝેબે પારસીઓ પરનો જજિયાવેરો દૂર કર્યો?*

અ) આતશજી બેહરામજી       બ) ફારૂકજી કેસરજી

ક) રુસ્તમ માણેકશા            ડ) દસ્તુરજી મેહરજી

*39)  પારસીઓ અગ્નિને કયા નામથી સંબોધિત કરે છે?*

અ) આતશ બેહરામ   બ) અહૂર-મઝદા

ક)  નવરોઝ         ડ)  અષો-જરથોસ્ત

*40)  કયા સુલતાન દ્વારા જૈનોનું અમારીવ્રત અપનાવાયું હતું?*

અ) શાહજહાં       બ) જહાંગીર

ક)  અકબર        ડ)  હુમાયૂં

*41) નીચેનામાંથી કઈ રચના કવિ અખા સાથે સુ–સંગત નથી?*

અ) કૈવલ્યગીતા       બ)  જ્ઞાનગીતા

ક)  સંતપ્રિયા         ડ)   પંચીકરણ

*42)  સમકાલીન સમાજમાં બદીઓને દૂર કરવા માટેની રચનાઓમાં વલ્લભ મેવાડા સાથે નીચેનામાંથી કઈ રચના સુ–સંગત નથી?*

અ)  આંખમીંચામણી     બ) સત્યભામાનું રૂસણું

ક)  જ્ઞાનકક્કો           ડ)  દેવિચરિત

*43)  જહાંગીર દ્વારા , “કોરી” નામના સિક્કા કઈ ટંકશાળમાં બનાવવા માટે છૂટ આપવામાં આવી હતી?*

અ) મુસ્તુફાબાદ      બ)  ભુજ

ક)  અહમદાબાદ     ડ)   નવાનગર

*44) શેઠ શાંતિદાસ ઝવેરી દ્વારા બઁધાવાયેલ ચિંતામણી પાર્શ્વનાથના જૈન દેરાસરની મુલાકાતની નોંધ કયા જર્મન મુસાફરે પોતાના પુસ્તકમાં કરી છે?*

અ) મેન્ડેલ સ્લો     બ) ટ્રેવેનિઅર

ક) બર્જેસ          ડ) બારબોસા

*45) નીચેનામાંથી કયો સંપ્રદાય વૈષ્ણવ ધર્મ અંતર્ગત નથી?*

અ)  પુષ્ટિ સંપ્રદાય            બ) નિમ્બાર્ક સંપ્રદાય

ક)   રામાનુજ સંપ્રદાય       ડ)  કાનફટ્ટા સંપ્રદાય

*46)  જામનગરના  દરબારી કવિ શ્રીકંઠ દ્વારા રચાયેલ ગ્રંથ  રસકૌમુદી  કઈ કળા સાથે સંકળાયેલ છે ?*

અ)  નૃત્યકળા      બ)  સંગીતકળા

ક)   નાટ્યકળા     ડ)  યુદ્ધકળા

*47) ગુજરાતમાંથી ચૌથ અને સરદેશ–મુખી કોના દ્વારા ઉઘરાવવામાં આવતી હતી?*

અ)  મોંગોલ શાસકો     બ)  મરાઠા શાસકો

ક)  રાજપૂત શાસકો      ડ)  બહમની શાસકો

*48) ગુજરાતમાં સર્વોપરિતા માટે કયા મરાઠા સરદારો વચ્ચે હરીફાઈ રહેતી હતી?*

અ) પેશ્વા અને ગાયકવાડ  વચ્ચે      બ) ભોંસલે અને ગાયકવાડ વચ્ચે

ક)  ગાયકવાડ અને સિંધિયા વચ્ચે   ડ) હોલ્કર અને પેશ્વા વચ્ચે

*49) નાણાં વિભાગ સાથે જોડાયેલ અધિકારી મરાઠા શાસન  દરમિયાન કયા નામે ઓળખાતો ?*

અ) કામવિસદાર   બ)   ફડણવીસ

ક)  પાટીલ           ડ)    કુલકર્ણી

*50)  બજાર વિનાના ગામને મરાઠા શાસન અંતર્ગત કયા નામે ઓળખવામાં આવતું હતું?*

અ)   મહાલ       બ)   સૂબો

ક)    મૌજ         ડ)    પરગણું



*51)  ગોકુળદાસ તેજપાલ કયાંના હતા?*

અ) ઉત્તર ગુજરાત   બ) અમદાવાદ

ક)  સુરત              ડ) કચ્છ

*52)  નીચેનામાંથી કઈ કઈ  બાબતોમાં પારસીઓનો ફાળો રહેલો છે?*

અ) મુંબઇનો જહાજ ઉધોગ   બ) મુદ્રણકળા

ક)  નાટ્યકળા                    ડ)   અ , બ , ક ત્રણેય બાબતોમાં

*53)  કાળુપુર સ્વામિનારાયણ મંદિર માટે જગ્યાની સંમતિ આપનાર અંગ્રેજ ગવર્નર  કોણ હતા?*

અ) ટોમસ રૉ     બ)   માલ્કમ

ક)  હેન્રી બર્ટેલ   ડ) જ્યોર્જ લોઈડ

*54) મરાઠા શાસનકાળમાં ધર્માધિકારીની કઈ ફરજ હતી?*

અ) મંદિરના પુજારીની પગાર આપી નિમણૂંક કરવી         બ) સંસ્કૃત પાઠશાળાઓ ચલાવવી

ક) હિન્દુ ધર્મ માટે લવાદ બનવું                                    ડ) અ ,બ, ક ત્રણેય

*55) અદ્વેતવાદના પદો કોના દ્વારા લખાયા છે?*

અ) મીરાબાઈ     બ) ગવરીબાઈ

ક) પાનબાઈ       ડ)  કુંવરબાઈ

*56) તારીખે સોરઠ – વ – હાલાર ના લેખક કોણ છે?*

અ) ખુશાલદાસ            બ) મુન્શી જશવંતરાય

ક) રણછોડજી અમરજી   ડ) શોભરામ

*57) સરસ્વતિ નદી બાબતે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી?*

અ) ભારતમાં કુલ છ નદીઓ સરસ્વતી નદી તરીકે ઓળખાય છે.

બ) ગુજરાતમાં બનાસકાંઠા,પાટણ અને મહેસાણા માંથી વહેતી સરસ્વતી નદી કચ્છના રણમાં સમાઈ જાય છે.

ક) હિમાલયમાંથી નીકળી, કુરુક્ષેત્ર અને પશ્ચિમી રાજસ્થાનમાંથી વહેતી સરસ્વતી નદી વેદકાળમાં ધરતીકંપને પરિણામે લુપ્ત થઈ હોવાનું અનુમાન છે.

ડ) ચોમાસામાં જ વહેતી નદી, ગ્રામ્ય પ્રદેશમાં કુમારિકાના નામે ઓળખાય છે.

*58)  નીચેનામાંથી કઈ બાબત ભારતીય સમાજમાં સ્ત્રી–સશક્તિકરણની સાક્ષી પુરે છે?*

અ)  માતૃ-શ્રાદ્ધ              બ) સ્વયંવર

ક)   શાક્ત સંપ્રદાય         ડ) અ ,બ ક  ત્રણેય

*59)  ગુજરાતના પારસીઓ વિષેનું કયું તથ્ય સાચું નથી?*

અ) પારસીઓનું ઇરાનમાંથી ગુજરાતમાં પ્રથમ દીવ અને ત્યારબાદ સંજાણ મુકામે આગમન થયું ત્યારે “જદી રાણા” નું શાસન પ્રવર્તતું હતું.

બ) પારસીઓના અગત્યના ધાર્મિક સ્થળ જેવાકે નવસારી અને ઉદવાડા મુકામે ઈરાનશા આતશ બહેરામ ( અગ્નિ)ની પુજા થાય છે.

ક)  પારસીઓનું ગુજરાતમાં આગમન પાંચમી સદીમાં થયુ.

ડ)પારસીઓની પ્રાર્થના પુસ્તક “ખોરદા અવેસ્તા” છે. તેમજ તેમની લીપી “ઝર્થુસ્ત્ર” છે.

*60) હ્યુયુન–ત્સંગ નામનો ચીની મુસાફરે ગુજરાતમાં વિશ્વ વિખ્યાત વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત કયા રાજ્યશાસન દરમિયાન લીધી હતી?*

અ) મૈત્રક શાસન               બ)  રાષ્ટ્રકૂટ શાસન

ક)  ગુર્જર પ્રતિહાર શાસન   ડ)  નંદ શાસન



*61) ગુજરાતની રાજધાની બાબતે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?*

અ) પાટણ ; ચાવડા, સોલંકી અને વાઘેલા વંશની રાજધાની બની તેના પહેલા ભિન્નમાળ ગુજરાતની રાજધાની હતી.

બ) કુશસ્થળી( દ્વારકા), રૈવતગિરિ( જૂનાગઢ) તેમજ વલભી જેવા નગરો ગુજરાતની રાજધાની તરીકે ગણી શકાય.

ક) વનરાજ ચાવડાએ રાજધાની પંચાસર થી પાટણ જયારે કરણસિંહે રાજધાની પાટણથી કર્ણાવતી મુકામે બદલી હતી.

ડ) મીનળદેવીના સમયમાં ગુજરાતની રાજધાની ધોળકા બની હતી.

*62) અહમદાબાદ બાબતે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી?*

અ) સુલતાન અહમદશાહ,  ગુરુ શેખ અહમદશાહ  ખટ્ટુ , તેમજ કાઝી અહેમદ અને મલિક અહેમદ એમ કુલ ચાર અહેમદ નામના વ્યક્તિઓ દ્વારા તેનો
પાયો નંખાયો.

બ) અહમદાબાદ સાથે જોડાયેલા અન્ય નામોમાં “કર્ણાવતી” , “આશાવળી”  પણ છે.

ક) 25 ફેબ્રુઆરી 1411ના દિવસે અહમદાબાદનો પાયો નંખાયો.

ડ) જહાંગીરે અહમદાબાદ ને ગર્દ-આબાદ એટલેકે ધૂળિયું શહેર કહીને ઓળખાવ્યું હતું.

*63) નીચેનામાંથી કયું નિર્માણ અહમદશાહ-1 ના સમયમાં થયેલ નથી?*

અ)  માણેક બુર્જ       બ) હૌજે-કુતુબ (કાંકરિયું)

ક)   ભદ્રનો કિલ્લો     ડ)  જામા મસ્જિદ

 *64) થોમસ–રો  દ્વારા વ્યાપારની છૂટ મેળવવા માટે જહાંગીરની મુલાકાત કાયા શહેરમાં થઇ હતી?*

અ) સુરત             બ) ભરૂચ

ક) અહમદાબાદ   ડ) મુંબઈ

*65) કયા મુઘલ સૂબાના સમયમાં અહમદાબાદમાં ” મોતીશાહી મહેલ” નું નિર્માણ કરવામાં આવ્યું?*

અ) શાહજહાં      બ) ખુર્રમ

ક) ખાન ખાના    ડ) સૈયદ મુર્તુઝા

*66) કયા અંગ્રેજ મુસાફરે અહમદાબાદને ગુજરાતની મહાનગરી ગણાવી હતી ( ઈ.સ. 1626 ) ?*

અ) થોમસ હર્બર્ટ     બ) થોમસ રો

ક) કર્નલ ટોડ           ડ)  ટ્રેવેનિઅર

*67) પ્રથમ એંગ્લો–મરાઠા વિગ્રહ સમયે કોના દ્વારા ભદ્રના કિલ્લા પાર આક્રમણ કરવામાં આવ્યું હતું?*

અ) ફિલિપ જોશ     બ) થોમસ ગોડાર્ડ

ક)   કપ્તાન હ્યુ રોઝ   ડ)  થોમસ કુક

*68) પ્રથમ એંગ્લો–મરાઠા વિગ્રહ બાદ કઈ સંધિ અનુસાર અહમદાબાદની સત્તા પેશ્વાઓને મળી?*

અ) સુરતની સંધિ      બ)  ગોવાની સંધિ

ક) સલબાઈની સંધિ   ડ)   વડોદરાની સંધિ

*69) કઈ સંધિ બાદ મરાઠાઓ પાસે અમદાવાદમાં માત્ર ગાયકવાડની હવેલી બાકી રહી?*

અ) સુરતની સંધિ      બ)  પુનાની સંધિ

ક) સલબાઈની સંધિ   ડ)   વડોદરાની સંધિ

*70) બ્રિટિશ શાસનકાળમાં અહમદાબાદના વિકાસ માટે કઈ વસ્તુ પર સેસ નાખવામાં આવી હતી?*

અ) ગળી     બ) ઘી

ક)  ફળો      ડ) ધાન્ય

*71) ગુજરાતમાં પર્શિયન પ્રકારના બગીચા નિર્માણની પ્રથા કોના સમયમાં શરુ થઈ  તેવું કહી શકાય.*

અ) અહમદશાહ       બ) મોહમ્મદ બેગડો

ક) મુઝફ્ફર શાહ       ડ) કુતુબશાહ

*72) સિદ્દી સૈયદની જાળીનું નિર્માણ કરનાર સિદ્દી સૈયદ કયાંનો વતની હતો?*

અ) પર્સીયા            બ) બગદાદ

ક) એબિસિનિયા     ડ)  અંકારા

*73) જૂનાગઢના ઉપરકોટનું નવનિર્માણ કયા સૂબા દ્વારા કરવવામાં આવ્યું હતું?*

અ) ઈશરતખાન       બ) રસુલખાન

ક)  જહાનશાહ         ડ) મહોબતખાન

*74) નીચેનામાંથી કઈ બાબત જૂનાગઢ સંલગ્ન ખોટી છે?*

અ) જૂનાગઢમાં  ઉપરકોટ ઉગ્રસેન ગઢ, જિર્ણદુર્ગ, જહાંપનાહ  વગેરે નામે ઓળખાતો હતો

બ) કાલયવનથી બચવા માટે યાદવોએ જૂનાગઢના ઉપરકોટમાં આશ્રય લીધો હતો

ક) સિધ્ધરાજ જયસિંહ, મોહમ્મદ બેગડા દ્વારા જુદા જુદા સમયે જૂનાગઢ પાર આક્રમણ કરવામાં આવ્યા હતા.

ડ)  જૂનાગઢમાં છેલ્લો સુલતાન મોહમ્મદ બેગડો હતો.

*75) કોના સમયમાં સોમનાથ મંદિરનું નિર્માણ કઈ રીતે થયું હતું તેના અંતર્ગત કયું જોડકું ખોટું છે?*

અ) સુવર્ણ  –  સોમરાજ

બ) ચાંદી  –   રાવણ

ક) લાકડું  –  રા’નવઘણ

ડ) પથ્થર – ભીમદેવ

 *76) અશોકના ગિરિનગરના શિલાલેખ અંતર્ગત નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો.*

અ) અશોક દ્વારા સુદર્શન તળાવના નિર્માણ સમયે આ રાજઆજ્ઞાઓ મુકવામાં આવી હતી.

બ) અશોકનો શિલાલેખ 75 ફૂટના ઘેરાવામાં આવેલ છે જેમાં 14 જેટલી રાજઆજ્ઞાઓ આપેલી છે.

ક) તેમાં ભાષા પ્રાકૃત અને લીપી બ્રાહ્મી છે.જેમ્સ પ્રિન્સેપ દ્વારા આ લીપી ઉકેલવામાં આવી હતી.

ડ) મુખ્ય બાબતોમાં અહિંસા, કર્તવ્યપાલન, બિનસાંપ્રદાયિકતા,સહભાગિતા,જ્ઞાન, સ્ત્રી-દાક્ષિણ્ય, વૃક્ષારોપણનો સમાવેશ થાય છે.

*77) ગુજરાતમાં હેલિકલ સ્ટેપવેલ કયાં આવેલ છે?*

અ) જૂનાગઢ   બ) પાટણ

ક) મોઢેરા       ડ) ચાંપાનેર

*78) નીચેનામાંથી કઈ મસ્જિદ ચાંપાનેરમાં આવેલી નથી ?*

અ) કેવડા મસ્જિદ,      બ) રાની સિપ્રીની મસ્જિદ

ક)  નગીના મસ્જિદ     ડ) ખજૂરી મસ્જિદ

*79) બાબા પ્યારેની ગુફાઓ ક્યાં આવેલી છે?*

અ) જૂનાગઢ     બ) કચ્છ

ક) દીવ           ડ) સાબરકાંઠા

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*80) ટપકેશ્વરીનું મંદિર આવેલ છે?*

અ) જામનગર   બ) જૂનાગઢ

ક) ભુજ           ડ)  વડોદરા

*81) લખપત માટે નીચેનામાંથી કયું કથન સત્ય નથી?*

અ) લખપત શહેરનું નિર્માણ રાવ લાખા દ્વારા થયું હોય તેનું નામ લખપત પડ્યું હોવાની માન્યતા છે.

બ)  દરરોજના એક લાખ યાત્રાળુઓ અહીંથી નીકળતા હોવાથી નામ લખપત પડ્યું હોવાની માન્યતા છે.

ક) દરરોજનો એક લાખ કોરીનો વ્યાપાર થતો હોવાથી લખપત નામ પડ્યું

ડ) મોહમ્મદ કાબાની દરગાહ લખપતમાં આવેલી છે.

*82) કયા મોંગોલ શાસકના સમયમાં સુરતમાં, સ્થાપત્યના વારસા સમાન મુઘલ સરાઈ ( મુસાફરખાના) નું નિર્માણ થયું હતું?*

અ) અકબર        બ) જહાંગીર

ક) બહાદુરશાહ   ડ) શાહ જહાન

*83) નીચેનામાંથી કયું ઐતિહાસિક સ્મારક મેહમદાવાદમાં આવેલ નથી?*

અ) ચાંદા સુરજનો મહેલ      બ) રોઝા રોઝી

ક) ભમ્મરિયો કુવો               ડ) કેવડા મસ્જિદ

*84) ખટ્ટુ ગંજબક્ષ ની યાદમાં બંધાયેલ સરખેજ રોઝાના સ્થપતિ કોણ હતા?*

અ) આઝમ અને મુવાઝમ       બ) રાજાબાઈ

ક)  બાઈ હરિર                     ડ)  મુન્નવર

*85)  પ્રાગમહેલ, આઈનામહેલ અને રાણીનોઝરૂખો કયાં આવેલા છે?*

અ) અંજાર                        બ) ભુજ

ક)  લખપત                       ડ) ધોળાવીરા



*86) નીચેનામાંથી કયું તથ્ય મોઢેરાના સૂર્યમંદિર સાથે સંલગ્ન નથી?*

અ) સૂર્યમંદિર મારુ-ગુર્જર પદ્ધતિ દ્વારા બનાવાયું છે.

બ) સૂર્યમંદિર વિક્રમ સંવંત 1083 માં ભીમદેવ-1 ના સમય માં બાંધવામાં આવ્યું હતું.

ક) સિધ્ધરાજ જયસિંહના સમયથી મોઢેરાના સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે.

ડ) ગર્ભગૃહ, કુંભ, કુંડ, ગૂઢમંડપ, મંડોવર, મંડપ, સભામંડપ, તોરણ, કીર્તિમુખ જેવા વિધ-વિધ શબ્દો સુર્યમંદિરના ભાગો નિદર્શિત કરે છે.

*87) પંચમહાલના પેરિસ તરીકે ઓળખાતું સ્થળ જણાવો.*

અ) ગોધરા      બ) મોરવા હડફ

ક) જાંબુઘોડા   ડ)  દેવગઢ બારીયા

*88) દુધમતી નદી, ઔરંગઝેબનું જન્મસ્થળ ( ગઢીનો કિલ્લો) ,  છાબ તળાવ જે જીલ્લામાં આવેલ છે તે જીલ્લો જણાવો.*

અ) ડાંગ         બ) દાહોદ

ક) તાપી         ડ) નર્મદા

*89) પિથોરા કળા બાબતે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે.*

અ) પિથોરા કળા રાઠવા અને ભીલ આદિવાસી સાથે સંકળાયેલી ધાર્મિક-ચિત્ર કળા છે.

બ)મુખ્ય ભુવાને બડવા કહેવામાં આવે છે જે માનતા પૂર્ણ થતા ધાર્મિક વિધિ પૂર્ણ કરાવે છે.

ક)  પિથોરા કળા દાહોદ જિલ્લામાં પ્રચલિત છે.

ડ) પિથોરા કળામાં પ્રકૃતિ અને પ્રાણીઓનું નિરુપણ કરવામાં આવે છે.

*90) ફળદ્રુપતાની દેવી નું નિરૂપણ કઈ ચિત્રકળામાં જોવા મળે છે.*

અ) પિથોરા       બ) વારલી ચિત્રકળા

ક) ડાંગી કળા     ડ)  મૈથિલી કળા

*91) રૂપગઢનો કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે?*

અ) ડાંગ     બ) તાપી

ક) નર્મદા    ડ) છોટા ઉદેપુર

*92) આદિવાસી પરંપરા, વેશભૂષા, સંગીત અને નૃત્યના સંગમ સાથેનો હોળી પર્વ નિમિત્તેનો ઘેરનો મેળો ક્યાં ભરાય છે?*

અ) કવાંટ         બ)  ભવનાથ

ક) દુધરેજ          ડ)  તરણેતર

*93) શામળાજીમાં , મેશ્વો નદીને કાંઠે ભરાતા ભીલ અને ગરાસિયા આદિવાસીના મેળો ક્યારે ભરાય છે?*

અ) ચૈત્ર  સુદ પૂનમ     બ) આસો વદ  અમાસ

ક) કાર્તિક પૂર્ણિમા      ડ)  ભાઈ બીજ

 *94) ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ ગુજરાતના જિલ્લામાં આવેલું છે?*

અ) છોટા ઉદેપુર       બ) કચ્છ

ક)  વડોદરા              ડ) રાજકોટ

*95)  નીચેનામાંથી  વિકલ્પ સાચો છે?*

અ) બાર્ટન મ્યુઝિયમ -રાજકોટ

બ)  વોટસન મ્યુઝિયમ – ભાવનગર

ક) અ અને બ બન્ને વિકલ્પમાં શહેરોના નામ અરસપરસ બદલાવી દેવામાં આવે તો બન્ને જવાબ સાચા બને

ડ) બન્ને વિકલ્પ સાચા છે

*96) સાબરકાંઠા જિલ્લાના, ગુણભાંખરી નામના સ્થળે સાબરમતી નદીના તટમાં કયો મેળો ભરાય છે?*

અ) ઘેરનો મેળો     બ) ચિત્ર-વિચિત્ર મેળો

ક) ચુલનો મેળો      ડ)  ગોળ-ગધેડાનો મેળો

*97) મંજીરા નૃત્યથી જાણીતા , નળકાંઠાના પઢારોની,  નીચેનામાંથી કઈ બાબત સત્યથી વેગળી છે?*

અ) માછીમારી, ખેતમજૂરી અને નળસરોવરમાં નૌકા ચલાવવા સાથે સંકળાયેલ પધારો નળ સરોવરની આજુબાજુના ગામોમાં રહે છે.

બ) સુરેન્દ્રનગર અને અમદાવાદ એમ બંન્ને જિલ્લાની સરહદોમાં પઢાર જાતિના ગામડાઓ આવેલા છે.

ક)  આનંદપુરના પઢારોએ દિલ્હીમાં ગણતંત્રદિવસના સમારોહમાં રાસ પ્રસ્તુત કર્યો હતો.

ડ)  સિંધ પ્રાંત માંથી આવેલા પઢારો દોરડા વણવાની અને જાળી ગૂંથવાની કળાના જાણકાર છે.

*98) નીચેનામાંથી કઈ નૃત્ય કળા સૌરાષ્ટ્ર પ્રદેશ સાથે સઁકળાયેલ નથી?*

અ) કાન-ગોપી     બ) રામામંડળ

ક) ગોફનૃત્ય         ડ)  મેરાયો

*99) નીચેના પૈકી કયું વાજીંત્ર ભવાઈમાં વગાડવામાં આવતું નથી?*

અ) નરઘુ        બ) સારંગી

ક) ભૂંગળ        ડ) કાંસીજોડા

*100) નીચેના પૈકી કયું વાજીંત્ર ભજન સાથે જોડાયેલું નથી?*

અ) જીવારી અને ભોણીયો       બ) કરતાલ

ક) નગારું                             ડ)  મંજીરા

પ્રશ્નપત્ર 2ના જવાબો🎯💠*

 1=ડ)  : અ ,બ અને ક ત્રણેય સાચા
 2=ક) : ત્રિજ્યા – ત્રણ મુખ
 3=અ) : બાલાવબોધ
4= ક)  :  જર્મન પ્રવાસી મેન્ડેલ્સલો– ગુજરાતમાં પારસીઓની સામાજિકસ્થિતિ
5= અ) : અલ્લાઉદ્દીન ખીલજી
6= ક)  : શિકદાર   – ન્યાયની બાબતો સાથે સંકળાયેલ
 7=અ)   વાંટા પદ્ધતિ
 8=અ)   અહમદશાહ
 9=ક)   હુમાયુ
10= ડ)    તેનું સ્મારક બૈજનાથ મુકામે આવેલ છે
 11=ક)   મહેસુલ
12= અ) પૂંછી
13=બ)   સંદેશાવ્યવહાર
14=ક)    સિક્કા દિલ્હીની ટંકશાળમાં બનાવવામાં આવતા હતા
15=બ)   મુહરતની પોળ
16=ક)    દરેક ભોજમાં, બ્રહ્મભોજન બાદજ સામાન્ય જન ભોજન ગ્રહણ કરી શકતા.
17=અ) કચ્છમાં બનાવવામાં આવતા વિવિધ પ્રકારના વહાણો
18=ક)    કલહી
19=ક)   કિનખાબ, છીંટ, તારકસબ – ગુજરાતમાંથી નિકાસ થતી ગળીના પ્રકારો
20=ક) અહુરબાની ની પારસીઓ પૂજા કરે છે
21=ડ) વહાણો દ્વારા વ્યાપાર માટેની સ્પર્ધા
22=અ) ડૉ. છોટુભાઈ નાયક
23=અ) મિરાતે અહમદી
24=ડ) બિમાહ, રબી-સીટ ,તોરાહ – અગિયારી
25=અ)  બર્જેસ
26= બ) બીબીજીની મસ્જિદ
27=બ) ટોડરમલ
28=ક) જઝિયાવેરો, જળમાર્ગ પર મહેસુલ તેમજ રાહદારી વેરો ઉઘરાવવો
29=બ) મિરાતે અહમદી
30=અ) બક્ષી
31=ડ)  ગ્રામીણ વિકાસ ખાતું
32=ડ) મહોરના નામે ઓળખાતા ચાંદીના સિક્કા અજમેરની ટંકશાળમાં બનાવવામાં આવતા હતા
33=ક) ગળું
34=અ) દીને ઈલાહી સવંત
35=બ) મશરુકુવા
36=ક) ગજ – અનાજ માટેનું તોલમાપ
37=અ) હીરવિજય સુરી
38=ક) રુસ્તમ માણેકશા
39=અ) આતશ બેહરામ
40=ક)  અકબર
41=બ)  જ્ઞાનગીતા
42=ડ)  દેવિચરિત
43=બ)  ભુજ
44=અ) મેન્ડેલ સ્લો
45=ડ)  કાનફટ્ટા સંપ્રદાય
46=અ)  નૃત્યકળા
47=બ)  મરાઠા શાસકો
48=અ) પેશ્વા અને ગાયકવાડ  વચ્ચે
49=બ)   ફડણવીસ
50=ક)    મૌજ
51=ડ) કચ્છ
52=ડ)   અ , બ , ક ત્રણેય બાબતોમાં
53=બ)   માલ્કમ
54=અ) મંદિરના પુજારીની પગાર આપી નિમણૂંક કરવી
55=બ) ગવરીબાઈ
56=ક) રણછોડજી અમરજી
57=ડ) ચોમાસામાં જ વહેતી નદી, ગ્રામ્ય પ્રદેશમાં કુમારિકાના નામે ઓળખાય છે.
58=ડ) અ ,બ ક  ત્રણેય
59=ક)  પારસીઓનું ગુજરાતમાં આગમન પાંચમી સદીમાં થયુ.
60=અ) મૈત્રક શાસન
61=ડ) મીનળદેવીના સમયમાં ગુજરાતની રાજધાની ધોળકા બની હતી.
62=ક) 25 ફેબ્રુઆરી 1411ના દિવસે અહમદાબાદનો પાયો નંખાયો.
63=બ) હૌજે-કુતુબ (કાંકરિયું)
64=ક) અહમદાબાદ
65=બ) ખુર્રમ
66=અ) થોમસ હર્બર્ટ
67=બ) થોમસ ગોડાર્ડ
68=ક) સલબાઈની સંધિ
69=બ)  પુનાની સંધિ
70=બ) ઘી
71બ) મોહમ્મદ બેગડો
72=ક) એબિસિનિયા
73=અ) ઈશરતખાન
74=ડ)  જૂનાગઢમાં છેલ્લો સુલતાન મોહમ્મદ બેગડો હતો.
75=ક) લાકડું  –  રા’નવઘણ
76=અ) અશોક દ્વારા સુદર્શન તળાવના નિર્માણ સમયે આ રાજઆજ્ઞાઓ મુકવામાં આવી હતી
77=ડ) ચાંપાનેર
78=બ) રાની સિપ્રીની મસ્જિદ
79=અ) જૂનાગઢ
80=ક) ભુજ
81=બ)  દરરોજના એક લાખ યાત્રાળુઓ અહીંથી નીકળતા હોવાથી નામ લખપત પડ્યું હોવાની માન્યતા છે.
82=ડ) શાહ જહાન
83=ડ) કેવડા મસ્જિદ
84=અ) આઝમ અને મુવાઝમ
85=બ) ભુજ
86=ક) સિધ્ધરાજ જયસિંહના સમયથી મોઢેરાના સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે.
87=ડ)  દેવગઢ બારીયા
88=બ) દાહોદ
89=ક)  પિથોરા કળા દાહોદ જિલ્લામાં પ્રચલિત છે.
90=બ) વારલી ચિત્રકળા
91=અ) ડાંગ
92=અ) કવાંટ
93=ક) કાર્તિક પૂર્ણિમા
94=બ) કચ્છ
95=ક) અ અને બ બન્ને વિકલ્પમાં શહેરોના નામ અરસપરસ બદલાવી દેવામાં આવે તો બન્ને જવાબ સાચા બને
96=બ) ચિત્ર-વિચિત્ર મેળો
97=ક)  આનંદપુરના પઢારોએ દિલ્હીમાં ગણતંત્રદિવસના સમારોહમાં રાસ પ્રસ્તુત કર્યો હતો.
98=ડ)  મેરાયો
99=બ) સારંગી
100=ક) નગારું

કોણાર્કનું સૂર્યમંદિર - એક સત્ય ઘટના ⚔️*

💠🔰ઈતિહાસ જે આપણે જાણવો જ જોઈએ 
બંગાળ (બાંગ્લાદેશ સહિત) આજે ઇસ્લામિક દેશો બની ગયાં છે 
ત્યાં ઓરિસ્સા આજે પણ ૯૫% હિંદુ છે ........
કેવી રીતે ? ........

👉 સન ૧૨૪૮ (૧૩મી શતાબ્દી) બાદશાહ તુમન ખાને ઓરિસ્સા પર હુમલો કર્યો 
એ સમયે ત્યાનો રાજા નરસિંહાદેવ હતો !!!

👉 ફેંસલો કર્યો કે  ----
ઇસલામી કુમ્લાખોરોને એનો જવાબ છળથી આપવો જોઈએ 
એમણે તુમનખાનને સંદેશ મોકલ્યો કે  ---
એ પણ બંગાળના રાજા લક્ષ્મણસેનની જેમ સમર્પણ કરવાં માંગે છે  
જેને વિના યુદ્ધ લડે તુમનખાનની સામે હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં

👉 તુમન ખાને  વાત માની લીધી અને કહ્યું કે તમે પોતાનું સમર્પણ "પૂરી" શહેરમાં આવીને કરો 
ઇસ્લામ કબુલ કરો અને જગન્નાથ મંદિરને મસ્જીદમાં બદલી નાંખો !!!

👉 રાજા નરસિમ્હાદેવ રાજી થઇ ગયાં
અને ઇસ્લામિક લશ્કર "પૂરી" શહેર તરફ આગળ વધવા માંડ્યું 
એ એવાતથી અજાણ હતું કે આતો એક ચાલ છે 
રાજા નરસિમ્હાદેવનાં હિંદુ સૈનિકો શહેરના ચાર રસ્તા,ગલી, મહોલ્લામાં પહેલેથી જ છુપાયેલું હતું ,

👉 જ્યારે ઇસ્લામિક લશ્કર જગન્નાથ મંદિરની સામે પહોંચ્યું 
ત્યારે એજ સમયે મંદિરની ઘંટડીઓ વાગવા માંડી 
અને " જય જગન્નાથ"નો જયઘોષ કરતાં હિંદુ સૈનિકોએ ઇસ્લામિક સૈનિકો પર હુમલો કરી દીધો !!!
દિવસભર યુદ્ધ ચાલ્યું ઘણાબધાસિસ્લામિક લશ્કરના સૈનિકોને કબજે કરાયા 
આ રીતની યુદ્ધનીતિનો ઉપયોગ પહેલા કયારેય પણ નહોતો થયોબ 
કોઈ હિંદુ રાજાએ જિહાદનો જવાબ ધર્મયુદ્ધથી નહોતો આપ્યો 
આમ એમનો વિજય થયો 
અને આજે આપને જગન્નાથ પૂરી જઈને દર્શન કરીએ છે અને એને વિષે લખીએ છીએ તે રાજા નરસિમ્હાદેવને કારણે જ 
આવા ઈતિહાસ રાત્યે ભારત સરકાર અને ઈતિહાસ કારો પણ શાંત  જ છે 
દઈ જાણે શું "પદ્મિની"માં ભાળી ગયાં છે 
છેર રતનસિંહની તાકાત કે આવો વિજય મેળવી શકે !!!
કે ભારતની શાન સમા જગન્નાથ મંદિરને બચાવી શકે !!!!
માતર કેસરિયા અને જૌહર કરવાથી  વિજય હાંસલ નથી થતો 
એ માટે તો બુદ્ધિ, આવડત અને અપ્રતિમ તાકાતની જરૂર પડે 
અને આજ કારણે રાજપૂતો કોઈ નિર્ણાયક યુદ્ધ નહોતું જીતી શક્યાં 
સિવાય એક ......... અને તે છે  છત્રપતિ શિવાજી મહારાજ 
એ રાજપૂત કુળનાં ફંતના હતા 
એ વાત હું  અહીં ઘણી વાર લખીજ ચુક્યો છું 
પણ મારી વાત પૂરી નથી થઇ હજી !!!

👉 આ વિજયની ખુશીમાં રાજા નરસિમ્હાદેવેએક મંદિર અને આખું મંદિર સંકુલ બનાવ્યું 
એનું નામ છે  ------"કોણાર્ક"
આજે આ મંદિર જગપ્રસિધ છે અને ઓરિસ્સાની શાન જ નહિ પણ ભારતની શાન છે !!!
"કોણાર્ક સૂર્યમંદિર " વિષે બહુજ ટૂંક સમયમાં હું વિગતે લેખ લખવાનો જ છું 
એ આપ સૌ વાંચજો મજા આવશે !!!
માની લો કે આ એની પુર્વભૂમિકા જ છે !!!
રાજા નરસિમ્હાદેવ પર પણ એક અલગ લેખ લખવાનો છું !!!

👉 યુદ્ધ જો લડાય તોજ એમાં જીતાય 
શબો યુદ્ધ કરી નથી કરી શકતાં હોતાં
અને એટલાજ માટે તેઓ ધર્મનિરપેક્ષતાનો ઢોંગ કરે છે

👉 સલામ  રાજા નરસિમ્હાદેવ સલામ 
એક નહીં લાખો સલામ !!!!
નમન છે આપને !!!
👉 ચોકલેટ બ્રાઉન રંગની નોટ હશે અને નોટ ની પાછળ 💠🎯કોણાર્ક નુ સૂર્યમંદિર💠🎯💠 છપાયેલ હશે.*

*💠🎯💠10 ની નવી નોટ ટૂંકમાં બજારોમાં લાવશે રિઝર્વ બેંક *

👉2005 પછી ૧૦ ની નોટ માં ફેરફાર કરવામાં આવ્યો.

👉અત્યાર સુધીમાં ૧ અબજ નવી નોટ રિઝર્વ બેન્ક છાપી ચુક્યુ છે.

👉જૂની ૧૦ ની નોટ અને સિક્કા ચલણમાં ચાલુ રહેશે. 
☀️🌞☀️🌞☀️🌞☀️🌞☀️🌞
 *🌝🌝કોણાર્ક સૂર્ય મંદિર🌝🌝*
☀️🌞☀️🌞☀️🌞☀️🌞☀️🌞
*
*🌞કોણાર્ક નું સૂર્ય મંદિર (જેને અંગ્રેજ઼ી માં બ્લૈક પગોડા પણ કહે છે), ભારત ના ઓરિસ્સા-ઉડ઼ીસા રાજ્ય ના પુરી જિલ્લા ના પુરી નામક શહેર માં સ્થિત છે. આને લાલ બલુઆ પત્થર તથા કાળા ગ્રેનાઇટ પત્થર થી ૧૨૩૬– ૧૨૬૪ ઈ.પૂ. માં ગંગ વંશ ના રાજા નૃસિંહદેવ દ્વારા બંધાવવામાં આવ્યું.*

*🌞આ મંદિર, ભારતની સૌથી પ્રસિદ્ધ સ્થળોમાં એક છે. આને યુનેસ્કો દ્વારા સન ૧૯૮૪માં વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાયું છે.*
*🌞🌞કલિંગ શૈલી માં નિર્મિત આ મંદિર સૂર્ય દેવ(અર્ક) ના રથ ના રૂપ માં નિર્મિત છે. આને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શી કરીને ખૂબ જ સુંદર બનાવાયા છે...*
*🌞🌞સંપૂર્ણ મંદિર સ્થળ ને એક બાર જોડ઼ી ચક્રોવાળા, સાત ઘોડા થી ખીંચે જાતે સૂર્ય દેવ ના રથ ના રૂપ માં બનાયા છે....*
*🌞🌞મંદિર પોતાની કામુક મુદ્રાઓ વાળી શિલ્પાકૃતિઓ ના માટે પણ પ્રસિદ્ધ છે....*
🌞આજે આનો ઘણો ભાગ ધ્વસ્ત થઈ ચુક્યો છે. આનું કારણે વાસ્તુ દોષ તથા મુસ્લિમ આક્રમણ કહેવાય છે. અહીં સૂર્ય ને બિરંચિ-નારાયણ કહતા હતાં.

🌝આ મંદિર સૂર્ય દેવ(અર્ક) ના રથ ના રૂપ માં નિર્મિત છે. આને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શી કરીને ખૂબ જ સુંદર બનાવાયું છે. 
સંપૂર્ણ મંદિર સ્થળને એક બાર જોડ઼ી ચક્રોવાળા, સાત ઘોડાથી ખેંચાતા સૂર્ય દેવના રથના રૂપમાં બનાવાયું છે. મંદિરની સંરચના, જે સૂર્ય ના સાત ઘોડા દ્વારા દિવ્ય રથને ખેંચવા પર આધારિત છે, પરિલક્ષિત હોય છે. હવે આમાં થી એક જ ઘોડો બચ્યો છે. આ રથના પૈડાં, જે કોણાર્કની ઓળખ બની ગયા છે, ઘણાં ચિત્રોમાં દેખાય છે. મંદિરના આધાર ને સુંદરતા પ્રદાન કરતા આ બાર ચક્ર વર્ષના બાર મહિના ને પ્રતિબિંબિત કરે છે જ્યારે પ્રત્યેક ચક્ર આઠ આરાથી મળી ને બન્યો છે જે દિવસના આઠ પહોરને દર્શાવે છે. 

🌝મુખ્ય મંદિર ત્રણ મંડપોમાં બનેલ છે. આમાં થી બે મંડપ પડી ગયા છે. ત્રીજા મંડપમાં જ્યાં મૂર્તી હતી ત્યાં અંગ્રેજ઼ો એ ભારતીય સ્વતંત્રતા પૂર્વ જ રેતી વ પત્થર ભરાવી બધાં દ્વારો ને સ્થાયી રૂપે બંધ કરાવી દીધા હતાં, જેથી તે મંદિર વધુ ક્ષતિગ્રસ્ત ના થઈ શકે. આ મંદિરમાં સૂર્ય ભગવાનની ત્રણ પ્રતિમાઓ છે:

👶બાલ્યાવસ્થા-ઉદિત સૂર્ય- ૮ ફીટ
👱યુવાવસ્થા-મધ્યાહ્ન સૂર્ય- ૯.૫ ફીટ
👴પ્રૌઢાવસ્થા-અસ્ત સૂર્ય-૩.૫ ફીટ

આના પ્રવેશ પર બે સિંહ હાથીઓ પર આક્રામક થતા રક્ષામાં તત્પર દેખાડ્યાં છે. આ સંભવતઃ તત્કાલીન બ્રાહ્મણ રૂપી સિંહોં નું બૌદ્ધ રૂપી હાથિઓ પર વર્ચસ્વ નું પ્રતીક છે. બનેં હાથી, એક-એક માનવ ઊપર સ્થાપિત છે. આ પ્રતિમાઓ એક જ પત્થરની બનેલી છે. આ ૨૮ ટનની ૮.૪ફીટ લાંબી ૪.૯ ફીટ પહોળી તથા ૯.૨ ફીટ ઊંચી છે. મંદિરના દક્ષિણી ભાગમાં બે સુસજ્જિત ઘોડા બનેલા છે, જેમને ઉડ઼ીસા સરકાર એ પોતાના રાજચિહ્ન ના રૂપ માં અંગીકાર કરી લીધા છે.

☀️આ મંદિર સૂર્યદેવ (અર્ક) ને સમર્પિત હતું, જેમને સ્થાનીય લોકો બિરંચિ-નારાયણ કહતાં હતાં. 
☀️આ જે ક્ષેત્રમાં સ્થિત હતું, તેને અર્ક-ક્ષેત્ર કે પદ્મ-ક્ષેત્ર કહેવાતું હતું. 
☀️પુરાણ અનુસાર, શ્રીકૃષ્ણ ના પુત્ર સામ્બ ને તેમના શ્રાપથી કોઢ઼ રોગ થઈ ગયો હતો. 
☀️સામ્બ એ મિત્રવનમાં ચંદ્રભાગા નદીના સાગર સંગમ પર કોણાર્કમાં, બાર વર્ષ તપસ્યા કરી, અને સૂર્ય દેવ ને પ્રસન્ન કર્યાં. 
☀️સૂર્યદેવ, જે બધાં રોગોં ના નાશક હતાં, તેમણે આના રોગનો પણ અન્ત કર્યો. તેમના સન્માનમાં, સામ્બ એ એક મંદિર નિર્માણ નો નિશ્ચય કર્યો. પોતાના રોગ-નાશ પછી, ચંદ્રભાગ નદીમાં સ્નાન કરતાં, તેને સૂર્યદેવની એક મૂર્તિ મળી.
*☀️ આ મૂર્તિ સૂર્યદેવ ના શરીર ના જ ભાગ થી, દેવશિલ્પી શ્રી વિશ્વકર્મા એ બનાવી હતી. સામ્બ એ પોતાના બનવેલ આ મિત્રવનમાં એક મંદિરમાં, આ મૂર્તિની સ્થાપના કરી. ત્યારથી આ સ્થાન પવિત્ર મનાવા લાગ્યું.*

*આ છે કોણાર્ક સૂર્ય મંદિર, જેને અંગ્રેજી ભાષામાં ‘બ્લેક પગોડા’ પણ કહેવામાં આવે છે. આશ્ચર્ય થશે છે એ જાણીને, પરંતુ વાસ્તવમાં કોણાર્ક સૂર્ય મંદિર ભગવાન કૃષ્ણ દ્વાર સૂર્યદેવને સમર્પિત ભારતનું એકમાત્ર મંદિર છે. શું તમે આ મંદિરના નામની પાછળ છુપાયેલા રહસ્ય વિશે જાણો છો? વાસ્તવમાં કોર્ણાક શબ્દને જો બે ભાગમાં વહેંચવામાં આવે તો આ ‘કોણ’ તથા ‘અર્ક’ બને છે.*
 
*🎊🎊🎉અહીં છે સ્થિત:*
 
કોણનો અર્થ છે કિનારામાં હોવું, નદીના કિનારા અથવા પછી કોઈ દિશાના કિનારે સ્થિત હોવું. તથા અર્કથી તાત્પર્ય છે સૂર્ય ભગવાન, કદાચ એટલે જ આ મંદિર ભારતના દક્ષિણી રાજ્ય પુરીના ઉત્તર પૂર્વી કિનારા પર સમુદ્ર તટને નજીક નિર્માણ કરવામાં આવ્યું છે.

 🎊🎉🎊🎉🎊🎉🎊🎉🎉
*1. ઓરિસ્સાના કોણાર્ક સૂર્ય મંદિરનો આકાર રથ જેવો જોવા મળે છે. આ મંદિર ભારકની મધ્યકાલીન વાસ્તુકળાનું અનોખું ઉદાહરણ છે.*
 
*2. આ મંદિરનું નિર્માણ રાજા નરસિંહદેવે 13મી સદીમાં કરાવ્યું હતું. આ મંદિર વિશિષ્ટ આકાર અને શિલ્પકલાના કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.*
 
*3. લગભગ 112 વર્ષથી મંદિરમાં રેતી ભરેલી છે. ઘણાં આક્રમણો અને પ્રાકૃતિક આપત્તિઓના કારણે મંદિરને નુકસાન પહોંચ્યું હતું. આ માટે 1903માં આ મંદિરને બંધ કરવામાં આવ્યું હતું.*
 
*4. ત્યાં જનારા લોકોને ઘણીવાર આ વાતની જાણ નથી હોતી કે, મંદિરનો મુખ્ય ભાગ જગમોહન મંડપ બંધ હોય છે.*
 
5. એક અન્ય માન્યતા મુજબ ભગવાન કૃષ્ણના બાર વર્ષથી લગવાગ્રસ્ત પુત્રને સાંબને સૂર્યદેવે ઠીક કર્યો હતો. આ માટે શ્રીકૃષ્ણે સૂર્ય દેવને સમર્પિત આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
 
6. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે, સૂર્ય દેવના રથમાં બાર જોડી પૈડા છે અને રથને ખેંચવા માટે તેમાં 7 ઘોડા જોડવામાં આવે છે. આ માન્યતાના આધારે કોણાર્કમાં પણ રથના આકારનું મંદિર બનાવવામાં આવ્યું, જેમાં પથ્થરના પૈડા અને ઘોડા બનાવવામાં આવ્યાં છે.
 
7. અહીંની સૂર્ય પ્રતિમા પુરીના જગન્નાથ મંદિરમાં સુરક્ષિત રાખવામાં આવી છે અને હાલ આ મંદિરમાં કોઇ દેવ મૂર્તિ નથી.
 
*8. સૂર્ય મંદિર સમયની ગતિને પણ દર્શાવે છે, જેને સૂર્ય દેવ નિયંત્રિત કરે છે.*
 
*9. પૂર્વ દિશાની તરફ જોડાયેલાં 7 ઘોડા સપ્તાહના સાત દિવસોનું પ્રતીક છે.*
 
*10. 12 જોડી પૈડા દિવસના ચોવીસ કલાક દર્શાવે છે, ત્યાં જ તેમાં રહેલાં 8 તાર દિવસના આઠ પ્રહરનું પ્રતીક છે.*
 
*11. થોડાં લોકોનું માનવું છે કે, 12 જોડી પૈડા વર્ષના બાર મહિનાને દર્શાવે છે.*
 
*12. મંદિરમાં પથ્થરો ઉપર ઘણાં વિષયો અને દ્રશ્યો પર મૂર્તિઓ બનાવવામાં આવી છે. આ મૂર્તિઓ ખૂબ જ આકર્ષક છે અને આ મંદિરની ઓળખાણ છે.*


*🌞🌝🌞કોનાર્કનું સૂર્યમંદિર☀️🌟*
*🔳🔲⚫️બ્લેક પેગોડા🔳🔲⚫️🔲*
🌞🌝☀️🌞🌝☀️🌞🌝🌞🌝☀️🌞
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*🌞કોણાર્ક શબ્દ, કોણ અને અર્ક શબ્દોના મિલનથી બન્યો છે.*
*🌞અર્કનો અર્થ થાય છે, સૂર્ય જ્યારે કોણનો અભિપ્રાય ખુણો અથવા તો કિનારા સાથે રહ્યો હશે.🌖🌕 કોણાર્કનું સૂર્ય મંદિર પુરીના ઉત્તર પૂર્વીય કિનારા પર સમુદ્ર તટ નજીક નિર્મિત છે. અનેક ઇતિહાસકારોનું માનવું છે કે, 🌞🌝કોણાર્ક મંદિરના નિર્માણકર્તા, રાજા લાંગૂલ નૃસિંહદેવના અકાળે મોતના કારણે મંદિરના નિર્માણનું કાર્ય અટકી ગયું. તેના પરિણામસ્વરૂપ અધૂરો ઢાંચો ધ્વસ્ત થઇ ગયો, 🌕પરંતુ આ મતને ઐતિહાસિક આંકડાઓનું સમર્થન મળતું નથી. પૂરીના મદલ પંજીના આંકડાઓ અનુસાર અને ૧૨૭૮  ઇ.ના તામ્રપત્રોથી જાણા મળે છે કે,🌖 રાજા લાંગૂલ નૃસિંહદેવએ ૧૨૮૨  સુધી શાસન કર્યું. અનેક ઇતિહાસકારનો મત પણ છે કે,——-કોણાર્ક મંદિરનું નિર્માણ ૧૨૫૩ થી ૧૨૬૦ની વચ્ચે થયું હતું.*
*🌟⭐️તેથી મંદિરનું અપૂર્ણ નિર્માણ અને તેનું ધ્વસ્ત થવાનું કારણ હોવાનું તર્કસંગત નથી.*

જિંદગીમાં લહાવો લેવાનો વખત બહુજ જુજ આવે છે એ કયારેક અંગત પણ હોય કે ક્યારેક કોઈ સારી જગ્યા જોવાનો હોય !!! મારી ઘણી જ તમન્ના હતી કે હું કોનાર્કનું સૂર્યમંદિર જોઉં આમેય અમે સૂર્યવંશીઓ એટલે સૂર્યની પૂજા કરતાં હોઈએ છીએ સૂર્યની પૂજા તો આદિકાળથી ચાલી જ આવી છે પણ વાત પૂજાની નહિ એમના મંદિરોની કરવાની છે.
🌞🌝🌞🌝🌞🌝🌞🌝🌞🌝🌞


પથ્થરોઆટલાં વિશાળ હશે ……..કોને ખબર?
પથ્થરો આટલું બોલકાં હશે ………કોને ખબર?
પથ્થરો આટલાં વાચાળ હશે ……..કોને ખબર?
પથ્થરો પણ કૈંક કહેતાં હશે ………કોને ખબર?
પથ્થરો કેટકેટલું લખતાં હશે ……..કોને ખબર?
પથ્થરો આટલું જીવતા હશે ……….કોને ખબર?

*👆———–જનમેજય અધ્વર્યુ*

*🌟કવિવર રવીન્દ્રનાથ ટાગોરનાં શબ્દો છે કોણાર્ક માટે👇*
👉” કોણાર્ક જ્યાં પથ્થરોની ભાષા મનુષ્યની ભાષા કરતાં શ્રેષ્ઠતર છે ……”

*આ વાત અક્ષરસહ સાચીજ છે એતો જયારે જાતે જોઈએ ને ત્યારે જ ખબર પડે !!!*

*કોણાર્કનું સૂર્યમંદિર ભારતના ઓરિસ્સા રાજ્યનાં પૂરી જિલ્લામાં કોણાર્કનમન એક્નાકળ કસ્બામાં સ્થિત છે. 🎪સૂર્યમંદિર પોતાના નિર્માણના ૭૫૦ વર્ષ પછી પણ પોતાની અદ્વિતીયતા, વિશાળતા અને કલાત્મક ભવ્યતાથી દરેકને નિરુત્તર કરી દે છે. વાસ્તવમાં જેને આપણે કોણાર્કના સૂર્યમંદિરનાં રૂપમાં જાણીએ છીએ -ઓળખીએ છીએ એ એની 👁‍🗨પાર્શ્વમાં બનેલો એ સૂર્યમંદિરનો જગમોહન કે મહામંડપ છે !!! જે બહુજ પહેલાથી દ્વસ્ત થઇ ચુક્યો છે !!!!🎯👉 કોણાર્કના સૂર્યમંદિરને અંગ્રેજીમાં બ્લેક પેગોડા પણ કહેવાય છે !!!!*

*🔘🔷⚪️આને 🔴લાલ બલુઆ પત્થર તથા ⚫️કાળા ગ્રેનાઇટ પત્થર થી ઈ.સ. ૧૨૩૬– ૧૨૬૪ માં ગંગ વંશના રાજા નૃસિંહદેવ દ્વારા બંધાવવામાં આવ્યું. આ મંદિર, ભારતના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાં એક છે. 🔵આને યુનેસ્કો દ્વારા સન ૧૯૮૪માં વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાયું છે.[ 🔷કલિંગ શૈલી માં નિર્મિત] આ મંદિર સૂર્ય દેવના રથ ના રૂપ માં નિર્મિત છે. અને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શી કરીને ખૂબ જ સુંદર બનાવાયા છે. 🏛સંપૂર્ણ મંદિર સ્થળને એક બાર જોડી ચક્રોવાળા, સાત ઘોડા થી ખેંચાતા સૂર્ય દેવ ના રથના રૂપમાં બનાવ્યા છે. મંદિર પોતાની કામુક મુદ્રાઓ વાળી શિલ્પાકૃતિઓ માટે પણ પ્રસિદ્ધ છે. આજે આનો ઘણો ભાગ ધ્વસ્ત થઈ ચુક્યો છે. આનું કારણ વાસ્તુ દોષ તથા મુસ્લિમ આક્રમણો કહેવાય છે. અહીં સૂર્યને બિરંચિ-નારાયણ કહેતા હતાં.*

*⛩🕋પુરાવિદ અને વાસ્તુકાર મંદિરની સંરચના , મૂર્તિશિલ્પ અને પથ્થરો પર અંકિત આક્રુતીઓને વૈજ્ઞાનિક, તકનીકી અને તાર્કિક કસોટીઓ પર કસીને તથ્યોને દુનિયાની આમે રાખે છે અને આ કામ લગાતાર ચાલુ જ છે. બહરહાલ આ મહામંડપ અથવા જગમોહનની વિરાટતા ભલે ભગ્ન થઇ ગઈ હોય પણ મુખ્ય મંદિરના ધાર પર ઉત્કીર્ણ સજ્જથી જ એને યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળની પહેચાન મળી છે !!!!*

*🏛ભારતમાંથી જ નહિ પણ દુનિયાભરનાં લાખો લોકો આને જોવાં માટે કોણાર્ક આવે છે. કોણાર્કમાં બનેલી આ ભવ્ય કૃતિને સહજ જોઇને સમજવી કઠીન છે કે આ કેવી રીતે બની હશે!!! એને જોવાનો અન્નદ ત્યારે જ છે એનાં ઈતિહાસની પૃષ્ઠભૂમિ માં જઈને એને જોવામાં આવે !!!*

*⛩🕋🕋સ્થાપના🌠🎇*

*⛩🕋સૂર્યમંદિરને ગંગ વંશના રાજા નરસિમ્હા દેવ પ્રથમે લગભગ ઈસ્વીસન ૧૨૭૮માં બનાવ્યું હતું કહેવાય છે કે આ મંદિર પોતાની પૂર્વ નિર્ધારિત અધિકાલ્પનાનાં આધાર પર નહોતું બનાવી શકાયું. મંદિરના ભારે ગુંબજના હિસાબે એની નીચ નહોતી બની !!! અહીના સ્થાનીય લોકોના માનવા પ્રમાણે આ ગુંબજ મંદિરનો જ હિસ્સો હતો પણ એની ચુંબકીય શક્તિને કારણે એ જયારે સમુદ્રી તોફાનો અને ભરતીને કારણે દુર્ઘટનાગર્સ્ત થવા લાગ્યો. ત્યારે આ ગુંબજ ત્યાંથી હટાવી લેવાયો હતો. કદાચ આજ કારણે એને બલેક પેગોડા પણ કહેવામાં આવે છે !!!!*

*🌠🌄🌠સૂર્ય મંદિરનુ સ્થાપત્ય*

🕋આ મંદિર સૂર્ય દેવના રથના રૂપમાં નિર્મિત છે. અને પત્થર પર ઉત્કૃષ્ટ નક્શી કરીને ખૂબ જ સુંદર બનાવાયું છે. સંપૂર્ણ મંદિર સ્થળને એક બાર જોડી ચક્રોવાળા, સાત ઘોડાથી ખેંચાતા સૂર્ય દેવના રથના રૂપમાં બનાવાયું છે. મંદિરની સંરચના, જે સૂર્યના સાત ઘોડા દ્વારા દિવ્ય રથને ખેંચવા પર આધારિત છે, પરિલક્ષિત હોય છે. હવે આમાંથી એક જ ઘોડો બચ્યો છે. આ રથના પૈડાં, જે કોણાર્કની ઓળખ બની ગયા છે,🌄🌠ઘણાં ચિત્રોમાં દેખાય છે. મંદિરના આધાર ને સુંદરતા પ્રદાન કરતા આ બાર ચક્ર વર્ષના બાર મહિના ને પ્રતિબિંબિત કરે છે. જ્યારે પ્રત્યેક ચક્ર આઠ આરાથી મળી ને બન્યો છે જે દિવસના આઠ પહોરને દર્શાવે છે.

⛩🌠🛤મુખ્ય મંદિર ત્રણ મંડપોમાં બનેલ છે.
આમાંથી બે મંડપ પડી ગયા છે.
ત્રીજા મંડપમાં જ્યાં મૂર્તિ હતી ત્યાં અંગ્રેજોએ ભારતીય સ્વતંત્રતા પૂર્વ જ રેતી અને પત્થર ભરાવી બધાં દ્વારોને સ્થાયી રૂપે બંધ કરાવી દીધા હતાં, જેથી તે મંદિર વધુ ક્ષતિગ્રસ્ત ના થઈ શકે. આ મંદિરમાં સૂર્ય ભગવાનની ત્રણ પ્રતિમાઓ છે:

*[૧] બાલ્યાવસ્થા-ઉદિત સૂર્ય- ૮ ફીટ*
*[૨] યુવાવસ્થા-મધ્યાહ્ન સૂર્ય- ૯.૫ ફીટ*
*[૩] પ્રૌઢાવસ્થા-અસ્ત સૂર્ય-૩.૫ ફીટ*

🏛આના પ્રવેશ પર બે સિંહ હાથીઓ પર આક્રમક થતા રક્ષામાં તત્પર દેખાડ્યાં છે. આ સંભવતઃ તત્કાલીન બ્રાહ્મણ રૂપી સિંહોંનું બૌદ્ધ રૂપી હાથીઓ પર વર્ચસ્વનું પ્રતીક છે. બનેં હાથી, એક-એક માનવ ઊપર સ્થાપિત છે. આ પ્રતિમાઓ એક જ પત્થરની બનેલી છે. 🕋⛩આ ૨૮ ટનની ૮.૪ ફીટ લાંબી ૪.૯ ફીટ પહોળી તથા ૯.૨ ફીટ ઊંચી છે. મંદિરના દક્ષિણી ભાગમાં બે સુસજ્જિત ઘોડા બનેલા છે, જેમને ઑડિશા સરકારે પોતાના રાજચિહ્નના રૂપમાં અંગીકાર કરી લીધા છે. ૧૦ ફીટ લાંબા અને ૭ ફીટ પહોળા છે. મંદિર સૂર્ય દેવની ભવ્ય યાત્રાને બતાવે છે. આના પ્રવેશ દ્વાર પર જ નટ મંદિર છે. આ તે સ્થાન છે, જ્યાં મંદિરની નર્તકિઓ, સૂર્યદેવ ને અર્પણ કરવા માટે નૃત્ય કરતી હતી. પૂરા  મંદિરમાં જ્યાં ત્યાં ફૂલ-બેલ અને ભૌમિતીક નમૂનાની નક્શીની ગકરાઈ છે. આ સાથે જ માનવ, દેવ, ગંધર્વ, કિન્નર આદિની આકૃતિઓ પણ એન્દ્રિક મુદ્રાઓમાં દર્શિત છે. આમની મુદ્રાઓ કામુક છે, અને કામસૂત્રથી લેવાઈ છે. મંદિર હવે અંશિક રૂપે ખંડેરમાં પરિવર્તિત થઈ ચુક્યો છે. અહીંની શિલ્પ કળાકૃતિઓ નો એક સંગ્રહ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ ના સૂર્ય મંદિર સંગ્રહાલય માં સુરક્ષિત છે.
 
*🎇⛩🕋તેરમી સદીનું મુખ્ય સૂર્ય મંદિર, એક મહાન રથ રૂપ માં બનેલ છે, જેના બાર જોડ઼ી સુસજ્જિત પૈડાં છે,હતથા સાત ઘોડાં દ્વારા ખેંચાય છે. આ મંદિર ભારતના ઉત્કૃષ્ટ સ્મારક સ્થળોમાં એક છે. અહીંના સ્થાપત્ય અનુપાત દોષો રહિત તથા ગુણોત્તર આશ્ચર્યચકિત કરવાવાળા છે. અહીંની સ્થાપત્યકળા વૈભવ તથા માનવીય નિષ્ઠાના સૌહાર્દપૂર્ણ સંગમ છે. મંદિરની પ્રત્યેક ઇંચ, અદ્વિતીય સુંદરતા અને શોભાની શિલ્પાકૃતિઓથી પરિપૂર્ણ છે. આના વિષય પણ મોહક છે, જે સહસ્ર શિલ્પ આકૃતિઓ ભગવાનોં, દેવતાઓ, ગંધર્વોં, માનવો, વાદ્યકો, પ્રેમી યુગલો, દરબારની છબીઓ, શિકાર તથા યુદ્ધના ચિત્રો થી ભરેલ છે. આની વચ્ચે વચ્ચે પશુ-પક્ષીઓ (લગભગ બે હજાર હાથી, કેવળ મુખ્ય મંદિરના આધારની પટ્ટી પર ભ્રમણ કરતા) અને પૌરાણિક જીવો, સિવાય મહીન અને પેચીદા વેલ બૂટા તથા ભૌમિતીક નમૂના અલંકૃત છે.હઑડિયા શિલ્પકળાની હીરા જેવી ઉત્કૃષ્ત ગુણવત્તા પૂરા પરિસરમાં અલગ દેખાય છે.*

*🌌🌅🌠વાસ્તુ રચના*

⛩સ્થાન ચયનથી માંડીને મંદિર નિર્માણની સામગ્રીની વ્યવસ્થા અને મૂર્તિઓના નિર્માણ માટે મોટી યોજનાને રૂપ આપવમાં આવ્યું કેમકે એ કાળમાં નિર્માણ વાસ્તુશાસ્ત્રનાં આધાર પર જ થતો હતો. એટલાં માટે મંદિર નિર્માણમાં ભૂમિથી લઈને સ્તઃન તથા દિન ચયનમાં નીરધારિત નિયમોનું પાલન કરવામાં આવતું હતું. આનાં નિર્માણમાં ૧૨૦૦ કુશળ શિલ્પીઓએ ૧૨ વર્ષ સુધી લગાતાર કામ કર્યું હતું. શિલ્પીઓને એ નિર્દેશ હતો કે એક વાર નિર્માણ આરંભ થઈ જાય પછી એ બીજે કશે જઇ શકશે નહીં !!!! નિર્માણ સ્થળમાં નિર્માણ યોગ્ય પથ્થરોનો અભાવ હતો. એટલાં માટે સંભવત યા નિર્માણ સામગી નદીમાર્ગે અહીંયા લાવવામાં આવી હતી એને મંદિરની નજીક ઉતારવામાં આવ્યાં !!!!

🕋⛩પથ્થરોને સ્થિરતા પ્રદાન કરવાં માટે જંગરહિત લોખંડના સળિયાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમાં પથ્થરોને એવી રીતે કંડારવામાં આવ્યાં કે ક્યા જોડ-સાંધો છે એની ખબર જ  ના પડે !!!
 
*🎯આ સૂર્યમંદિર ભારતનું એકમાત્ર સૂર્ય મંદિર એવું છે કે જે આખી દુનિયામાં પોતાની ભવ્યતા અને બનાવટ માટે જાણીતું છે. સૂર્યમંદિર ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરથી ૬૫ કિલોમીટર દૂર કોણાર્કમાં પોતાનાં સમયની ઉત્કૃષ્ટ વાસ્તુ રચના છે. પૂર્વી ગંગ વંશના રાજા નરસિમ્હા દેવ પ્રથમે સૂર્યદેવ પ્રથમે તેરમી શતાબ્દીમાં બનાવડાવ્યું હતું. પ્રાચીન ઓરિયા સ્થાપત્ય કલાનો આ મંદિર ઉત્તમ નમુનો છે !!! સૂર્યમંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે એ  બધાંનેજ આકર્ષિત કરે છે. સૂર્યને ઉર્જા, જીવન અને જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે !!!!*
🌟⭐️🌟⭐️સૂર્ય દેવતાની બધીજ સંસ્કૃતિઓમાં પૂજા કરાય છે. સૂર્યની આ મંદિરમાં માનવીય આકારમાં મૂર્તિ છે જે અન્યત્ર ક્યાંય નથી !!!!

*🌕🌕🌕આ મંદિરને જોઈને એવું પ્રતીત થાય છે કે એ પોતાનાં સાત ઘોડા વાળા રથ પર બિરાજમાન સૂર્યદેવ જાણે હમણાં હમણાં જ પ્રસ્થાન કરવાના ના હોય. આ મૂર્તિ સૂર્યમંદિરની સૌથી ભવ્ય મૂર્તિઓમાની એક છે*

*સૂર્યની ચાર પત્નીઓ*
*[૧] રજની*
*[૨] નિક્ષુભા*
*[૩] છાયા*
*[૪] સુવાર્ચસા*
આમની મૂર્તિઓ બંને તરફ છે
સૂર્યની મૂર્તિનાં ચરણોની પાસેજ રથનો સારથી અરુણ પણ ઉપસ્થિત છે !!!

*કોણાર્ક નો અર્થ*  

*🌞કોણાર્ક શબ્દ, કોણ અને અર્ક શબ્દોના મિલનથી બન્યો છે.*
*🌞અર્કનો અર્થ થાય છે, સૂર્ય જ્યારે કોણનો અભિપ્રાય ખુણો અથવા તો કિનારા સાથે રહ્યો હશે.🌖🌕 કોણાર્કનું સૂર્ય મંદિર પુરીના ઉત્તર પૂર્વીય કિનારા પર સમુદ્ર તટ નજીક નિર્મિત છે. અનેક ઇતિહાસકારોનું માનવું છે કે, 🌞🌝કોણાર્ક મંદિરના નિર્માણકર્તા, રાજા લાંગૂલ નૃસિંહદેવના અકાળે મોતના કારણે મંદિરના નિર્માણનું કાર્ય અટકી ગયું. તેના પરિણામસ્વરૂપ અધૂરો ઢાંચો ધ્વસ્ત થઇ ગયો, 🌕પરંતુ આ મતને ઐતિહાસિક આંકડાઓનું સમર્થન મળતું નથી. પૂરીના મદલ પંજીના આંકડાઓ અનુસાર અને ૧૨૭૮  ઇ.ના તામ્રપત્રોથી જાણા મળે છે કે,🌖 રાજા લાંગૂલ નૃસિંહદેવએ ૧૨૮૨  સુધી શાસન કર્યું. અનેક ઇતિહાસકારનો મત પણ છે કે,——-કોણાર્ક મંદિરનું નિર્માણ ૧૨૫૩ થી ૧૨૬૦ની વચ્ચે થયું હતું.*
*🌟⭐️તેથી મંદિરનું અપૂર્ણ નિર્માણ અને તેનું ધ્વસ્ત થવાનું કારણ હોવાનું તર્કસંગત નથી.*

*🌸લવ મેકિંગની શિક્ષા આપતી મૂર્તિઓ*

કોણાર્કનું સૂર્ય મંદિર કામુકતાની એક નવી પરિભાષા આપે છે.
અહીં બનેલી મૂર્તિઓમાં ખૂબ જ સુંદરતા સાથે કામ અને સેક્સને દર્શાવવામાં આવ્યું છે. અહીં બનેલી મૂર્તિઓ પૂર્ણ રીતે યૌન સુખનો આનંદ લેતી દર્શાવવામાં આવી છે. મજાની વાત એ છે કે, આ મૂર્તિઓને બહાર સુધી જ સીમિત કરવામાં આવી છે, આમ કરવા પાછળનું કારણ એવું દર્શાવવામાં આવે છે કે, જ્યારે પણ કોઇ મંદિરના ગર્ભ ગૃહમાં જાય તો તે તમામ પ્રકારના સાંસારિક સુખો અને મોહ માયાને મંદિરની બહાર છોડીને આવે.

આ મંદિર પોતાની કામુક મુદ્રાઓ વાળી શિલ્પાકૃતિઓ ના માટે પણ પ્રસિદ્ધ છે. આ પ્રકારની આકૃતિઓ મુખ્યતઃ દ્વારમંડપના દ્વિતીય સ્તર પર મળે છે. હજારો માનવ, પશુ તથા દિવ્ય લોકો આ જીવન રૂપી મેળામાં કાર્યરત દેખાય છે, જેમાં આકર્ષક રૂપે એક યથાર્થવાદનો સંગમ કરેલો છે. આ ઑડિશાની સર્વોત્તમ કૃતિ છે. આની ઉત્કૃષ્ટ શિલ્પ-કળા, નક્શ, તથા પશુઓ તથા માનવ આકૃતિઓનું સટીક પ્રદર્શન, આને અન્ય મંદિરોથી ઘણું બેહતર સિદ્ધ કરે છે.


 
🌼🌻🌻સૂર્ય મંદિર ભારતીય મંદિરોની કલિંગ શૈલીનું છે, જેમાં કોણીય અટ્ટાલિકા (મીનાર રૂપી) ની ઉપર મંડપની જેમ છત્રી ઢંકાયેલી હોય છે. આકૃતિમાં, આ મંદિર ઑડિશાના અન્ય શિખર મંદિરોથી ખાસ ભિન્ન નથી લાગતું. ૨૨૯ ફીટ ઊંચા મુખ્ય ગર્ભગૃહ ૧૨૮ ફીટ ઊંચી નાટ્યશાલા સાથે જ બનેલ છે. આમાં બાહર નિકળેલી અનેક આકૃતિઓ છે. મુખ્ય ગર્ભમાં પ્રધાન દેવતાનો વાસ હતો,હકિંતુ તે હવે ધ્વસ્ત થઈ ચુક્યો છે.
નાટ્યશાલા હજી પૂરી બચી છે. નટ મંદિર તથા ભોગ મંડપ ના અમુક જ ભાગ ધ્વસ્ત થયાં છે. મંદિર નું મુખ્ય પ્રાંગણ ૮૫૭ ફીટ X ૫૪૦ ફીટ નું છે. આ મંદિર પૂર્વ –પશ્ચિમ દિશા માં બનેલ છે. મંદિર પ્રાકૃતિક હરિયાળી થી ઘેરાયેલ છે. આમાં કૈજ઼ુએરિના તથા અન્ય વૃક્ષ રોપેલ છે, જે રેતીલી ભૂમિ પર ઉગે છે. અહીં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા બનાવેલ ઉદ્યાન છે.

*⭐️🌟🌟⭐️કલાનું અદ્ભુત સૌંદર્ય*

કોણાર્ક ઓરિસ્સાની પ્રાચીન વાસ્તુશૈલીનું વિશિષ્ટ મંદિર છે. જેમાં મંદિરમાં મુખ્ય મંદિર, મહામંડપ, રંગશાળા તથા સંટા ભોગ્ મંડપ હોતા હતાં. એમાં ખુબસુરતીથી જગમોહન અને મુખ્ય મંદિર એક સાથે જોડાયેલાં હતાં. કોણાર્ક મંદિરમાં થોડીક ભિન્નતા છે. અહીંયા જગમોહન અને મુખ્ય મંદિર સાથસાથે એકબીજા સાથે સંલગ્ન હતાં. પૂર્વમાં સ્થિત પ્રવેશદ્વારા પછી નટમંડપ છે. દ્વાર પર બંનેબાજુ બે વિશાળકાય સિંહ એક હાથીને દબોચેલા છે !!! નાટ્યમંડપ પર સ્તંભોને તરાશીને વિભિન્ન આક્રુતીઓથી સજ્જિત કરવામાં આવેલાં છે. મંદિર નો ભોગોમંડપ મંદિરની પુથ્ક નિર્મિત છે !!!

*કામુક મુદ્રાઓની શિલ્પ આકૃતિ મંદિરની વિશેષતા*

મંદિરને રથનું સ્વરૂપ આપવાં માટે મંદિરના આધાર પર બંને બાજુ અને એક જ જેવાં પથ્થરનાં ૨૪ પૈડા બનવવામાં આવ્યાં. પૈડાંઓને ખેંચવા માટે ૭ ઘોડાઓ બનાવવામાં આવ્યાં
આ પૈડાંઓનો વ્યાસ ૩ મીટર છે !!! મંદિરની ડીઝાઈન અને અંકરણમાં એ સમયનાં સામાજિક અને સંસ્કૃતિક પરિવેશને ધ્યાનમાં રખાયો હતો. આધારની બહારની દીવાલ પર લાગેલાં પથ્થરો પર વિભિન્ન આકૃતિઓ એ પ્રકારે કંડારવામાં આવી છે કે જીવંત લાગે !!! એમાં કેટલાક સ્થાનો પર ખજુરાહોની જેમ કામાતુર આકૃતિઓ તો ક્યાંક ક્યાંક નારી સૌંદર્ય , મહિલા અને પુરુષ વાડકો અને નર્તકીઓના વિભિન્ન ભાવ -ભંગીમાઓને આકારવામાં આવ્યાં છે !!!


*⭐️🌟કોણાર્કમાં પાષાણ કળા*

આનાં સિવાય મંદિરમાં માનવ, ઝાડ-પાન ,જીવ-જંતુઓ ની સાથે પુશ્પીય્ત્વ જયોતિર્મય અંકરણ છે. મંદિરનો મહામંડપ ચુબુત્ર સહીત કુલ ૩૯ મીટર છે. આની વિશાળતાથી મુખ્ય મંદિરની ઉંચાઈનું અનુમાન લગાવી શકાય છે. જે સંભવત:  લિંગરાજ અને જગન્નાથ પૂરીથી પણ ભવ્ય રહ્યું હશે !!!

🌖🌗પુરાતત્વ વેત્તા મહામંડપની પાછળ આ રેખા મંદિર કે ઉર્ધ્વ મંદિરની ઊંચાઈ ૬૫ મીટર સુધી માને છે. આ મંદિરની એક તરફ સદા ત્રણ મીટર સૂર્યદેવની મૂર્તિ બેહદ આકર્ષક છે. આ મંદિરની મૂર્તિઓ લેહરાઈટ -કલોરાઈટ અને ખોન્ડોલાઈટ નામનાં પથ્થરોથી બનાવેલી છે. કોનાર્કમાં તો પથ્થરો મળતાં જ નથી એટલાં માટે એવું અનુમાન લગાવી શકાય કે નરસિમ્હા દેવે એને બહારથી મંગાવ્યા હોય !!!

*🔰🔰આ મંદિરના ત્રણ હિસ્સા છે*

[૧] નૃત્યમંદિર
[૨] જગમોહન
[૩] ગર્ભગૃહ

મંદિરનો મહામંડપ બેહદ આકાર્ક છે. જેનું શીર્ષ પિરામિડ આકારનું છે. આમાં બીભિન્ન સ્તરો પર સૂર્ય, ચંદ્ર, મંગળ,બુધ, શનિ આદિ નક્ષત્રો ની પ્રતિમાઓ છે. એનાં ઉપર વિશાલ આમલક છે. સમીપમાં જ સૂર્યની પત્ની માયાદેવી અને વૈષ્ણવ મંદિર ખંડિત અવસ્થામાં છે. એની સમીપમાં જ ભોગમંડપ હતો …… એક નવગ્રહ મંદિર પણ અહીંયા છે !!!

*🔰🔰નાટ્યશાળા* 

જેવું કોઈપણ આ મંદિરનાં પૂર્વીય પ્રવેશદ્વારથી અંદર દાખલ થાય તો સામે એક નાટયશાળા નજરે પડે છે એની છત હવે નથી રહી. કોણાર્ક નૃત્યોત્સવ સમયે દર વર્ષે અહીંયા દેશના વિખ્યાત નામી કલાકારો પોતાની આગવી પ્રર્તીભાનું પ્રદર્શન કરે છે !!!!

👉કોનાર્કનું ઐતીહાસિક મહત્વ, વર્તમાન મંદિરની સ્થાપના,એના પરિત્યાગ કરવાથી લઈને મુખ્ય મંદિર ધ્વસ્ત થવાં વિષે અનેકાનેક માન્યતાઓ અને અનુશ્રુતીઓ છે. મંદિરના સંબંધમાં ઘણી વાતો આજે પણ ઇતિહાસના ગર્ભમાં છુપાઈ ગયેલી છે !!! એટલાં માટે ઘણી બાબતો અને વાતોથી વિદ્વદજન એકમત નથી !!! સ્કંદપુરાણમાં કોણાર્કની ઓળખમાં સૂર્યક્ષેત્ર, બ્રહ્મપુરાણમાં કોણાદિત્ય, કપિ સંહિતામાં રવિ ક્ષેત્ર, ભામ્ભપુરાણ માં મીત્રવન અને પ્રાચીન મહાત્મ્યમાં ચક્રતીર્થ આદિ નામોથી કરવામાં આવી છે.

*અહીં નિકટમાં જ એક સૂર્ય મંદિર હતું*

પુરાણોમાં વર્ણિત મિત્રવન અને ચંદ્રભાગાની ઓળખાણ માટે અનેક જુદાંજુદાં તર્ક-વિતર્ક છે. કેટલાક લોકો એને પાકિસ્તાનના મુલ્તાનમાં બતાવે છે. જેનું પ્રાચીન નામ ભામ્બાપુરા હતું અને અહીંથી જ ચિનાબ અને ચંદ્રભાગા પસાર થાય છે. અહીં કોણાર્કમાં ભામ્બાપુરા તો નથી જ પણ મંદિરથી ૨ કિલોમીટર દૂર ચન્દ્રભાગનો તટ છે. જ્યાં માઘ મહિનાની સપ્તમીએ વિશાલ મેલો ભરાય છે. ગંગ નરેશ નરસિમ્હાદેવે મંદિરનું નિર્માણ કેમ કરાવ્યું એને લઈને અનેક માન્યતાઓ છે !!!!

*🔘🔰🔘બાર મહિનાનું પ્રતિક ચક્ર*

દીવાલ પર મંદિરની બહાર બનેલુ વિશાળકાય ચક્ર પર્યટકોનું ધ્યાન અવશ્ય ખેંચે છે. દરેક ચક્રનો વ્યાસ ૩ મીટર કરતાં વધારે છે. ચક્રોની નીચે હાથીઓના સમૂહને બેહદ બારીકાઈથી અંકિત કરાયેલો છે. સૂર્યદેવતાનાં રથનાં ચબુતરા પર બાર જોડી ચક્ર છે. જે વર્ષના બાર મહિનાના પ્રતિક છે.

*નૃત્ય કરતી સુંદરીઓની આત્માઓ* ———

કોણાર્ક અંગે એક મિથક એ પણ છે કે અહીં આજે પણ નર્તકીઓની આત્માઓ આવે છે. જો કોણાર્કના જૂના લોકોની વાત માનીએ તો અહીં તમને સાંજે એ નર્તકીઓના પાયલની ઝણકાર સાંભળવા મળશે. જે ક્યારેક અહીંના રાજાના દરબારમાં નૃત્ય કરતી હતી.

*મંદિરનું રહસ્યમય ચુંબક* 

આ મંદિરનું એક પ્રમુખ આકર્ષણ અહીં મોજૂદ ચુંબક છે. આ ચૂંબક પર પણ અનેક રહસ્ય અને કથાઓ છે. અનેક કથાઓ અનુસાર, સૂર્ય મંદિરના શિખર પર એક ચુંબક પથ્થર લાગેલો છે, જેના પ્રભાવથી, કોણાર્કના સમુદ્રમાંથી પસાર થતા, સાગરપોત, તેની તરફ ખેંચાઇ આવે છે, જેનાથી ભારે નુક્સાન થાય છે. અન્ય કથા અનુસાર આ પથ્થરના કારણે પોતોંને ચુંબકિય દિશા નિરુપણ યંત્ર સાચી દિશા નથી દર્શાવતા,
👉જેના કારણે પોતાના પોતોંને બચાવવાના હેતુસર મુસ્લિમ નાવિક આ પથ્થરને કાઢીને લઇ ગયા હતા. આ પથ્થર એક કેન્દ્રીય શિલાનું કાર્ય કરતો હતો, જેનાથી મંદિરની દિવાલોના બધા જ પથ્થરો સંતુલનમાં રહેતા હતા. તેને હટાવી નાખવાના કારણે, મંદિરોની દિવાલોનું સંતુલન ખોવાઇ ગયુ અને પરિણામતઃ તે પડી ગઇ. પરંતુ આ ઘટનાનું કોઇ ઐતિહાસિક વિવરણ નથી મળતુ, ના તો એવા કોઇ ચુંબકિય કેન્દ્રીય પથ્થરના અસ્તિત્વની કોઇ માહિતી ઉપલબ્ધ છે.

*👁‍🗨👁‍🗨👁‍🗨કાલાપહાડ*

કાણાર્ક મંદિર ધ્વસ્ત સંબંદિત એક મહત્વપૂર્ણ સિદ્ધાંત, કાલાપહાડ સાથે જોડાયેલો છે. ઓરિસ્સાના ઇતિહાસ અનુસાર કાલાપહાડે વર્ષ ૧૫૦૮માં માં અહીં આક્રમણ કર્યું
અને કોણાર્ક મંદિર સહિત ઓરિસ્સાના અનેક હિન્દુ મંદિર ધ્વસ્ત કર્યા. પૂરીના જગન્નાથ મંદિરના મદન પંજી જણાવે છે કે
કેવી રીતે કાલાપહાડે ઓરિસ્સા પર હુમલો કર્યો. કોણાર્ક મંદિર સહિત તેમણે અધિકાંશ હિન્દુ મંદિરોની પ્રતિમાઓને પણ ધ્વસ્ત કરી. જો કે, કોણાર્ક મંદિરની ૨૦-૨૫ ફૂટ મોટી દિવાલોને તોડવી અસંભવ હતી, તેણે કોઇપણ પ્રકારે દધિનૈતિના હલાવવાની વ્યવસ્થા કરી લીધી, જે આ મંદિર પડવાનું કારણ બન્યુ. દધિનૈતિને હટાવવાના કારણે જ મંદિર ધીરે-ધીરે પડવા લાગ્યુ અને મંદિરની છતના મોટા પથ્થરો પડવાથી મૂકશાળાની છત પણ ધ્વસ્થ થઇ ગઇ. તેણે અહીંની મોટાભાગી મૂર્તિઓ અને કોણાર્કના અન્ય અનેક મંદિરોને પણ ધ્વસ્ત કરી દીધા.

*મંદિર જેમાં પૂજા કરવામાં નથી આવી*

💠👁‍🗨આશ્ચર્યની વાત એ છે કે ——
એક તરફ જેને મંદિર કહેવામાં આવે છે, ત્યાં પૂજા ના થતી હોય તો તે પણ એક આશ્ચર્યની વાત છે. અહીંના સ્થાનિક લોકોની વાત માનીએ તો આજ સુધી મંદિરમાં ક્યારેય પણ પૂજા કરવામાં આવી નથી. હજુ સુધી આ મંદિર એક વર્જિન મંદિર છે. કહેવામાં આવે છે કે મંદિરના પ્રમુખ વાસ્તુકારના પુત્રએ રાજા દ્વારા પોતાના પિતા બાદ આ નિર્માણાધિન મંદિરની અંદર આત્મહત્યા કરી લીધી હતી,હબાદથી આ મંદિરમાં પૂજા અથવા તો કોઇ પણ ધાર્મિક અનુષ્ઠાન પર પૂર્ણતઃ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું.

*🔘🔰અર્ચના બંધ થવી*

આ બાદ ૧૫૬૮ માં ઓરિસ્સા મુસ્લિમ નિયંત્રણમાં આવી ગયું. ત્યારે પણ હિંદુ મંદિરોને તોડવાના નિરંતર પ્રયાસ થતાં રહ્યાં. આ સમયે પુરી ના જગન્નાથ મંદિર ના પંડોં એ ભગવાન જગન્નાથજીની મૂર્તિને શ્રીમંદિરથી હટાવી કોઈ ગુપ્ત સ્થાન પર છુપાવી દીધા. આ પ્રકારે, કોણાર્કના સૂર્ય મંદિર ના પંડોં એ પ્રધાન દેવતાની મૂર્તિ ને હટાવી, વર્ષોં સુધી રેતીમાં દબાવી છુપાવી રાખી. પાછળથી, આ મૂર્તિ પુરી મોકલાવી દેવાઈ,
અને ત્યાં જગન્નાથ મંદિરના પ્રાંગણમાં સ્થિત, ઇંદ્ર ના મંદિરમાં રખાવી દેવાઈ. અન્ય લોકો અનુસાર, અહીંની પૂજા મૂર્તિઓ હજી પણ શોધવાની બાકી છે. પણ ઘણાં લોકોનું કહેવું છે,કે
સૂર્ય દેવની મૂર્તિ, જે નવી દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલય માં રાખી છે, તે જ કોણાર્કની પ્રધાન પૂજ્ય મૂર્તિ છે.

તો પણ કોણાર્કમાં, સૂર્ય વંદના મંદિરથી મૂર્તિના હટવા બાદ બંધ થઈ ગઈ. આ કારણે કોણાર્કમાં તીર્થયાત્રિઓની આવન જાવન બંધ થઈ ગઈ. કોણાર્ક બંદર પણ ડાકુઓ ના હુમલા ને કારણે, બંદ થઈ ગયું. કોણાર્ક સૂર્ય વંદના ની સમાન જ વાણિજ્યિક ગતિવિધિઓ હેતુ પણ એક કીર્તિવાન નગર હતું,
પરંતુ આ ગતિવિધિઓ નું બંધ થઈ જવાને ના કારણે, આ એકદમ નિર્વાસિત થઈ ગયું, અને વર્ષોં સુધી એક ગહન જંગલથી ઢંકાઈ ગયું.

*🔰🔘સન ૧૬૨૬ માં, ખુર્દા ના રાજા, નૃસિંહ દેવ, સુપુત્ર શ્રી પુરુષોત્તમ દેવ, સૂર્યદેવની મૂર્તિને બે અન્ય સૂર્ય અને ચન્દ્રની મૂર્તિઓ સહિત પુરી લઈ ગયાં. હવે તે પુરીના મંદિરના પ્રાંગણમાં છે. પુરીના મદલ પંજીના ઇતિહાસથી જ્ઞાત થાય છે,કે સન ૧૦૨૮ માં, રાજા નૄસિંહદેવ એ કોણાર્કના બધાં મંદિરોના માપ-જોખ નો આદેશ આપ્યો હતો. માપન ના સમય સુધી, સૂર્ય મંદિર પોતાની અમલક શિલા સુધી અસ્તિત્વ માં હતું, એટલેકે લગભગ ૨૦૦ ફીટ ઊંચા. કાલાપહાડે કેવળ તેનો કલશ, પણ પદ્મ-ધ્વજા, કમલ-કિરીટ અને ઊપરી ભાગ પણ ધ્વંસ કર્યાં હતાં. પહેલાં બતાવ્યા અનુસાર, મુખશાળા સામે, એક મોટો પ્રસ્તર ખંડ – નવગ્રહ પાટ, હોતી હતી. ખુર્દાના તત્કાલીન રાજા એ તે ખંડ હટાવી દીધો, સાથે જ કોણાર્કથી ઘણાં શિલ્પ કૃત પાષાણ પણ લઈ ગયા. અને પુરીના મંદિરના નિર્માણમાં તેમનો પ્રયોગ કર્યો હતો.*

🎯મરાઠા કાળમાં, પુરીના મંદિરની ચહારદીવારીના નિર્માણમાં કોણાર્કના પત્થરનો પ્રયોગ કર્યો હતો. એમ પણ બતાવાય છે, કે નટ મંદિરના બધાં ભાગ, સૌથી લાંબા કાળ સુધી, પોતાની મૂળ અવસ્થામાં રહે છે. અને આને મરાઠા કાળ માં જાણે કરી અનુપયોગી ભાગ સમજી તોડી ગયા. સન ૧૭૭૯માં એક મરાઠા સાધુ એ કોણાર્કના અરુણ સ્તંભ ને હટાવી પુરી ના સિંહદ્વાર સામે સ્થાપિત કરાવી દીધો. અઢારમી શતાબ્દી ના અન્ત સુધી, કોણાર્ક એ પોતાનો, બધો વૈભવ ખોઈ દીધો, અને એક જંગલમાં ફેરવાઈ ગયો. આ સાથે જ મંદિરનું ક્ષેત્ર પણ જંગલ બની ગયું, જ્યાં જંગલી જાનવર અને ડાકુઓના અડ્ડા હતાં. અહીં સ્થાનીય લોકો પણ દિવસના પ્રકાશમાં જવાથી પણ ડરતાં હતાં.

*ખોજ અને સંરક્ષણ*

ઇસવીસન ૧૮૦૬માં જયારે ખબર પડી તો એ સમયે આ સ્થાન ચારેબાજુએથી પહાડીઓથી ઘેરાયેલું હતું અને રેતીથી ઢંકાયેલું હતું. ૧૮૩૩ માં એશિયાટિક સોસાયટીએ પહેલી વખત એનાં સંરક્ષણની વાત ઉઠાવી. અહીંયા થી જંગલ, ઝાડીઓ અને રેતને હટાવી લેવામાં આવ્યાં. એક વાત સારી રહી કે દબાયેલા અને ઢંકાયેલા રહેવાનાં કારણે આ મંદિર લુંટારાઓ અને તોડફોડીયાઓ થી સુરક્ષિત રહ્યું. એ સમયે મંદિરનું જગમોહન સુરક્ષિત હતું. જયારે મુખ્ય મંદિરનો પાછળનો હિસ્સો ધ્વસ્ત અવસ્થામાં હતો અને ચારે બાજુએથી ખંડિત મંદિરના પથ્થરોની બહુલતા હતી. ૧૯૦૦માં અહીંયા વાસ્તવિક સંરક્ષણ કરવાનો પ્રયાસ થયો !!! ખંડિત હિસ્સામાં પુરાની સંરચના અનુસાર સંરક્ષિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મહામંડપ જે પડવાની તીયારીમાં જ હતો એને બચાવવામા તેની તિરાડોને પૂરવામાં આવી આને માટે મહામંડપના આંતરિક ભાગને પથ્થરોથી ભરી દેવામાં આવ્યાં
શેષ બંને બાજુનાં દરવાજાઓને ચિનાઈ કરીને બંદ કરી દેવામાં આવ્યાં. આનાં પર લાગેલાં પથ્થરોનો રસાયણિક ઉપચાર કરીને મંદિરનાં સ્વરૂપે નિખારવામાં આવ્યો. સંરક્ષણનું કામ ઘણાં વર્ષો સુધી ચાલ્યું !!! ૨૦મી સદીની મધ્યમાં એને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની આધીન કરી દીધું. અન્ય સામગ્રીઓને લઈને એની બાજુમાં એક સંગ્રહાલય બનવવામાં આવ્યું. ૧૯૮૪માં ત્યાર પછી એને વિશ્વ વિરાસત સ્થળ ઘોષિત કરવામાં આવ્યું.

🎯💠પૌરાણિક ભારતમાં અલગ -અલગ પ્રાંતોમાં ધાર્મિક ઉત્સવો દરમિયાન શોભાયાત્રામાં દેવ મૂર્તિઓ ને લાકડીઓ ના બનેલાં રથ પર સજાવીને શ્રદ્ધાળુઓની વચ્ચે લઇ જવાતાં હતાં. એટલાં માટે એ માનવામાં આવે છે કે સૂર્યનાં આ મંદિરને રથનું સ્વરૂપ આપવામાં  આવ્યું હોય !!!

*🔰નિર્માણ સંબંધી અનુશ્રુતિઓ* 

જે રેતાળ ભૂમિમાં બનવાનાં કારણે ધસવા લાગ્યું હતું ,પણ આબાબતમાં કોઈની પણ એક રાય નથી. કેટલાંકનું એવું માનવું છેકે આ મંદિર ક્યારેય પૂર્ણ થયું જ નહોતું. જયારે આઈને અકબરી માં અબુલ્ફઝલે આ મંદિરનું ભ્રમણ કરીને એની કીર્તિનું વર્ણન કર્યું છે. કેટલાક વિદ્વાનો નો મત એવો છે કે ઘણાં સમય સુધી આ મંદિર એનાં મૂળ સ્વરૂપે જ હતું !!!
👉બ્રીટીશ પુરાતત્વવિદ ફર્ગ્યુસને જયારે ૧૮૩૭માં આનું ભ્રમણ કર્યું હતું. ત્યારે મુખ્ય મંદિરનો એક જ ખૂણો બચ્યો હતો
જેની ઉંચાઈ એ સમયે ૪૫ મિટર બતાવવામાં આવી હતી. કેટલાંક વિદ્વાન મુખ્ય મંદિરનાં ખંડિત હોવાનાં કારને પ્રકૃતિની મારથી કે કદાચ ભૂકંપ અથવા સમુદ્રી તુફાનને કારણ માને છે. પરંતુ આ ક્ષેત્રમાં ભૂકંપ પછી પણ નિકટ વર્તી મંદિર કેવી રીતે બચી શકયાંએ વિચારણીય બાબત છે. પડવાનું અન્ય કારણ એમાં ઓછી ગુણવત્તાવાળાં પથ્થરો વપરાયા હોય એવું પણ બની શકે છે !!! જે કાળની થપાટોથી ના બચી શક્યાં હોય, પરંતુ એક સર્વસ્વીકાર્ય તથ્ય અનુસાર સમુદ્રનાં ખારા પાણીની બાષ્પ યુક્ત હવાની જોરદાર અને લગાતાર થપાટોએ આ મંદિરમાં લાગેલાં પથ્થરોનું ક્ષરણ થતું જ રહ્યું હોય અને મુખ્ય મંદિર ધ્વસ્ત થઇ ગયું હોય એ પ્રભાવ સર્વત્ર દેખાઈ પડે છે !!!

આ જ વાતને થોડીક વિગતે જોઈએ

*ધ્વસ્ત થવાના કારણો*

*વાસ્તુ દોષ* ———-

આ મંદિર પોતાના વાસ્તુ દોષોના કારણે માત્ર ૮૦૦ વર્ષોમાં જ ધ્વસ્ત થઈ ગયું. આ ઇમારત વાસ્તુ-નિયમોની વિરુદ્ધ બનેલ હતી. આ કારણે જ આ સમયથી પહેલા જ ઋગવેદકાળ તથા પાષાણ કળાનું અનુપમ ઉદાહરણ હોવા છતાં પણ સમયથી પૂર્વ ધરાશાયી થઈ ગયું.

*આ મંદિરના મુખ્ય વાસ્તુ દોષ છે:*

[૧] મંદિર ના નિર્માણ રથ આકૃતિ હોવાથી પૂર્વ, દિશા, તથા આગ્નેય તથા ઈશાન કોણ ખંડિત થઈ ગયાં.
[૨] પૂર્વથી જોતાં ખબર પડે છે, કે ઈશાન તથા આગ્નેય કોણોં ને કાપી તેને વાયવ્ય તથા નૈઋર્ત્ય કોણોં તરફ વધી ગયા છે.
[૩] પ્રધાન મંદિરના પૂર્વી દ્વારની સામે નૃત્યશાળા છે, જેનાથી પૂર્વી દ્વાર અવરોધિત થવાને કારણે અનુપયોગી સિદ્ધ થાય છે.
[૪]  નૈઋર્ત્ય કોણમાં છાયાદેવી ના મંદિરનો પાયો પ્રધાનાલયથી અપેક્ષાકૃત નીચો છે. તેથી નૈઋર્ત્ય ભાગ માં માયાદેવી નું મંદિર અને નીચું છે.
[૫] આગ્નેય ક્ષેત્ર માં વિશાળ કુવો સ્થિત છે.
[૬] દક્ષિણ તથા પૂર્વ દિશાઓમાં વિશાળ દ્વાર છે, જે કારણે મંદિરનો વૈભવ તથા ખ્યાતિ ક્ષીણ થઈ ગઈ છે.

*🔰🔰🔰🔰કથાઓ*

👉એક કથા અનુસાર, ગંગ વંશ ના રાજા નૃસિંહ દેવ પ્રથમ એ પોતાના વંશનું વર્ચસ્વ સિદ્ધ કરવા હેતુ, રાજસી ઘોષણાથી મંદિર નિર્માણનો આદેશ આપ્યો. બારસો વાસ્તુકારો અને કારીગરોની સેના એ પોતાની સૃજનાત્મક પ્રતિભા અને ઊર્જાથી પરિપૂર્ણ કળાથી બાર વર્ષોંની અથાગ મેહનતથી આનું નિર્માણ કર્યું. રાજાએ પહેલાં જ પોતાના રાજ્યના બાર વર્ષોની કર-પ્રાપ્તિ બરાબર ધન વ્યય કરી દીધું હતું. પણ નિર્માણની પૂર્ણતા ક્યાંય દેખાતી ન હતી. ત્યારે રાજાએ એક નિશ્ચિત તિથિ સુધી કાર્ય પૂર્ણ કરવાનો કડક આદેશ દીધો.
બિસુ મહારાણાના પર્યવેક્ષણ માં, આ વાસ્તુકારોની ટીમ એ પહેલાં જ પોતાનું પૂરું કૌશલ લગાવી રાખ્યું હતું. ત્યારે બિસુ મહારાણા ના બાર વર્ષીય પુત્ર, ધર્મ પાદ આગળ આવ્યો.
🎯👉તેણે ત્યાં સુધી નિર્માણનું ગહન નિરીક્ષણ કર્યું, જોકે તેને મંદિર નિર્માણ નું વ્યવહારિક જ્ઞાન ન હતું, પરન્તુ તેણે મંદિર સ્થાપત્યના શાસ્ત્રોનો પૂર્ણ અધ્યયન કર્યું હતું. તેણે મંદિરના અંતિમ કેન્દ્રીય શિલાને લગાડવાની સમસ્યા સુલઝાવવાનો પ્રસ્તાવ દીધો. તેણે આ કરી સૌને આશ્ચર્યમાં નાખી દીધાં. પણ આની તુરન્ત બાદ જ આ વિલક્ષણ પ્રતિભાવાનનું શબ સાગર તટ પર મળ્યું. કહે છે, કે ધર્મપાદે પોતાની જાતિના હિતાર્થ પોતાની જાન સુદ્ધાં દઈ દીધી.

*🔰🎯પૌરાણિક મહત્વ*

આ મંદિર સૂર્યદેવને સમર્પિત હતુ,. જેને સ્થાનિક લોકો બિંરચિ નારાયણ કહેતા હતા. આ જે ક્ષેત્રમાં સ્થિત હતું, તેને અર્ક ક્ષેત્ર અથવા તો પદ્મ ક્ષેત્ર કહેવામાં આવતું હતું. પુરાણાનુસાર, શ્રીકૃષ્ણના પુત્ર સામ્બને તેમના શ્રાપથી કોઢનો રોગ થઇ ગયો હતો, સામ્બે મિત્રવનમાં ચંદ્રભાગા નદીના સાગર સંગમ પર કોણાર્કમાં બાર વર્ષ તપસ્યા કરી અને સૂર્ય દેવને પ્રસન્ન કર્યા.
સૂર્યદેવ, જે તમામ રોગોના નાશક હતા, આ રોગનો પણ અંત કર્યો.

તેમના સન્માનમાં, સામ્બ એ એક મંદિર નિર્માણનો નિશ્ચય કર્યો. પોતાના રોગ-નાશ પછી, ચંદ્રભાગા નદીમાં સ્નાન કરતાં,
તેને સૂર્યદેવની એક મૂર્તિ મળી. આ મૂર્તિ સૂર્યદેવના શરીરના જ ભાગ થી, દેવશિલ્પી વિશ્વકર્માએ બનાવી હતી. સામ્બ એ પોતાના બનાવેલા મિત્રવનમાં એક મંદિરમાં, આ મૂર્તિની સ્થાપના કરી. ત્યારથી આ સ્થાન પવિત્ર મનાવા લાગ્યું.

મંદિર હોય એટલે એની કથાઓ પણ હોય, મંદિર હોય એટલે વાસ્તુદોષ પણ રહેવાના. આમ જોવા જઈએ તો ભારતમાં શું વિશ્વમાં ૧૦૦ વર્ષ જૂની ઈમારતો પણ ખંડેર અવસ્થાઓમાં તો હોય જ છેને. મહત્વ એની ખામી શોધવામાં નહિ પણ એની ખૂબીઓ વર્ણવવામાં અને જોવામાં અને એનો એહસાસ કરવામાં એને અનુભુત કરવામાં છે. આજ વાત આપણે સમજતાં નથી

જે છે એ અદ્ભુત છે કદાચ બહિભુત શબ્દ આ મંદિર જોઇને જ અસ્તિત્વમાં આવ્યો હોય તો નવાઈ નહીં. આ મંંદિર અવિસ્મરણીય છે એની અદભુત અને બેનમુન કારીગરીને કારણે એ કેટલું ભવ્ય અને વિશાળ છે એતો ત્યાં જઈને જુઓ તો જ ખબર પડે !!!! પથ્થરની આ કવિતા વાંચવા જેવી જ નહીં પણ સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી છે !!!!

*સુર્યદેવને નમસ્કાર !!!!!*

*👆👆જન્મેજય અધ્વર્યુ👆👆*

💊જેનરિક Vs. બ્રાન્ડેડ દવાઓ

*કેટલાક સમય પહેલા MCI (મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા) દ્વારા એક સરક્યુલર બહાર પાડી ડૉક્ટરોને જેનરિક દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવા તથા લખાણ શક્ય હોય ત્યાં સુધી કેપિટલ અક્ષરોમાં અને સુવાચ્ય રીતે લખવા સૂચના અપાયેલી. સામાન્ય પ્રજાજનોને મન ડૉક્ટર એ બીજો ભગવાન છે. આપણા દેશમાં રાષ્ટ્રના કુલ GDPના 2% કરતાં પણ ઓછું આરોગ્ય વિષયક બજેટ હોય છે. આ સંજોગોમાં આરોગ્ય એ સેવાની જગ્યાએ ઉદ્યોગ બની ગયો છે. ડૉક્ટર, દવા નિર્માતા અને કેમિસ્ટ તથા તેમની સાથે જોડાયેલી લેબોરેટરીઝ આ બધાનું એક મજબૂત નેટવર્ક બનેલું છે અને તેના પાયામાં સરકારની ખામી ભરેલી નિતિઓ તેમજ અંકુશનું બિનપર્યાપ્ત તંત્ર મહદ અંશે જવાબદાર છે. આજના સમયમાં ડૉક્ટરોની કમાણીનો મોટો ભાગ દવા નિર્માતા તરફથી મળતા ભેટ સોગાદો કે કમિશનો તેમજ દવા વિક્રેતા અને લેબોરેટરીઓ તરફથી મળતા કમિશનમાંથી આવે છે, તે નરી વાસ્તવિકતા છે. ડૉક્ટર બનવા માટે લાખો રૂપિયાનો ખર્ચ થવો, વસ્તીના ધોરણે ડૉક્ટરોની ઓછી સંખ્યા હોવી, સરકારી તંત્રના આંખ આડા કાન હોવા જેવા કે અન્ય ગમે તે કારણો હોય પણ વાસ્તવિકતા સ્વયં સ્પષ્ટ છે.*

*💊🕳મૂળ વાત MCI ના સરક્યુલરની કરતાં પહેલા જેનરિક અને બ્રાન્ડેડ દવાઓ વિશે સરળતાથી સમજીએ તો એમ કહી શકાય કે, જેનરિક દવા એટલે મૂળ ઘટકતત્વ ધરાવતી અને તે તત્વના આધારે ઓળખાતી દવા. જ્યારે બ્રાન્ડેડ દવામાં ઘટકતત્વો એક કે વધારે હોય પરંતુ તે કોઈ બ્રાંડ નામથી ઓળખાતી હોય છે. 🔋થોડું વિસ્તૃત ઉદાહરણ સમજીએ તો પેરાસિટામોલ એ દવાના ઘટકતત્વનું નામ છે, જ્યારે દવા (ગોળી) પેરાસિટામોલના નામથી બનાવવામાં અને વેચવામાં આવે તો તે જેનરિક દવા કહેવાય. 💡હવે બજારમાં એનાસિન, ક્રોસિન વગેરે નામની દવાઓ વેચાય છે. આ દવાઓમાં ઘટકતત્વ પેરાસિટામોલ જ હોય છે પરંતુ દવા નિર્માતા પોતાના બ્રાન્ડના નામથી તેનો પ્રચાર અને વેપાર કરે છે. એટલે તે દવા બ્રાન્ડેડ દવા ગણાય. જમીન ઉપરની વાસ્તવિકતા એ છે કે ઉપરોક્ત ઉદાહરણમાં દર્શાવેલી સમાન ઘટકતત્વો ધરાવતી દવા બજારમાં જમીન-આસમાનના ભાવ-તફાવતથી વેચાય છે. 💡એટલે કે જેનરિક દવા એક રૂપિયામાં મળતી હોય તો બ્રાન્ડેડ દવા દસ રૂપિયા સુધીની કિંમતમાં વેચાય છે. કૅન્સર, ડાયાબિટીસ અને કીડનીના રોગોમાં સારવાર અર્થે વપરાતી દવાઓમાં જેનરિક અને બ્રાન્ડેડ દવાઓનો ભાવ-તફાવત ઘણી વખત એક રૂપિયા સામે સો રૂપિયા જેટલો કે તેથી પણ વધારે જોવા મળે છે. સામાન્ય શબ્દોમાં કહેવું હોય તો આને ઉઘાડી લૂંટ કહેવાય.*

*🔋💡🔦ભારત વૈશ્વિક કક્ષાએ જેનરિક દવાઓનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારતનો દવા ઉદ્યોગ વાર્ષિક એક લાખ કરોડનો ધંધો કરે છે અને ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ક્ષેત્રોમાં એનો સમાવેશ થાય છે. દુનિયાના વિકસિત અને અવિકસિત અથવા વિકાસશીલ તમામ પ્રકારના દેશોમાં ભારતીય જેનરિક દવાઓની નિકાસ થાય છે. સામે પક્ષે ભારતની 35% કરતાં વધુ વસ્તીને દવાઓ અથવા સ્વાસ્થ્ય સેવાઓ પૂરતી માત્રામાં અને પોષણક્ષમ ભાવે મળતી નથી. કેટલીક વખત કુટુંબના એક સભ્યની ગંભીર બિમારીનું ખર્ચ સમગ્ર કુટુંબની સ્થાવર જંગમ મિલકતના બરાબર થઈ જાય છે. આવા સંજોગોમાં કુટુંબ આર્થિક રીતે બેહાલ થઈ જાય અથવા બિમાર વ્યક્તિ સારવાર વગર મૃત્યુ પામે-પરિણામ જે આવે તે પણ આવું કુટુંબ આર્થિક, માનસિક, સામાજિક અને ભવિષ્યના વિકાસના સંદર્ભે બેહાલ થઈ જાય છે, તે હકિકત છે. જાહેર આરોગ્ય વિષયક સવલતોનું અપૂરતું પ્રમાણ અને પ્રતિ લાખ વ્યક્તિએ ઉપલબ્ધ ડૉક્ટરો કે પથારીની ઓછી સંખ્યાને કારણે સરકારી સ્વાસ્થ્ય સેવાઓ અપૂરતી થઈ રહે છે. આ સંજોગોમાં વ્યક્તિ ગરીબ હોય તો પણ મોંધી ખાનગી સ્વાસ્થ્ય સેવાઓનો સહારો લેવા મજબૂર બને છે. અહીં, બ્રાન્ડેડ દવાઓ અને ડૉક્ટરો સાથે અન્ય સ્વાસ્થ્ય વિષયક તંત્રોની મિલિભગતનો ભોગ બનવું પડે છે. આપણા દેશમાં સ્વાસ્થ્ય વિષયક વિમાની સગવડ એ માત્ર 15% લોકો સુધી પહોંચી શકી છે. આમ, મેડિકલ ઈન્શ્યોરન્સ પણ આપણા ત્યાં આ પ્રશ્નનો ઉકેલ નથી.*

*💡🔦🔋⏳⌛️હવે, MCIના સરક્યુલરની વાત કરીએ તો એ એક નિતિ વિષયક સિદ્ધાંત જેવું પગલું સાબિત થનાર છે. કેમ કે, ડૉક્ટરો MCIના આદેશ મુજબ વર્તવા કાયદેસર બંધાયેલા નથી અને સરકાર દ્વારા આવો કોઈ આદેશ કરાયેલ નથી. વળી, માની લઈએ કે બધા ડૉક્ટરો જેનરિક દવા લખવા રાજી હોય તો પણ કેટલાક મુદ્દા વ્યવહારિક રીતે ઉકલે તેમ નથી. જેમ કે, ભારતમાં વેચાતી 80%થી વધુ દવાઓ એક કરતાં વધારે ઘટકતત્વોના સંયોજનના મિશ્રણથી બનેલ દવાઓ હોય છે. આવા પ્રકારની દવામાં જેનરિક દવા બનાવવી કે વેચવી શક્ય નથી. કારણ કે, એક જ ક્રિયાશીલ ઘટકતત્વવાળી દવા જ જેનરિક દવા ગણાય. એક થી વધું ક્રિયાશીલ ઘટકતત્વોના મિશ્રણની દવા બ્રાન્ડેડ દવા જ ગણાય. બીજો મુદ્દો એવો છે કે સરકારી નિયમાનુસાર દવા જેનરિક હોય કે બ્રાન્ડેડ હોય તેની નિયત કરાયેલી MRP સમાન હોય છે. એટલે છૂટક દવા વેચનાર કેમિસ્ટ જેનરિક દવા પણ બ્રાન્ડેડ દવાના ભાવે વેચે છે. બ્રાન્ડેડ અને જેનરિક દવાના ભાવમાં ફરક જથ્થાબંધ ધોરણે હોય છે, છૂટક નહિ. આ ઉપરાંત જો જેનરિક દવા જ લખવામાં આવે તો કેમિસ્ટ દર્દીને કઈ દવા આપવી તે માટે સ્વતંત્ર ગણાય અને આપણા દેશમાં નિયમ હોવા છતાં મોટા ભાગની કેમિસ્ટની દુકાનો કેમિસ્ટની સતત હાજરી સિવાય પણ ચાલે છે. આ સંજોગોમાં કેમિસ્ટની દુકાનમાં કામ કરતા અને દવા વિશે અભ્યાસની દ્રષ્ટીએ જ્ઞાન ન ધરાવતા લોકોના હાથમાં દર્દીની દવાનો નિર્ણય આવે છે. જે અતિશય ગંભીર બાબત છે. અને વ્યવહારિક દ્રષ્ટીએ અયોગ્ય છે.*

*⭐️🌟⭐️🌟આટલી ચર્ચા પછી આ આખા પ્રશ્નનું નિરાકરણ સરળતાથી થાય તેવું લાગતું નથી. પણ, આપણા દેશમાં રાજકીય ઇચ્છાશક્તિ હોય તો કોઈ પ્રશ્નનો ઉકેલ અસંભવ નથી. ખરેખર તો આરોગ્ય વિષયક પ્રશ્નોની ઉત્પત્તિનું મૂળ કારણ સરકારની આરોગ્ય વિષયક સેવામાંથી ખસી જવાની વૃત્તિ અને આરોગ્યને સેવાના બદલે ઉદ્યોગ બનાવવાની નિતિ છે. રાજસ્થાનમાં રાજ્ય સરકારે વાર્ષિક માત્ર 300 કરોડના ખર્ચમાં જેનરિક દવાઓ જથ્થાબંધ ખરીદી લોકોને સસ્તા ભાવે પૂરી પાડવાની યોજના અમલમાં મૂકેલી છે. આ યોજનાને ખૂબ સરસ પ્રતિસાદ મળેલ છે. સરકારના 300 કરોડના રૂપિયાના ખર્ચ સામે તેટલી જ દવાઓની ખુલ્લા બજારમાંથી ખરીદી કરવામાં રાજ્યની પ્રજાને અંદાજે 3000 કરોડ રૂપિયાનો ફાયદો થાય છે. આમ, તમામ રાજ્ય સરકારો અથવા રાજ્ય અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે યોજના ઘડી અમલમાં મૂકે તો માત્ર વાતોના વડા નહિ પણ વાસ્તવિક પરિણામ લક્ષી કાર્ય થાય તેમ છે. સરકારો કેટલી ઈચ્છા શક્તિ દર્શાવે છે અને તેનું કેવું પરિણામ મળે છે તે ભવિષ્ય જ કહી શકે. પણ, હાલમાં MCIનો સરક્યુલર એ તો માત્ર દેખાડો જ સાબિત થનાર છે.*

અર્થવ્યવસ્થા --- અર્થતંત્ર

થોડા દિવસ પહેલાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા ક્રેડીટ પોલીસીની જાહેરાત કરવામાં આવી છે...*

*👁‍🗨👉ત્યારે સ્વાભાવીક બને છે કે આ મહત્વનાં મુદ્દા ને ધ્યાનમાં રાખી ઘણા પ્રશ્નો પૂછાવાની સંભાવના રહે છે..
કયારેય એવું ન પૂછાય કે ક્રેડીટ પોલીસી શું છે? કોણ રજૂ કરે.....*

*👉આ રીતના પ્રશ્નો પૂછવાની સંભાવના વધુ રહે👇*
*👉રેપો રેટ અને રિવર્સ રેપો રેટ શું છે ?*
*👉રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં વધારો કે ઘટાડો થવાથી અર્થતંત્રમાં શું ફેરફાર આવે છે.*
*👉કેશ રિઝર્વ રેશિયો (CRR) એટલે શું ?*
*👉ફુગાવો એટલે શું?*
*👉મોંઘવારી એટલે શું તેના કારણોની ચર્ચા કરો.*

〰〰〰〰〰〰〰〰
*🎯♻️🎯🔰રેપોરેટ અને રિવર્સ રેપોરેટ એટલે શું ?&

💠👉રિઝર્વ બેંક અન્ય બેંકો અને ફાઈનાન્સિયલ સંસ્થાઓને જે વ્યાજદરે નાણા આપે છે, તેને રેપોરેટ કહેવામાં આવે છે. કૉમર્શિયલ બેંકને જ્યારે ફંડની જરૂર પડે છે, અને શોર્ટ ટર્મ માટે નાણાંની જરૂર હોય ત્યારે તેઓ રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા પાસેથી નાણાં ઉધાર લે છે. રિઝર્વ બેંક જ્યારે આ બેંકોને નાણાં આપે છે, ત્યારે સિક્યોરિટી માંગે છે. જેથી ભવિષ્યમાં કોઇ જોખમ સામે રક્ષણ મળી શકે. ત્યારે બેંક કેટલીક સિક્યોરિટી (જેમાં મુખ્યત્વે બૉન્ડ ) આરબીઆઇને વેચી દે છે. અને શરત મુજબ પહેલાથી નક્કી કરવામાં આવેલા સમય પર તે પોતાની સિક્યોરિટી પરત લઇ લેશે.
👉કૉમર્શિયલ બેંક આરબીઆઇ પાસેથી નાણાં લે છે ત્યારે વ્યાજ પણ વસૂલ કરે છે. અને જે દરે વ્યાજ વસૂલવામાં આવે છે, તેને રેપોરેટ કહે છે. જ્યારે રિઝર્વ બેંક રેપોરેટમાં ઘટાડો કરે છે ત્યારે અન્ય બેંકોને રિઝર્વ બેંક માટે ઉધાર નાણાં લેવામાં આસાની રહે છે. અને જ્યારે રેપોરેટ વધારવામાં આવે છે ત્યારે આરબીઆઇ દ્વારા આપવામાં આવતાં નાણાં પર વધારે વ્યાજ ચૂકવવાનું રહે છે.

*🎯👁‍🗨રિવર્સ રેપોરેટ*

જ્યારે અન્ય બેંકો રિઝર્વ બેંકને જે દરે નાણાં આપે છે, તેને રિવર્સ રેપોરેટ કહે છે. જ્યારે બેંકિંગ સિસ્ટમમાં કેશ ફ્લો વધે છે, ત્યારે કૉમર્શિયલ બેંકો રિઝર્વ બેંકને નાણાં ઉધાર આપે છે. અને રિઝર્વ બેંક તેના પર વ્યાજ ચૂકવે છે. જે દરે આરબીઆઇ વ્યાજ ચૂકવે તેને રિવર્સ રેપોરેટ કહેવામાં આવે છે.

💠👉ટૂંકમાં કહું તો રેપો રેટ એ દર છે જે દરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની અન્ય બેંકોને નાણા આપે છે. જ્યારે આરબીઆઇ ઇન્ટરેસ્ટ રેટ કે રેપો રેટમાં ઘટાડો કરે છે ત્યારે દેશમાં વિવિધ વ્યાજ દરોમાં પણ ઘટાડો થાય છે. દેશમાં અન્ય બેંકો એટલા માટે વ્યાજદર ઘટાડે છે કારણ કે તેને નાણા સસ્તા દરે મળે છે.
જો કે દર વખતે આમ થાય એ જરૂરી નથી. દરેક બેંક વ્યાજ દર નક્કી કરતા પહેલા પોતાની મિલકતો, જવાબદારીઓને ધ્યાનમાં લે છે. જો કે સામાન્ય રીતે રેપો રેટ ઘટતા દેશમાં વ્યાજદર ઘટે છે.

*🎯🔰💢🚫રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું ?*

*રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કોમર્શિયલ બેંકોને ધિરાણ આપે છે. આ ધિરાણના બદલામાં આરબીઆઈ બેન્કો પાસેથી જે દરે વ્યાજ વસૂલે છે તેને રેપો રેટ કહે છે.*

👉રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કોમર્શિયલ બેંકો પાસેથી ઉછીના નાણા લે છે. આ નાણા પર કોમર્શિયલ બેંકો આરબીઆઈ પાસેથી જે દરે વ્યાજ વસૂલે છે તેને રિવર્સ રેપો રેટ કહે છે.
*(રેપો રેટ એટલે કે બેન્કો દ્વારા આરબીઆઈ પાસેથી ટુંકા ગાળા માટે જે દરે ભંડોળ મેળવાય તે દર)*
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*🎯👉રિવર્સ રેપોરેટ એટલે શું?❓❔❓*

રઝિર્વ બેંક જે દરે વાણજિય બેંકો પાસેથી નાણા લે તેને રિવર્સ રેપોરેટ કહે છે.આથી સિસ્ટમમાં નાણાની તંગી સર્જાય છે.
💢⭕️રિવર્સ રેપોરેટ એટલે કે વ્યાજના જે દરે આરબીઆઈ વેપારી બેન્કો પાસેથી ધિરાણ મેળવે છે 

*🎯👉સીઆરઆર એટલે શું ?*

⭕️💢સીઆરઆર એટલે કે કેશ રિઝર્વ રેશિયો પ્રમાણે બેન્કોએ આરબીઆઇ પાસે રિઝર્વ સ્વરૂપે કેશ જમા રાખવી પડે છે.હાલ સીઆરઆર 4 ટકા છે.♻️સીઆરઆર(બેન્કોએ આરબીઆઇ સમક્ષ જે રકમ જમા રાખવી પડે છે તે)

*♻️🔰🎯🎯👉રેપો રેટ ઘટવાથી શું લાભ થશે❓❔❓*

આરબીઆઈ દ્વારા નાણાકીય નીતિમાં મુખ્ય વ્યાજદર એટલે કે રેપો રેટમાં ઘટાડો થવાથી તેની સીધી જ અસર બેંકના વ્યાજદરો પર પડશે.તેમનો બેઝ રેટ નીચો આવશે,જેના કારણે બેંકોથી લઈને ઉદ્યોગ જગત અને આમ આદમી એમ તમામ માટે લોનો સસ્તી થઈ જશે.લોકો માટે હોમ લોન,ઓટો લોન સહિતની કન્ઝયુમર લોન્સ સસ્તી થાય.તેથી લોકો વધુ ખર્ચ કરશે,વપરાશ વધે અને તેના કારણે ઉદ્યોગજગત અને અર્થતંત્રને ફાયદો થાય.કંપનીઓને પણ ધિરાણ સસ્તું થવાથી તેઓ નીચા દરે લોન લઇને તેમની વિસ્તરણ સહિતની યોજનાઓ અમલમાં મૂકી શકશે.આમ,ઉદ્યોગજગત માટે પણ આ રાહતરૂપ સમાચાર છે.

*🛡⭕️👉રેપો રેટના  ઓછા થવાની સાથે જ લોન સસ્તી થવાનો માર્ગ મોકળો બન્યો છે. રેપો રેટમાં કાપને પગલે બેન્કો જો ધિરાણ દરમાં ઘટાડો કરે તો હોમલોન, વાહન લોન, પર્સનલ લોન અને બિઝનેસ લોન જેવી લોન્સના ઈએમઆઈમાં ઘટાડો થાય તેમ છે.*

*🔰🎯⭕️💢વ્યાજના દર જો નીચા રાખવામાં આવે તો લોકોની ફુગાવાના દર અંગેની અપેક્ષાઓ પણ નીચી જાય છે*

👉રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ફુગાવો વધવાનું જોખમ ઓછું થવાનું કારણ આપીને પ્રમુખ નીતિગત દરમાં આજે ૦.૨૫ ટકાનો ઘટાડો કરે મધ્યસ્થ બેન્કના આ નિર્ણયથી હોમ, ઓટો અને પર્સનલ લોન સસ્તી થવાની શક્યતા છે. ઓક્ટોબર, ૨૦૧૬ પછી પ્રથમ વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. આ ઘટાડા પછી રેપોરેટ ઘટીને ૬ ટકા થઇ ગયો છે.

*👁‍🗨⭕️આરબીઆઇએ કન્ઝયૂમર પ્રાઇસ ઇન્ડેક્ષ(સીપીઆઇ) આધારિત ફુગાવો ૪ ટકા રાખવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આરબીઆઇએ ખાનગી રોકાણ વધારવા, ઇન્ફ્રાસ્ટ્રકચર સંબધી અવરોધો દૂર કરવા અને પ્રધાનમંત્રી આવાસ યોજના પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે.*

*🔰🎯આગામી સમયમાં ફુગાવા અંગે અનિશ્ચિતતા કાયમ છે. તેમણે પરોક્ષ રીતે ખેડૂતોની લોન માફી સામે પણ પ્રશ્રો ઉઠાવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોની લોન માફ કરવાથી નાણાકીય ખાધ વધવાની શક્યતા છે. જીએસટી અને રાજ્યો દ્વારા કર્મચારીઓના પગાર વધારાને કારણે મોંઘવારી વધી શકે છે. એમપીસી સતત મોંઘવારી પર નજર રાખી રહી છે.*

*🎯રિઝર્વ બેન્કે જાહેર કરેલા આંકડા પ્રમાણે ગયા વર્ષથી વ્યાજદર ગણવાની નવી પદ્ધતિ અમલી બન્યા પછી માર્ચ મહિનામાં બેન્કોના સરેરાશ બેન્ચમાર્ક ધિરાણદર (જે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-બેઝ્ડ લેન્ડિંગ રેટ કે MCLR તરીકે ઓળખાય છે.)માં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. માર્ચમાં શિડ્યુલ્ડ કોમર્શિયલ બેન્કોની લોનનો સરેરાશ MCLR ૦.૧૬ ટકા ઘટીને 10.8 ટકા નોંધાયો હતો, જે ફેબ્રુઆરી 2017માં 10.96 ટકા હતો.*

*🎯વર્તમાન સ્વપ્નદૃષ્ટા પ્રધાનમંત્રી દ્વારા ભારતના ભાવિને ઉજ્જ્વળ બનાવવા સારુ અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ભારતના યુવાધનને તથા કાર્યરત નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી શ‚રૂ કરાયેલી મુદ્રા બેંકનું પૂરું નામ છે, 🎯માઈક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રીફાઈનાન્સ એજન્સી (Mudra). જે પ્રધાન મંત્રી મુદ્રા યોજના અંતર્ગત શરૂ‚ કરવામાં આવી છે. 🎯વર્ષ ૨૦૧૬ના બજેટ સત્ર દરમિયાન સામાન્ય બજેટ રજૂ કરતી વખતે નાણા મંત્રી અરુણ જેટલી એ મુદ્રા બેન્કની અનિવાર્યતા સમજવાતાં કહ્યું હતું કે, વિકાસ મારફતે જ સમાવેશી વૃદ્ધિનું નિર્માણ કરી શકાય છે. આ દિશામાં વિશાળ કદની કોર્પોરેટ તથા કારોબારી કંપનીઓ ચાવીરૂ‚પ ભૂમિકા ભજવશે ત્યારે અનૌપચારિક ક્ષેત્રનાં સાહસો ખૂટતી ભૂમિકાને પૂરી કરશે, જેથી એકંદરે મહત્તમ રોજગારીનું સર્જન કરી શકાશે. 💠👉વ્યક્તિગત માલિકી ધરાવતા આશરે ૫.૭૭ કરોડ લઘુ વેપારી એકમો છે જે લઘુ ઉત્પાદન, ટ્રેડિંગ અથવા સેવાકીય કારોબાર સાથે સંકળાયેલ છે. આ પ્રકારના વેપારી એકમો પાયાની અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અલબત સખત પરિશ્રમ કરી રહેલા ઉદ્યોગ સાહસિકોને ધિરાણની વિધિવત્ વ્યવસ્થામાંથી જો યોગ્ય મદદ ન મળે તો તેમણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માટે હું રૂ‚પિયા ૨૦,૦૦,૦૦૦ કરોડના મૂડીભંડોળ તથા રૂ‚પિયા ૩,૦૦૦ કરોડના ધિરાણની બાંહેધરી આપતા ભંડોળ સાથે માઈક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ રિફાયનાન્સ એજન્સી (મુદ્રા) બેંકની રચના કરવાની દરખાસ્ત કરું છું.*

*💠🎯👉નાણામંત્રી અરુણ જેટલીએ કરેલી આ જાહેરાતને સાકાર કરતાં ૮ એપ્રિલ, 👉૨૦૧૫ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦ હજાર કરોડ રૂ‚પિયાના કોર્પસ ફંડ સાથે આ યોજનાનું લોન્ચિંગ કર્યું. આ યોજનામાં નાના એકમોને આર્થિક સહાય આપવાની ખાસ યોજના છે. એક અંદાજ મુજબ આપણા દેશમાં ૫.૭૭ કરોડ લઘુ વેપારી એકમો છે, જે અંદાજે ૧૨ કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે. એટલે આ એકમોને આર્થિક સુરક્ષા મળી રહે તે જ‚રૂરી છે.*

*🎯🔰યોજનાની જરૂરિયાત શા માટે🔰*

ઔપચારિક બેન્કિંગ પ્રણાલી ભારતના ગ્રામીણ અને દૂરસ્થ ક્ષેત્રોના લોકોની પહોંચની બહાર છે. આ કારણે જ્યારે આવા લોકોએ કોઈ નાના ઉદ્યોગો, વ્યવસાય શ‚ કરવાના હોય છે, ત્યારે તેઓ સ્થાનિક શાહુકારો પાસેથી વ્યાજે નાણાં લે છે અને પછી વ્યાજના વિષચક્રમાં ફસાઈને પોતાના વ્યવસાયની તો ઉન્નતિ નથી જ કરી શકતા, પરંતુ ઊલટાના તેઓ પોતે પણ ગરીબીના ચક્કરમાં સપડાઈ જાય છે. તો બીજી બાજુ આપણા યુવાનોમાં અનેક મહત્ત્વાકાંક્ષાઓ અને કૌશલ્યો રહેલાં છે. પરંતુ નાણાંના અભાવે તેઓ પોતાનાં કૌશલ્યો થકી આવા કોઈ ઉદ્યોગો શ‚ કરતાં ખચકાય છે. આ પરિસ્થિતિનો અસરકારક ઉકેલ આપવા સારુ મુદ્રા બેન્કની શ‚આત કરવામાં આવી, જેથી નાણાંના અભાવે નાના એકમો આગળ વધતાં ન અટકે.

*👉🎯યોજનાનું સ્વરૂપ💠🎯👇*

💠🎯આ યોજનાને મુખ્ય ત્રણ પાસામાં વહેચવામાં આવી છે :
૧) શિશુ જેમાં ૫૦ હજારની લોન મળી શકે છે.
૨) કિશોર જેમાં ૫૦ હજારથી પાંચ લાખ ‚પિયા સુધીની લોન મળી શકે છે. 
૩) તરુણ જેમાં પ લાખથી ૧૦ લાખ સુધીની લોન મળી શકે છે.કોઈ પણ ભારતીય નાગરિક જે ઉત્પાદન, પ્રોસેસિંગ, વ્યાપાર, સેવા જેવા વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલ હોય તેને ઉપર વર્ણવેલાં ત્રણ પાસાં અંતર્ગત લોન મળી શકે છે. 

*🎯🔰મુદ્રા બેંકના ઉદ્દેશ્યો :🔰🎯*
૧) સૂક્ષ્મ લોન દ્વારા નાના રોકાણકારો, ઉદ્યોગકારોને સ્થિરતા આપવી.
૨) માઈક્રો ફાઈનાન્સ ઇન્સ્ટિટ્યૂટ્સ અને નાના વેપારીઓ, રીટેલર્સ, સ્વસહાય સમૂહો-વ્યક્તિઓને ઉધાર-લોન આપનારી એજન્સીઓને સહાય‚પ થવું.
૩) તમામ માઈક્રો ફાઈનાન્સ ઇન્સ્ટિટ્યૂટ્સને રજિસ્ટર કરવી તથા પરફોર્મન્સ રેટિંગ (પ્રદર્શન મૂલ્યાંકન)ની પ્રથા શ‚ કરવી, જેથી આવી સંસ્થાઓની કાર્યક્ષમતા સુધરે અને તેમની વચ્ચે સ્વસ્થ સ્પર્ધાની તકો ઊભી થાય, જેનો સીધો લાભ લોન લેનારાઓને થાય.
૪) લોન લેનાર વ્યક્તિઓ, એકમો, સંસ્થાઓને યોગ્ય પદ્ધતિસરનું દિશાનિદશન કરાવવું, જેથી તેઓ વ્યાપારમાં નિષ્ફળતાથી બચી શકે અને ડિફોલ્ટર થતાં અટકે. 
૫) માનાંકયુક્ત નિયમન પત્રો તૈયાર કરવાં, જે ભવિષ્યમાં નાના વ્યવસાયો માટે અતિ મહત્ત્વનું પગલું સાબિત થશે.

*🔰🔰ભવિષ્યના કાર્યક્રમ🔰🔰🔰*
મુદ્રા કાર્ડ
પોર્ટફોલિયો ક્રેડિટ ગેરંટી
ક્રેડિટ એનહાન્સમેન્ટ
*🔰🔰મૂલ્યાંકન🔰🔰*

*🎯👉અત્યારે આ યોજના અંતર્ગત જમીન, પરિવહન, સામુદાયિક, સામાજિક તથા વ્યક્તિગત સેવાઓ, ખાદ્ય ઉત્પાદન, ટેક્સટાઈલ જેવાં ક્ષેત્રોને જ સમાવવામાં આવ્યાં છે, આગળ જતાં હજુ આમાં બીજાં અનેક નવાં ક્ષેત્રોને સાંકળવામાં આવશે, જેના કારણે નવા ઉદ્યોગોને ખૂબ જ ઊજળી તકો છે. નાના વેપારીઓ, વ્યવસાયકારીઓ આ યોજનાનો લાભ લઈને સફળતાનાં શિખરો સર કરશે.*

 🗣🗣મુદ્રા યોજના થકી વર્ષ ૨૦૧૫-૧૬માં ૩.૩૨ કરોડ ગરીબ લોકોને લાભ મળ્યો છે. ચાલુ વર્ષમાં અમે આ યોજના માટેનું બજેટ ડબલ કરવાના છીએ. મુદ્રા યોજનાનો લાભ લેનારા લોકોમાં સૌથી વધુ મહિલાઓ, દલિતો અને અલ્પસંખ્યક સમાજના લોકો છે.
- અ‚રૂણ જેટલી
(નાણામંત્રી, ભારત સરકાર)

બજેટ

*👁‍🗨👉મિત્રો બજેટ મારફત સરકાર ટેક્સ , ડ્યૂટી , ઋણ વગેરે દ્વારા ભંડોળ એકત્ર કરવા સંસદની મંજૂરી માંગે છે . આ ભંડોળનો ઉપયોગ સંસદની મંજૂરી સાથે ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવે છે.*

*🎯બજેટ કોણ બનાવે છે❓❔❓*

નાણામંત્રાલય , આયોજન પંચ અને ખર્ચકર્તા મંત્રાલયો વચ્ચેની વિચારવિમર્શ પ્રક્રિયા મારફત બજેટ તૈયાર કરવામાં આવે છે . રાજ્યો આયોજન પંચ સમક્ષ પોતાની વાર્ષિક માંગણી રજૂ કરે છે.
નાણામંત્રાલય અને આયોજન પંચ ખર્ચ માટેની માર્ગરેખા જારી કરે છે , જેના આધારે વિવિધ મંત્રાલયો પોતાની માંગણી રજૂ કરે છે . નાણામંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગનું બજેટ ડિવિઝન બજેટ તૈયાર કરનારી મધ્યસ્થ એજન્સી છે.

*🎯બજેટ કેવી રીતે બનાવવામાં આવે છે ?*

👁‍🗨બજેટ ડિવિઝન સપ્ટેમ્બરમાં આગામી વર્ષ માટેના બજેટ અંદાજ તૈયાર કરવા તમામ કેન્દ્રીય મંત્રાલયો , રાજ્યો , કેન્દ્રશાસિત પ્રદેશો , સ્વાયત્ત સંસ્થાઓ અને વિભાગો તથા સુરક્ષા દળોને એક પરિપત્ર જારી કરે છે .

👁‍🗨મંત્રાલયો અને વિભાગો પોતાની માંગણીઓ સુપરત કરે તે પછી કેન્દ્રીય મંત્રાલયો અને નાણામંત્રાલયના ખર્ચ વિભાગ વચ્ચે વિશદ ચર્ચાવિચારણા થાય છે .

*👁‍🗨જાન્યુઆરીના અંત ભાગ સુધીમાં બજેટ પહેલાની બેઠકો પૂરી થયા બાદ નાણામંત્રાલયે ટેક્સની દરખાસ્તો અંગે અંતિમ નિર્ણય કરે છે . બજેટને સીલબંધ કરતાં પહેલાં વડાપ્રધાન સાથે ચર્ચા કરવામાં આવે છે . આની સાથે સાથે આર્થિક બાબતોનો વિભાગ અને મહેસૂલ વિભાગ ખેડૂતો , બિઝનેસ , એફઆઇઆઇ , અર્થશાસ્ત્રીઓ , સામાજિક સંગઠનો જેવા પક્ષકારોના અભિપ્રાય મેળવીને તેની વિચારણા કરે છે .* 

*🎯બજેટની રજૂઆત🔰🔰🔰*

👁‍🗨સરકારે સૂચવેલી તારીખ સાથે સ્પીકર સંમત થાય તે પછી લોકસભા સચિવાલયના સેક્રેટરી જનરલ રાષ્ટ્રપતિની મંજૂરી માગે છે .

બજેટ રજૂ થવાનું હોય તે દિવસની સવારે સરકાર નાણા મંત્રાલય અને વડાપ્રધાન દ્વારા મંજૂર કરેલી ' સમરી ફોર ધી પ્રેસિડન્ટ ' મારફત સરકાર રાષ્ટ્રપતિની મંજૂરી માંગે છે .
*નાણાપ્રધાન બજેટ રજૂ કરતા પહેલા ' સમરી ફોર કેબિનેટ ' મારફત બજેટ દરખાસ્તો અંગે કેબિનેટને માહિતી આપે છે .*
*👁‍🗨નાણાપ્રધાન લોકસભામાં બજેટ રજૂ કરે છે , જેમાં મુુખ્ય અંદાજ અને દરખાસ્તોની રૂપરેખા હોય છે .*

*👁‍🗨નાણાપ્રધાનના બજેટ પ્રવચનના બે ભાગ હોય છે . ભાગ - એમાં દેશનો સામાન્ય આર્થિક સરવે અને નીતિવિષયક નિવેદનો હોય છે . ભાગ - બીમાં ટેક્સની દરખાસ્તો હોય છે .*

*👁‍🗨નાણાપ્રધાનના પ્રવચન પછી રાજ્યસભામાં ' વાર્ષિક નાણાકીય નિવેદન ' રજૂ કરવામાં આવે છે . બજેટ રજૂ કરવામાં આવ્યું હોય તે દિવસે કોઇ ચર્ચા થતી નથી .*
BUDGET બજેટ 
આ મુદ્દા પર પ્રિલીમીનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા મા આ મુદ્દા અનુરૂપ પ્રશ્નો પૂછાયા છે અને પૂછાતાં પણ રહશે..

*🎯બજેટને મંજૂરી કેવી રીતે મળે છે🔰🔰*
*🎯👉♦️બજેટની ચર્ચા બે ભાગમાં વહેંચાયેલી હોય છે .*

*🔘🔘🔘સામાન્ય ચર્ચા*
બજેટ પછીના થોડા દિવસમાં 2 થી 3 દિવસ માટે લોકસભામાં સામાન્ય ચર્ચા થાય છે .

*🎯👉સંસદ પાસેથી નાણાકીય વર્ષના પ્રારંભિક મહિનાઓના ખર્ચ માટે ' લેખાનુદાન ' મેળવવામાં આવે છે .*

*ચર્ચાના અંતે નાણાપ્રધાન ચર્ચાનો જવાબ આપે છે . નિર્ધારિત મુદત માટે ગૃહને મોકૂફ રાખવામાં આવે છે .*

*💠🎯🔘🔘વિગતવાર ચર્ચા🔰*
આ વિરામ દરમિયાન સંબંધિત સ્થાયી સમિતિઓ દ્વારા ડિમાન્ડ ફોર ગ્રાન્ટની ચર્ચા કરવામાં આવે છે .
👁‍🗨🎯ગૃહની બિઝનેસ એડવાઇઝરી કમિટીએ નિર્ધારિત કરેલા સમયપત્રક મુજબ આ દરેક ડિમાન્ડને હાથ પર લેવામાં આવે છે .
👉કોઇ પણ સભ્ય નીચેની ત્રણમાંથી કોઇપણ એક કાપ દરખાસ્ત મારફત ફાળવણીમાં કાપ માગી શકે છે

*🎯ડિસએપ્રુવલ ઓફ પોલિસી કટ🔰🔰*
1. ઇકોનોમી કટ
2. ટોકન કટ

ડિમાન્ડ ફોર ગ્રાન્ટ અંગેની ચર્ચાના છેલ્લા દિવસે સ્પીકર તમામ બાકી ડિમાન્ડ માટે ગૃહમાં મતદાન કરાવે છે. ડિમાન્ડ ફોર ગ્રાન્ટ બાદ ખર્ચ બિલ અંગે લોકસભામાં મતદાન થાય છે . તેનાથી સરકારને કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી ખર્ચ કરવાની સત્તા મળે છે . ખર્ચ બિલ બાદ ફાઇનાન્સ બિલની સંસદ વિચારણા કરે છે અને મંજૂરી આપે છે .
*🎯👉આ બિલને બંને ગૃહની મંજૂરી મળવી જોઇએ અને તેની રજૂઆતના 75 દિવસમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળવી જોઇએ.*
👉ફાઇનાન્સ બિલની મંજૂરી અને તેના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે બજેટ પ્રક્રિયા પૂરી થાય છે .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*🎯7 એપ્રિલ , 1860 - પ્રથમ બજેટની રજૂઆત👁‍🗨👁‍🗨👇👇*

*👉ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતનો વહીવટ બ્રિટિશ રાજાને સોંપ્યાના બે વર્ષ બાદ પ્રથમ ભારતીય ફાઇનાન્સ મેમ્બર જેમ્સ વિલ્સને આ બજેટ રજૂ કર્યું હતું .*
🇮🇳🇮🇳આઝાદી બાદ
વચગાળાની સરકારના સભ્ય લિયાકત અલી ખાને 1947-48 માટેનું બજેટ રજૂ કર્યું હતું . આર કે શણ્મુખમ ચેટ્ટીએ 26 નવેમ્બર , 1947 એ આઝાદ ભારતનું પ્રથમ સંપૂર્ણકક્ષાનું બજેટ રજૂ કર્યું હતું . ભારતમાં 1867 થી એપ્રિલથી માર્ચના નાણાકીય વર્ષનો અમલ , તે પહેલા મેથી એપ્રિલનું નાણાકીય વર્ષ હતું .

*👉બંધારણ અને પરંપરા બંધારણમાં ' બજેટ ' શબ્દનો ઉલ્લેખ નથી બંધારણની કલમ 112 મુજબ સરકારે સંસદમાં ' વાર્ષિક નાણાકીય નિવેદન ' રજૂ કરવું પડે છે , જે સામાન્ય રીતે ' બજેટ ' તરીકે ઓળખાય છે . નાણાપ્રધાન ફેબ્રુઆરીના છેલ્લા કામકાજના દિવસે સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરે છે .*
👉1999 પહેલા સાંજે પ વાગે રજૂ થતું હતું .

*🎯બજેટના વિવિધ આધાર🔰🔰*
- રોકડ આધાર
તે અંદાજિત રોકડપ્રવાહ અને અંદાજિત ખર્ચ પ્રવાહના આધારે તૈયાર કરાય છે . તે એક્રુઅલ ધોરણે તૈયાર કરાતા કોર્પોરેટ હિસાબોથી અલગ છે .
👉- રદબાતલનો નિયમ
વર્ષના અંતે સંબંધિત મંત્રાલય દ્વારા ઉપયોગ ન થયેલું ભંડોળ ' રદબાદત ' થાય છે .
- અંદાજપત્રના વિભાગીય આધાર
બજેટ માટેનો એકમ એક વિભાગ છે
બજેટના દસ્તાવેજો
- વાર્ષિક નાણાકીય નિવેદન
- ડિમાન્ડ ફોર ગ્રાન્ટ
- રિસિટ બજેટ
- ખર્ચ બજેટ વોલ્યુમ -1
- ખર્ચ બજેટ વોલ્યુમ -2
- ફાઇનાન્સ બિલ
- ફાઇનાન્સ બિલ સમજાવતુ મેમોરેન્ડમ
- બજેટની હાઇલાઇટ
- જાહેરાતોના અમલીકરણનો સ્ટેટસ
- ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી અને બજેટ મેનેજમેન્ટ એક્ટ સંબંધિત દસ્તાવેજો
- કી ટુ બજેટ દસ્તાવેજ
- બજેટ પ્રવચન
*👉સરકારનું વાર્ષિક અંદાજપત્ર ( બજેટ ) ઘરેલુ બજેટથી બહુ અલગ નથી , ફક્ત તેમાં ચોક્કસ શબ્દપ્રયોગો પુષ્કળ જોવા મળે છે . પાંચ ભાગની શ્રેણીમાં ઇકોનોમિક ટાઇમ્સ વાચકોને મહેસૂલી ખાતાથી લઈને જેની ખૂબ ચર્ચા થાય છે તે રાજકોષીય ખાધ સુધીના મહત્ત્વના શબ્દો કે શબ્દસમૂહો અંગે સરળ સમજ ઉપલબ્ધ કરવામાં મદદ કરશે . અહીં પ્રથમ ભાગમાં બજેટના પાયાના માળખાને સમજાવ્યું છે.*
 ✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*🎯એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ🔰*

વાર્ષિક બજેટ માટે નાણાપ્રધાનના બજેટ પ્રવચનથી સામાન્ય માણસ મૂંઝાય છે . પરંતુ બંધારણમાં જણાવ્યા અનુસાર , બજેટ એટલે વાસ્તવમાં 13-15 અન્ય દસ્તાવેજો સાથે સંસદમાં રજૂ કરવામાં આવેલું વાર્ષિક નાણાકીય નિવેદન છે . તેમાં ત્રણ ભાગ હોય છે - કોન્સોલિડેટેડ ફંડ , કન્ટિજન્સી ફંડ અને પબ્લિક એકાઉન્ટ . તેમાં આવક અને જાવકની વિગતો હોય છે .

*🎯🎯કોન્સોલિડેટેડ ફંડ🔰🔰*
સરકાર પાસેના નાણાકીય ભંડોળ પૈકી આ મુખ્ય ભંડોળ છે . તમામ મહેસૂલી આવક , ઉછીના લેવામાં આવેલાં નાણાં અને તેણે આપેલી લોન્સમાંથી મળતી આવક તે તમામ આ ખાતામાં આવે છે . તમામ સરકારી ખર્ચ આ ભંડોળમાંથી કાઢવામાં આવે છે . આ ભંડોળમાંથી કોઈ પણ ખર્ચ કરવા માટે સંસદની મંજૂરી લેવાની જરૂર પડે છે .

*🎯🎯કન્ટીજન્સી ફંડ🔰🔰*

*તાકીદનાઅથવા અણધાર્યા તમામ ખર્ચ આ રૂ .500 કરોડના ભંડોળમાંથી કરવામાં આવે છે . તે રાષ્ટ્રપતિને આધીન હોય છે . આ ભંડોળમાંથી ઉપાડવામાં આવતી કોઈ પણ રકમ કોન્સોલિડેટેડ ફંડમાંથી સરભર કરવામાં આવે છે.*

*🎯પબ્લિક એકાઉન્ટ🔰🔰*
આ ભંડોળમાં રહેલા તમામ નાણાં અન્યોના , જેમ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડનાં હોય છે . સરકાર આ ફંડ માટે એક બેન્કર તરીકે જ કાર્ય કરે છે .

*🎯🎯રેવન્યુ રિસીટ / ખર્ચ🔰🔰*
કરવેરા જેવી તમામ આવકો અને પગારો , સબસિડીઝ તથા વ્યાજની ચુકવણીઓ , જેમાં મિલકતોનું વેચાણ કે સર્જન થતું નથી , તે તમામ આ ખાતા હેઠળ આવે છે .

*🎯🎯કેપિટલ રિસીટ / ખર્ચ🔰🔰*
કેપિટલ એકાઉન્ટ એસેટ્સના લિક્વિડેટિંગમાંથી ( એટલે કે કોઈ જાહેર સાહસની કંપનીના શેરોના વેચાણ) માંથી થતી તમામ આવક તથા મિલકતોના સર્જન ( વ્યાજ મેળવવા આપવામાં આવતું ધિરાણ) પાછળ થતા ખર્ચને બતાવે છે .

*🎯🎯રેવન્યુ વિરુદ્ધ કેપિટલ🔰🔰*
બજેટે મહેસૂલી ખાતા પરની તમામ આવક / ખર્ચને અન્ય ખર્ચથી અલગ બતાવવી પડે . આમ , તમામ આવકો , એટલે કે કોન્સોલિડેટેડ ફંડને રેવન્યુ બજેટ ( રેવન્યુ એકાઉન્ટ ) અને કેપિટલ બજેટ ( કેપિટલ એકાઉન્ટ) માં વિભાજિત કરવામાં આવે છે . કેપિટલ એકાઉન્ટમાં મહેસૂલી સિવાયની આવક અને ખર્ચનો સમાવેશ થાય છે .

*🎯🎯રેવન્યુ / કેપિટલ બજેટ🔰🔰*
સરકારે રેવન્યુ બજેટ ( જેમાં મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચની વિગતો હોય ) અને કેપિટલ બજેટ (જેમાં મૂડીની આવક અને મૂડીખર્ચ હોય ) તૈયાર કરવા પડે છે.
👉અંદાજપત્રને આપણે અંગ્રેજીમાં ‘બજેટ’ (Budget) તરીકે ઓળખીયે છીએ. બજેટ શબ્દ મધ્યયુના “Bowgett” શબ્દ પરથી ઉતરી આવ્યો છે. જ્યારે “Bowgette” શબ્દ મધ્યયુગના ફ્રેંચ શબ્દ “Bowgette” શબ્દ પરથી ઉતરી આવ્યો છે...*
*🔘જેનો અર્થથાય છે “ચામડા નો થેલો” આમ બજેટનો અર્થ હિસાબો અને દસ્તાવેજો રાખવાની નાનીથેલી કે બેગ કે પછી વર્તમાન સંદર્ભમાં જોઇએતો “બ્રીફકેસ” એવો થાય છે. *

*🎯👉નાણામંત્રી સંસદમા એમની “બ્રીફકેસ” માં જે હિસાબો અને દસ્તાવેજો લઈને આવે તની રજુઆત કરે એટલે અંદાજપત્ર/બજેટ ની રજુઆત...*

*💠👉એક જમાનામાં ‘અંદાજપત્ર’ વત્તાઓછા અંશે માત્ર સરકારની નાણાકીય વિધાન ગણાતુ હતુ પરંતુ વર્તમાન સમયે એથી પણ કઈંક વિષેશ મહત્વ ધરાવતુ નાણાકીય વિધાન છે. તેમ માનવામા આવે છે...*

*🎯👉કોઇપણ વ્યક્તિ કુટુંબ મહાનગર પાલિકા, રાજ્ય હોય કે દેશ તેણે પોતાના આવક ખર્ચ વચ્ચે ચોક્કસ સુમેળ સાધવા અંદાજપત્ર બનાવવુ અનીવાર્ય બની રહે છે. જો વ્યવસ્થિત અંદાજપત્ર બનાવેલ હોય તો ચોક્કસ લક્ષ્યાંકો સારી રીતે પાર પાડી શકાયછે...*

*🎯👉કુટુંબ ના અંદાજપત્ર અને સરકાર ના અંદાજપત્ર વચ્ચે એક મહત્વનો તફાવત જોવા મળે છે. જેમ કે કુંટુબ ના અંદાજપત્રમાં પ્રથમ આવક ની ગણતરી કરવામા આવેછે. અને તે પછીજ ખર્ચ નક્કી કરય છે....*

*👆👉જ્યારે દેશ ના અંદાજપત્રમાં સૌ પ્રથમ ખર્ચ નુ અયોજન કરી તે ખર્ચ ને પહોંચી વળવા માટે ક્યાંક્યાં સ્ત્રોતો માંથી કેટલી આવક મેળવવી તે નક્કી કરવામાં આવેછે...*

*🔰🔰જુદા-જુદા અંદાજપત્ર :-*

👉ભારતમાં સામાન્ય અંદાજપત્ર અને રેલ્વે અંદાજપત્ર બે મહત્વના અંદાજપત્ર દર વર્ષે જાહેર કરવામાં આવેછે. 
🚂👉ભારતીય રેલ્વે દેશ નુ સૌથી મોટુ જાહેર એકમ હોવા ઉપરાંત અનેક લોકોને રોજગારી પુરી પાડતું દેશ ના મોટા વર્ગ ને સ્પર્શતુ સરકારી સાહસ છે. 
🚂તેથી ભારતમાં સામાન્ય રીતે 26 મી ફેબ્રુઆરીએ દર વર્ષે રેલ્વે અંદાજપત્ર દેશ ના રેલ્વે મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેછે. 

*🚨ભારતમાં રેલ્વે શીવાય નુ બીજુ અને સૌથી મહત્વનુ અંદાજપત્ર જે સામાન્ય અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવેછે.* 
*🚨દેશનું સામાન્ય અંદાજપત્ર દેશ નાં નાંણામંત્રી દ્વારા ફેબ્રુઆરીનાં છેલ્લા દિવસે એટલેકે 28 કે 29મી ફેબ્રુઆરીનાં રોજ 11-00 કલાકે લોકસભામાં રજુ કરવામાં આવેછે. સામાન્ય અંદાજપત્રમાં વર્ષ દરમિયાન સરકાર જુદા-જુદા વિભાગો જેવા કે *
🚨👉ખેતી,ઉધોગ,સંરક્ષણ,શિક્ષણ,ગ્રામીણ વિકાસ, ઉર્જા, સિંચાઈ, શહેરી વિકાસ, ખેડુતો માટે, બાળકો માટે.પરિવહન વગેરે વિવિધ ક્ષેત્રો પાછળ ફાળવાયેલા નાણાંની વિગત ઉપરાંત વર્ષ દરમિયાન આ ખર્ચ ને પહોંચી વળવા મટે આવક કયાં-કયાં ક્ષેત્રો માંથી આવશે અને કેટલી આવશે તેની અંદાજીત વિગતો રજુ કરવામાં આવેછે. 

👉જેમકે સરકારી જાહેર સાહસો ની આવક, પ્રત્યક્ષ – પરોક્ષ કરવેરા, એક્સાઈઝ ડ્યુટી, દિસઈન્વેસ્ટમેન્ટ , જાહેર દેવુ ઉપરાંત કુલ આવક અને કુલ ખર્ચ ઉપરાંત બજેટની કુલ નાણાંકીય ખાધનો અંદાજ રજુ કરવામાં આવેછે. અને વર્ષ દરમિયાન ના અંદાજપત્રીય લક્ષ્યાંકો ને પહોંચી વળવા પુરતા પ્રયત્નો કરવામાં આવેછે. 

🎯👉ભારત દેશનાં સામાન્ય અંદાજપત્ર સીવાય વિવિધ રાજ્યો નાં અંદાજપત્રો પણ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડીયામાં લગભગ 20 થી 23 ફેબ્રુઆરી આસપાસ રજુ કરવામાં આવેછે. આ સીવાય દેશ ની બધીજ મહાનગર પાલિકાઓના અંદાજપત્રો પણ રાજ્ય સરકારના અંદાજપત્રોના બે ત્રણ દિવસ અગાઉ રજુ કરવામા આવેછે. જેમા વાર્ષિક આવક- ખર્ચની અંદાજપત્રીય વિગતો દર્શાવવામાં આવે છે.

*💰💷💷💵અર્થ/વ્યાખ્યા:- 👇*

♻️💠અંદાજપત્ર ગતવર્ષ દરમિયાન સરકારે કરેલી પ્રવૃત્તી ઓની આવક-જાવકની નાણાકીંય આવક-ખર્ચ અંગેના અંદાજોની માહીતી આપેછે..\

ભારતના સામાન્ય અંદાજપત્રની શરૂઆત/ઈતિહાસ🔘👇*

ભારતમાં સૌપ્રથમ સામાન્ય અંદાજપત્ર બ્રીટીશ તાજ હેઠળની 🤖ઈસ્ટ ઈન્ડીયા કંપનીએ 1857 નાં વિપ્લવમાં સફળતા મેળવ્યા પછી 
😱1860 ની 7મી એપ્રિલે જેમ્સ વિલ્સને રજુ કર્યુ હતુ.
✅👉2001 પહેલા દેશનું સામાન્ય અંદાજપત્ર સાંજે 5 કલાકે રજુ કરવાની પરંપરા હતી. 
👉⭕️જે 1924માં બેસિલ બ્લેકેટ્ટે શરૂ કરી હતી. 
🎯👆👉આમ કરવા પાછળ ના બે ઉદ્દેશો હતા કે બ્રીટીશ સમય ભારતીય સમય કરતા લગભગ 5 થી 6 કલાક પાછલ હોવાથી ભારતમાં સાંજે 5 વાગે બજેટ રજુ થાય ત્યારે બ્રીટીશ સાંસદ 🔘“હાઉસ ઓફ કોમન્સ”🔘 ની બેઠક ચાલુ હોય છે અને બીજો ઉદ્દેશ બજેટના દસ્તાવેજો તૈયાર કરતા કર્મચારીઓને બજેટ ની જાહેરાતના 🐾એક અઠવાડીયા🐾 અગાઉ નાણાંમંત્રાલયમાં એકાંતવાસમાં રાખવામાં આવેછે. જેઓ સતત કામ કરવાથી અને બજેટની આગળની રાત્રે રાતભર કામ કરવાથી તેમને પુરતો આરામ મળી રહે તે માટે 🔘સાંજે 5 કલાકે અંદાજપત્ર રજુ કરવાની પરંપરા 2000 સુધી ચાલી આવી હતી.

*💠🎯🎯પાકિસ્તાન ના પ્રથમ વડાપ્રધાન બનેલા લિયાકત અલી ખાને ✍ભારત-પાકિસ્તાન ના ભાગલા પહેલા 1846-47 માં વચગાળાનું અંદાજપત્ર રજુ કર્યુ હતુ.*
👁‍🗨👉જેમા તેમણે ઉચ્ચ હિંન્દુ શ્રીમંત વર્ગ પર આવકવેરો નાખ્યો હતો. જેનો જોરદાર વિરોધ થયો હતો. આ નિર્ણયે પણ ભારત- પકિસ્તાનના ભાગલામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.🔘🔘

♻️💠🎯આઝાદ ભારત નુ પ્રથમ સામાન્ય અંદાજપત્ર આઝાદી પછી 26મી નવેમ્બર 👉1947ના દિવસે સાંજે 5 વાગે આર.કે.શણમુખમ રેડ્ડી એ રજુ કર્યુ હતુ.

*👉💠👉1948-49માં આર.કે.શણમુખમ રેડ્ડી એ સૌ પ્રથમ 🔸વચગાળાનુ અંદાજપત્ર 🔹એવો શબ્દ પ્રયોગ કર્યો હતો.ત્યારબાદ વચગાળાના અંદાજપત્ર નો અર્થ🔘 ટુંકાગાળાનુ અંદાજપત્ર એવો થવા લાગ્યો.*

*🇮🇳પ્રજાસત્તાક ભારત નુ સૌપ્રથમ અંદાજપત્ર 28મી ફેબ્રુઆરી 1950 ના રોજ ⭕️જહોન મથાઈ ⭕️એ રજુ કર્યુ હતુ. પ્રજાસત્તાક ભારતના પ્રથમ સામાન્ય અંદાજપત્ર ની રજુઆત સમયે 🔘આયોજનપંચ અસ્તિત્વ માં આવ્યુ🔘 હતુ.♻️જહોન મથાઈ પહેલા રેલ્વે પ્રધાન હતા પછી નાણાંપ્રધાન બનેલા.*

*🎯👉સી.ડી.દેશમુખે નાણાંમંત્રી તરીકે 1950 થી 1956 સુધી સામાન્ય અંદાજપત્ર રજુ કર્યા હતા.👉સી.ડી. દેશમુખે નાણાંપ્રધાન બન્યા તે પહેલા 11 ઓગસ્ટ 1943 થી 30 જુન 1949 સુધી રીઝર્વ બેંક ઓફ ઈંડિયા ના ગવર્નર તરીકે ની જવાબદારી સંભાળી હતી...*
*👉આમ સી.ડી.દેશમુખ નાણાંમંત્રી તરીકે અંદાજપત્ર રજુ કરનાર રીઝર્વ બેંક ના પહેલા ગવર્નર હતા.👏👏👏*
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*👉1955-56થી સામાન્ય અંદાજપત્ર ના દસ્તાવેજો હિન્દી ભાષામા પણ તૈયાર કરવાની શરૂઆત થઈ. પહેલા માત્ર અંગ્રેજી ભાષામાંજ દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા હતા.*

*💠🎯👉ભારતમાં સૌથી વધુ સામાન્ય અંદાજપત્ર રજુ કરનાર નાણાંમંત્રી તરીકે ગુજરાત ના પનોતા પુત્ર એવા શ્રી ⭕️મોરારજી દેસાઈ⭕️ એ 10 વાર સામાન્ય અંદાજપત્રો રજુ કર્યા છે. 
🎯👉જેમા ચીન સાથેના યુધ્ધ પછી નું 1962-63નું અને 1967-68નું એમ બે વચગાળાના અંદાજપત્રો નો પણ સમાવેશ થાય છે.*

💠🎯👉1965-66ના અંદાજપત્રમાં સૌ પ્રથમ વખત 🔘કાળાનાણાંની જાહેરાત🔘 ની યોજના અમલમાં મુકવામાં આવી.
♻️🔘♻️મોરારજી દેસાઈ દેશ ના એકમાત્ર એવા નાણાંમત્રી છે જેમણે પોતાના જન્મદિને 2અંદાજપત્ર રજુ કર્યા છે.જેમાં 29મી ફેબ્રુઆરી વર્ષ 1964 અને વર્ષ 1968 ના અંદાજપત્ર નો સમાવેશ થાય છે.🍰🎂🍰

🎯👉👉1973-74 ના અંદાજપત્ર ની ગણના ભારતના ઈતીહાસમાં ⚫️કાળા અંદાજપત્ર⚫️ તરીકે થાય છે કારણકે એ વર્ષ અંદાજપત્રીય ખાધ રૂ. 550/- કરોડની થઈ હતી.

*🔵કુલ ત્રણવાર દેશ ના વડાપ્રધાન દ્વારા સામાન્ય અંદાજપત્રો રજુ થયા છે જેમ કે,*  🔶(1)1958-59માં જવાહરલાલ નહેરુએ 
🔷(2)1970-71માં ઈન્દીરા ગાંધીએ 
🔶(3)1987-88માં રાજીવ ગાંધીએ
*☑️🔘☑️ જોગાનુ જોગ ત્રણેય એકજ કુંટુબના વારસદારો પિતા-પુત્રી અને માતા પુત્ર છે.*

*👵👵ઈન્દીરા ગાંધી દેશના એક માત્ર મહિલા છે જેમણે દેશનું સામાન્ય અંદાજપત્ર રજુ કર્યુ હોય.*

*👴👴“પ્રણવ મુખર્જી” પ્રથમ એવા નાણાં પ્રધાન હતા જેઓ રાજ્યસભાના સભ્ય તરીકે નાણાંખાતાનો હવાલો સંભાળતા હતા તેમણે રાજ્યસભાના સભ્ય અને નાણાંપ્રધાન તરીકે 1982 થી 1985 દરમિયાન ચાર અંદાજપત્રો રજુ કર્યા હતા....*
👤👥👤ત્યારબાદ તેમણે 2010 થી 2012 સુધી લોકસભાના સભ્ય અને નાણાંપ્રધાન તરીકે ત્રણ અંદાજપત્રો રજુ કર્યા હતા. આમ તમણે કુલ સાત અંદાજપત્રો રજુ કર્યા છે.👏👏

*👁‍🗨👉 વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે વર્ષ- 1991-92માં નાણાંમંત્રી તરીકે રજુ કરેલ અંદાજપત્ર ભારતીય રાજ્યસભાના સભ્ય સામાન્ય અંદાજપત્ર ના ઈતિહાસ નુ ક્રાંતિકારી અંદાજપત્ર ગણાય છે....*

*🔰👉જેમા તમણે આર્થિક ક્ષેત્રે ઉદાર વલણ અપનાવ્યું. જેના પરીણામે આજે ભારત આર્થિક ક્ષેત્રે વિશ્વના ટોપ-10 દેશો માં સ્થાન ધરાવેછે અને ભારતની આર્થિક સ્થિતી મજબુત બની છે....*

*👁‍🗨💠💠👁‍🗨👁‍🗨👁‍🗨👉2001 પહેલાનુ કેન્દ્રનુ સમાન્ય અંદાજપત્ર સાંજે 5-00 કલાકે રજુ થતું હતું પરંતુ 2001માં 🔘એન.ડી.એ.સરકારમાં અટ્લબિહારી બાજપેઈ વડાપ્રધાન હતા ત્યારે 🔘નાણાં મંત્રી યશવંત સિંહા એ સવારે 11 કલાકે અંદાજપત્ર રજુ કરી એક વર્ષો જુની પરંપરા બદલી હતી.👏👏*

*🎯💠🎯કોર્પોરેટ ટેક્ષ સૌપ્રથમ વખત રાજીવગાંધીએ 1987 ના અંદાજપત્રમાં નાખ્યો હતો. આ તેમનુ એક્માત્ર અંદાજપત્ર હતુ જે તેમણે 🔘વડાપ્રધાન તરીકે રજુ કર્યુ હતુ...*
કોર્પોરેટટેક્સ  સરકારને સૌથી વધુ આવક આપતો કરછે.
♻️1994માં નાણાંમંત્રી ડૉ.મનમોહન સિંહે પ્રથમ વખત સર્વિસ ટેક્સ દાખલ કર્યો હતો.
🎯💠વર્ષ 2012-13નું સામાન્ય અંદાજપત્ર પાંચ રાજ્યો ની વિધાનસભાની ચુંટણી ને કારણે ફેબ્રુઆરીના અંતીમ દિવસ ને બદલે ચુંટણી ના પરિણામ પછી 16 માર્ચે રજુ કર્યુ હતુ.

👉પી.ચિદમ્બરમ સામાન્ય અંદાજપત્ર રજુ કરનારા દેશના 28મા નાણાંપ્રધાન હતા કે જેમણે સૌથી વધુ 10 સામાન્ય અંદાજપત્રરજુ કરનાર નાણાંમંત્રી મોરારજી દેસાઈ પછી બીજા ક્રમે 8 સામાન્ય અંદાજપત્રો રજુ કર્યા છે.

*🎯👉દેશનુ સૌ પ્રથમ સામાન્ય અંદાજપત્ર કુલ 193 કરોડ રૂપિયાનુ હતુ...*

मनोविज्ञान के 40 रोचक तथ्य

मनोविज्ञान के 40 रोचक तथ्य 1. यदि आप चाहते हो कि कोई आपकी बात ध्यान से सुनें तो बात की शुरूआत इस वाक्य से करो: “ मैं आपको यह बताना तो ...