Monday, 15 January 2018

બજેટ

*👁‍🗨👉મિત્રો બજેટ મારફત સરકાર ટેક્સ , ડ્યૂટી , ઋણ વગેરે દ્વારા ભંડોળ એકત્ર કરવા સંસદની મંજૂરી માંગે છે . આ ભંડોળનો ઉપયોગ સંસદની મંજૂરી સાથે ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવે છે.*

*🎯બજેટ કોણ બનાવે છે❓❔❓*

નાણામંત્રાલય , આયોજન પંચ અને ખર્ચકર્તા મંત્રાલયો વચ્ચેની વિચારવિમર્શ પ્રક્રિયા મારફત બજેટ તૈયાર કરવામાં આવે છે . રાજ્યો આયોજન પંચ સમક્ષ પોતાની વાર્ષિક માંગણી રજૂ કરે છે.
નાણામંત્રાલય અને આયોજન પંચ ખર્ચ માટેની માર્ગરેખા જારી કરે છે , જેના આધારે વિવિધ મંત્રાલયો પોતાની માંગણી રજૂ કરે છે . નાણામંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગનું બજેટ ડિવિઝન બજેટ તૈયાર કરનારી મધ્યસ્થ એજન્સી છે.

*🎯બજેટ કેવી રીતે બનાવવામાં આવે છે ?*

👁‍🗨બજેટ ડિવિઝન સપ્ટેમ્બરમાં આગામી વર્ષ માટેના બજેટ અંદાજ તૈયાર કરવા તમામ કેન્દ્રીય મંત્રાલયો , રાજ્યો , કેન્દ્રશાસિત પ્રદેશો , સ્વાયત્ત સંસ્થાઓ અને વિભાગો તથા સુરક્ષા દળોને એક પરિપત્ર જારી કરે છે .

👁‍🗨મંત્રાલયો અને વિભાગો પોતાની માંગણીઓ સુપરત કરે તે પછી કેન્દ્રીય મંત્રાલયો અને નાણામંત્રાલયના ખર્ચ વિભાગ વચ્ચે વિશદ ચર્ચાવિચારણા થાય છે .

*👁‍🗨જાન્યુઆરીના અંત ભાગ સુધીમાં બજેટ પહેલાની બેઠકો પૂરી થયા બાદ નાણામંત્રાલયે ટેક્સની દરખાસ્તો અંગે અંતિમ નિર્ણય કરે છે . બજેટને સીલબંધ કરતાં પહેલાં વડાપ્રધાન સાથે ચર્ચા કરવામાં આવે છે . આની સાથે સાથે આર્થિક બાબતોનો વિભાગ અને મહેસૂલ વિભાગ ખેડૂતો , બિઝનેસ , એફઆઇઆઇ , અર્થશાસ્ત્રીઓ , સામાજિક સંગઠનો જેવા પક્ષકારોના અભિપ્રાય મેળવીને તેની વિચારણા કરે છે .* 

*🎯બજેટની રજૂઆત🔰🔰🔰*

👁‍🗨સરકારે સૂચવેલી તારીખ સાથે સ્પીકર સંમત થાય તે પછી લોકસભા સચિવાલયના સેક્રેટરી જનરલ રાષ્ટ્રપતિની મંજૂરી માગે છે .

બજેટ રજૂ થવાનું હોય તે દિવસની સવારે સરકાર નાણા મંત્રાલય અને વડાપ્રધાન દ્વારા મંજૂર કરેલી ' સમરી ફોર ધી પ્રેસિડન્ટ ' મારફત સરકાર રાષ્ટ્રપતિની મંજૂરી માંગે છે .
*નાણાપ્રધાન બજેટ રજૂ કરતા પહેલા ' સમરી ફોર કેબિનેટ ' મારફત બજેટ દરખાસ્તો અંગે કેબિનેટને માહિતી આપે છે .*
*👁‍🗨નાણાપ્રધાન લોકસભામાં બજેટ રજૂ કરે છે , જેમાં મુુખ્ય અંદાજ અને દરખાસ્તોની રૂપરેખા હોય છે .*

*👁‍🗨નાણાપ્રધાનના બજેટ પ્રવચનના બે ભાગ હોય છે . ભાગ - એમાં દેશનો સામાન્ય આર્થિક સરવે અને નીતિવિષયક નિવેદનો હોય છે . ભાગ - બીમાં ટેક્સની દરખાસ્તો હોય છે .*

*👁‍🗨નાણાપ્રધાનના પ્રવચન પછી રાજ્યસભામાં ' વાર્ષિક નાણાકીય નિવેદન ' રજૂ કરવામાં આવે છે . બજેટ રજૂ કરવામાં આવ્યું હોય તે દિવસે કોઇ ચર્ચા થતી નથી .*
BUDGET બજેટ 
આ મુદ્દા પર પ્રિલીમીનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા મા આ મુદ્દા અનુરૂપ પ્રશ્નો પૂછાયા છે અને પૂછાતાં પણ રહશે..

*🎯બજેટને મંજૂરી કેવી રીતે મળે છે🔰🔰*
*🎯👉♦️બજેટની ચર્ચા બે ભાગમાં વહેંચાયેલી હોય છે .*

*🔘🔘🔘સામાન્ય ચર્ચા*
બજેટ પછીના થોડા દિવસમાં 2 થી 3 દિવસ માટે લોકસભામાં સામાન્ય ચર્ચા થાય છે .

*🎯👉સંસદ પાસેથી નાણાકીય વર્ષના પ્રારંભિક મહિનાઓના ખર્ચ માટે ' લેખાનુદાન ' મેળવવામાં આવે છે .*

*ચર્ચાના અંતે નાણાપ્રધાન ચર્ચાનો જવાબ આપે છે . નિર્ધારિત મુદત માટે ગૃહને મોકૂફ રાખવામાં આવે છે .*

*💠🎯🔘🔘વિગતવાર ચર્ચા🔰*
આ વિરામ દરમિયાન સંબંધિત સ્થાયી સમિતિઓ દ્વારા ડિમાન્ડ ફોર ગ્રાન્ટની ચર્ચા કરવામાં આવે છે .
👁‍🗨🎯ગૃહની બિઝનેસ એડવાઇઝરી કમિટીએ નિર્ધારિત કરેલા સમયપત્રક મુજબ આ દરેક ડિમાન્ડને હાથ પર લેવામાં આવે છે .
👉કોઇ પણ સભ્ય નીચેની ત્રણમાંથી કોઇપણ એક કાપ દરખાસ્ત મારફત ફાળવણીમાં કાપ માગી શકે છે

*🎯ડિસએપ્રુવલ ઓફ પોલિસી કટ🔰🔰*
1. ઇકોનોમી કટ
2. ટોકન કટ

ડિમાન્ડ ફોર ગ્રાન્ટ અંગેની ચર્ચાના છેલ્લા દિવસે સ્પીકર તમામ બાકી ડિમાન્ડ માટે ગૃહમાં મતદાન કરાવે છે. ડિમાન્ડ ફોર ગ્રાન્ટ બાદ ખર્ચ બિલ અંગે લોકસભામાં મતદાન થાય છે . તેનાથી સરકારને કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી ખર્ચ કરવાની સત્તા મળે છે . ખર્ચ બિલ બાદ ફાઇનાન્સ બિલની સંસદ વિચારણા કરે છે અને મંજૂરી આપે છે .
*🎯👉આ બિલને બંને ગૃહની મંજૂરી મળવી જોઇએ અને તેની રજૂઆતના 75 દિવસમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળવી જોઇએ.*
👉ફાઇનાન્સ બિલની મંજૂરી અને તેના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે બજેટ પ્રક્રિયા પૂરી થાય છે .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*🎯7 એપ્રિલ , 1860 - પ્રથમ બજેટની રજૂઆત👁‍🗨👁‍🗨👇👇*

*👉ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતનો વહીવટ બ્રિટિશ રાજાને સોંપ્યાના બે વર્ષ બાદ પ્રથમ ભારતીય ફાઇનાન્સ મેમ્બર જેમ્સ વિલ્સને આ બજેટ રજૂ કર્યું હતું .*
🇮🇳🇮🇳આઝાદી બાદ
વચગાળાની સરકારના સભ્ય લિયાકત અલી ખાને 1947-48 માટેનું બજેટ રજૂ કર્યું હતું . આર કે શણ્મુખમ ચેટ્ટીએ 26 નવેમ્બર , 1947 એ આઝાદ ભારતનું પ્રથમ સંપૂર્ણકક્ષાનું બજેટ રજૂ કર્યું હતું . ભારતમાં 1867 થી એપ્રિલથી માર્ચના નાણાકીય વર્ષનો અમલ , તે પહેલા મેથી એપ્રિલનું નાણાકીય વર્ષ હતું .

*👉બંધારણ અને પરંપરા બંધારણમાં ' બજેટ ' શબ્દનો ઉલ્લેખ નથી બંધારણની કલમ 112 મુજબ સરકારે સંસદમાં ' વાર્ષિક નાણાકીય નિવેદન ' રજૂ કરવું પડે છે , જે સામાન્ય રીતે ' બજેટ ' તરીકે ઓળખાય છે . નાણાપ્રધાન ફેબ્રુઆરીના છેલ્લા કામકાજના દિવસે સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરે છે .*
👉1999 પહેલા સાંજે પ વાગે રજૂ થતું હતું .

*🎯બજેટના વિવિધ આધાર🔰🔰*
- રોકડ આધાર
તે અંદાજિત રોકડપ્રવાહ અને અંદાજિત ખર્ચ પ્રવાહના આધારે તૈયાર કરાય છે . તે એક્રુઅલ ધોરણે તૈયાર કરાતા કોર્પોરેટ હિસાબોથી અલગ છે .
👉- રદબાતલનો નિયમ
વર્ષના અંતે સંબંધિત મંત્રાલય દ્વારા ઉપયોગ ન થયેલું ભંડોળ ' રદબાદત ' થાય છે .
- અંદાજપત્રના વિભાગીય આધાર
બજેટ માટેનો એકમ એક વિભાગ છે
બજેટના દસ્તાવેજો
- વાર્ષિક નાણાકીય નિવેદન
- ડિમાન્ડ ફોર ગ્રાન્ટ
- રિસિટ બજેટ
- ખર્ચ બજેટ વોલ્યુમ -1
- ખર્ચ બજેટ વોલ્યુમ -2
- ફાઇનાન્સ બિલ
- ફાઇનાન્સ બિલ સમજાવતુ મેમોરેન્ડમ
- બજેટની હાઇલાઇટ
- જાહેરાતોના અમલીકરણનો સ્ટેટસ
- ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી અને બજેટ મેનેજમેન્ટ એક્ટ સંબંધિત દસ્તાવેજો
- કી ટુ બજેટ દસ્તાવેજ
- બજેટ પ્રવચન
*👉સરકારનું વાર્ષિક અંદાજપત્ર ( બજેટ ) ઘરેલુ બજેટથી બહુ અલગ નથી , ફક્ત તેમાં ચોક્કસ શબ્દપ્રયોગો પુષ્કળ જોવા મળે છે . પાંચ ભાગની શ્રેણીમાં ઇકોનોમિક ટાઇમ્સ વાચકોને મહેસૂલી ખાતાથી લઈને જેની ખૂબ ચર્ચા થાય છે તે રાજકોષીય ખાધ સુધીના મહત્ત્વના શબ્દો કે શબ્દસમૂહો અંગે સરળ સમજ ઉપલબ્ધ કરવામાં મદદ કરશે . અહીં પ્રથમ ભાગમાં બજેટના પાયાના માળખાને સમજાવ્યું છે.*
 ✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*🎯એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ🔰*

વાર્ષિક બજેટ માટે નાણાપ્રધાનના બજેટ પ્રવચનથી સામાન્ય માણસ મૂંઝાય છે . પરંતુ બંધારણમાં જણાવ્યા અનુસાર , બજેટ એટલે વાસ્તવમાં 13-15 અન્ય દસ્તાવેજો સાથે સંસદમાં રજૂ કરવામાં આવેલું વાર્ષિક નાણાકીય નિવેદન છે . તેમાં ત્રણ ભાગ હોય છે - કોન્સોલિડેટેડ ફંડ , કન્ટિજન્સી ફંડ અને પબ્લિક એકાઉન્ટ . તેમાં આવક અને જાવકની વિગતો હોય છે .

*🎯🎯કોન્સોલિડેટેડ ફંડ🔰🔰*
સરકાર પાસેના નાણાકીય ભંડોળ પૈકી આ મુખ્ય ભંડોળ છે . તમામ મહેસૂલી આવક , ઉછીના લેવામાં આવેલાં નાણાં અને તેણે આપેલી લોન્સમાંથી મળતી આવક તે તમામ આ ખાતામાં આવે છે . તમામ સરકારી ખર્ચ આ ભંડોળમાંથી કાઢવામાં આવે છે . આ ભંડોળમાંથી કોઈ પણ ખર્ચ કરવા માટે સંસદની મંજૂરી લેવાની જરૂર પડે છે .

*🎯🎯કન્ટીજન્સી ફંડ🔰🔰*

*તાકીદનાઅથવા અણધાર્યા તમામ ખર્ચ આ રૂ .500 કરોડના ભંડોળમાંથી કરવામાં આવે છે . તે રાષ્ટ્રપતિને આધીન હોય છે . આ ભંડોળમાંથી ઉપાડવામાં આવતી કોઈ પણ રકમ કોન્સોલિડેટેડ ફંડમાંથી સરભર કરવામાં આવે છે.*

*🎯પબ્લિક એકાઉન્ટ🔰🔰*
આ ભંડોળમાં રહેલા તમામ નાણાં અન્યોના , જેમ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડનાં હોય છે . સરકાર આ ફંડ માટે એક બેન્કર તરીકે જ કાર્ય કરે છે .

*🎯🎯રેવન્યુ રિસીટ / ખર્ચ🔰🔰*
કરવેરા જેવી તમામ આવકો અને પગારો , સબસિડીઝ તથા વ્યાજની ચુકવણીઓ , જેમાં મિલકતોનું વેચાણ કે સર્જન થતું નથી , તે તમામ આ ખાતા હેઠળ આવે છે .

*🎯🎯કેપિટલ રિસીટ / ખર્ચ🔰🔰*
કેપિટલ એકાઉન્ટ એસેટ્સના લિક્વિડેટિંગમાંથી ( એટલે કે કોઈ જાહેર સાહસની કંપનીના શેરોના વેચાણ) માંથી થતી તમામ આવક તથા મિલકતોના સર્જન ( વ્યાજ મેળવવા આપવામાં આવતું ધિરાણ) પાછળ થતા ખર્ચને બતાવે છે .

*🎯🎯રેવન્યુ વિરુદ્ધ કેપિટલ🔰🔰*
બજેટે મહેસૂલી ખાતા પરની તમામ આવક / ખર્ચને અન્ય ખર્ચથી અલગ બતાવવી પડે . આમ , તમામ આવકો , એટલે કે કોન્સોલિડેટેડ ફંડને રેવન્યુ બજેટ ( રેવન્યુ એકાઉન્ટ ) અને કેપિટલ બજેટ ( કેપિટલ એકાઉન્ટ) માં વિભાજિત કરવામાં આવે છે . કેપિટલ એકાઉન્ટમાં મહેસૂલી સિવાયની આવક અને ખર્ચનો સમાવેશ થાય છે .

*🎯🎯રેવન્યુ / કેપિટલ બજેટ🔰🔰*
સરકારે રેવન્યુ બજેટ ( જેમાં મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચની વિગતો હોય ) અને કેપિટલ બજેટ (જેમાં મૂડીની આવક અને મૂડીખર્ચ હોય ) તૈયાર કરવા પડે છે.
👉અંદાજપત્રને આપણે અંગ્રેજીમાં ‘બજેટ’ (Budget) તરીકે ઓળખીયે છીએ. બજેટ શબ્દ મધ્યયુના “Bowgett” શબ્દ પરથી ઉતરી આવ્યો છે. જ્યારે “Bowgette” શબ્દ મધ્યયુગના ફ્રેંચ શબ્દ “Bowgette” શબ્દ પરથી ઉતરી આવ્યો છે...*
*🔘જેનો અર્થથાય છે “ચામડા નો થેલો” આમ બજેટનો અર્થ હિસાબો અને દસ્તાવેજો રાખવાની નાનીથેલી કે બેગ કે પછી વર્તમાન સંદર્ભમાં જોઇએતો “બ્રીફકેસ” એવો થાય છે. *

*🎯👉નાણામંત્રી સંસદમા એમની “બ્રીફકેસ” માં જે હિસાબો અને દસ્તાવેજો લઈને આવે તની રજુઆત કરે એટલે અંદાજપત્ર/બજેટ ની રજુઆત...*

*💠👉એક જમાનામાં ‘અંદાજપત્ર’ વત્તાઓછા અંશે માત્ર સરકારની નાણાકીય વિધાન ગણાતુ હતુ પરંતુ વર્તમાન સમયે એથી પણ કઈંક વિષેશ મહત્વ ધરાવતુ નાણાકીય વિધાન છે. તેમ માનવામા આવે છે...*

*🎯👉કોઇપણ વ્યક્તિ કુટુંબ મહાનગર પાલિકા, રાજ્ય હોય કે દેશ તેણે પોતાના આવક ખર્ચ વચ્ચે ચોક્કસ સુમેળ સાધવા અંદાજપત્ર બનાવવુ અનીવાર્ય બની રહે છે. જો વ્યવસ્થિત અંદાજપત્ર બનાવેલ હોય તો ચોક્કસ લક્ષ્યાંકો સારી રીતે પાર પાડી શકાયછે...*

*🎯👉કુટુંબ ના અંદાજપત્ર અને સરકાર ના અંદાજપત્ર વચ્ચે એક મહત્વનો તફાવત જોવા મળે છે. જેમ કે કુંટુબ ના અંદાજપત્રમાં પ્રથમ આવક ની ગણતરી કરવામા આવેછે. અને તે પછીજ ખર્ચ નક્કી કરય છે....*

*👆👉જ્યારે દેશ ના અંદાજપત્રમાં સૌ પ્રથમ ખર્ચ નુ અયોજન કરી તે ખર્ચ ને પહોંચી વળવા માટે ક્યાંક્યાં સ્ત્રોતો માંથી કેટલી આવક મેળવવી તે નક્કી કરવામાં આવેછે...*

*🔰🔰જુદા-જુદા અંદાજપત્ર :-*

👉ભારતમાં સામાન્ય અંદાજપત્ર અને રેલ્વે અંદાજપત્ર બે મહત્વના અંદાજપત્ર દર વર્ષે જાહેર કરવામાં આવેછે. 
🚂👉ભારતીય રેલ્વે દેશ નુ સૌથી મોટુ જાહેર એકમ હોવા ઉપરાંત અનેક લોકોને રોજગારી પુરી પાડતું દેશ ના મોટા વર્ગ ને સ્પર્શતુ સરકારી સાહસ છે. 
🚂તેથી ભારતમાં સામાન્ય રીતે 26 મી ફેબ્રુઆરીએ દર વર્ષે રેલ્વે અંદાજપત્ર દેશ ના રેલ્વે મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેછે. 

*🚨ભારતમાં રેલ્વે શીવાય નુ બીજુ અને સૌથી મહત્વનુ અંદાજપત્ર જે સામાન્ય અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવેછે.* 
*🚨દેશનું સામાન્ય અંદાજપત્ર દેશ નાં નાંણામંત્રી દ્વારા ફેબ્રુઆરીનાં છેલ્લા દિવસે એટલેકે 28 કે 29મી ફેબ્રુઆરીનાં રોજ 11-00 કલાકે લોકસભામાં રજુ કરવામાં આવેછે. સામાન્ય અંદાજપત્રમાં વર્ષ દરમિયાન સરકાર જુદા-જુદા વિભાગો જેવા કે *
🚨👉ખેતી,ઉધોગ,સંરક્ષણ,શિક્ષણ,ગ્રામીણ વિકાસ, ઉર્જા, સિંચાઈ, શહેરી વિકાસ, ખેડુતો માટે, બાળકો માટે.પરિવહન વગેરે વિવિધ ક્ષેત્રો પાછળ ફાળવાયેલા નાણાંની વિગત ઉપરાંત વર્ષ દરમિયાન આ ખર્ચ ને પહોંચી વળવા મટે આવક કયાં-કયાં ક્ષેત્રો માંથી આવશે અને કેટલી આવશે તેની અંદાજીત વિગતો રજુ કરવામાં આવેછે. 

👉જેમકે સરકારી જાહેર સાહસો ની આવક, પ્રત્યક્ષ – પરોક્ષ કરવેરા, એક્સાઈઝ ડ્યુટી, દિસઈન્વેસ્ટમેન્ટ , જાહેર દેવુ ઉપરાંત કુલ આવક અને કુલ ખર્ચ ઉપરાંત બજેટની કુલ નાણાંકીય ખાધનો અંદાજ રજુ કરવામાં આવેછે. અને વર્ષ દરમિયાન ના અંદાજપત્રીય લક્ષ્યાંકો ને પહોંચી વળવા પુરતા પ્રયત્નો કરવામાં આવેછે. 

🎯👉ભારત દેશનાં સામાન્ય અંદાજપત્ર સીવાય વિવિધ રાજ્યો નાં અંદાજપત્રો પણ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડીયામાં લગભગ 20 થી 23 ફેબ્રુઆરી આસપાસ રજુ કરવામાં આવેછે. આ સીવાય દેશ ની બધીજ મહાનગર પાલિકાઓના અંદાજપત્રો પણ રાજ્ય સરકારના અંદાજપત્રોના બે ત્રણ દિવસ અગાઉ રજુ કરવામા આવેછે. જેમા વાર્ષિક આવક- ખર્ચની અંદાજપત્રીય વિગતો દર્શાવવામાં આવે છે.

*💰💷💷💵અર્થ/વ્યાખ્યા:- 👇*

♻️💠અંદાજપત્ર ગતવર્ષ દરમિયાન સરકારે કરેલી પ્રવૃત્તી ઓની આવક-જાવકની નાણાકીંય આવક-ખર્ચ અંગેના અંદાજોની માહીતી આપેછે..\

ભારતના સામાન્ય અંદાજપત્રની શરૂઆત/ઈતિહાસ🔘👇*

ભારતમાં સૌપ્રથમ સામાન્ય અંદાજપત્ર બ્રીટીશ તાજ હેઠળની 🤖ઈસ્ટ ઈન્ડીયા કંપનીએ 1857 નાં વિપ્લવમાં સફળતા મેળવ્યા પછી 
😱1860 ની 7મી એપ્રિલે જેમ્સ વિલ્સને રજુ કર્યુ હતુ.
✅👉2001 પહેલા દેશનું સામાન્ય અંદાજપત્ર સાંજે 5 કલાકે રજુ કરવાની પરંપરા હતી. 
👉⭕️જે 1924માં બેસિલ બ્લેકેટ્ટે શરૂ કરી હતી. 
🎯👆👉આમ કરવા પાછળ ના બે ઉદ્દેશો હતા કે બ્રીટીશ સમય ભારતીય સમય કરતા લગભગ 5 થી 6 કલાક પાછલ હોવાથી ભારતમાં સાંજે 5 વાગે બજેટ રજુ થાય ત્યારે બ્રીટીશ સાંસદ 🔘“હાઉસ ઓફ કોમન્સ”🔘 ની બેઠક ચાલુ હોય છે અને બીજો ઉદ્દેશ બજેટના દસ્તાવેજો તૈયાર કરતા કર્મચારીઓને બજેટ ની જાહેરાતના 🐾એક અઠવાડીયા🐾 અગાઉ નાણાંમંત્રાલયમાં એકાંતવાસમાં રાખવામાં આવેછે. જેઓ સતત કામ કરવાથી અને બજેટની આગળની રાત્રે રાતભર કામ કરવાથી તેમને પુરતો આરામ મળી રહે તે માટે 🔘સાંજે 5 કલાકે અંદાજપત્ર રજુ કરવાની પરંપરા 2000 સુધી ચાલી આવી હતી.

*💠🎯🎯પાકિસ્તાન ના પ્રથમ વડાપ્રધાન બનેલા લિયાકત અલી ખાને ✍ભારત-પાકિસ્તાન ના ભાગલા પહેલા 1846-47 માં વચગાળાનું અંદાજપત્ર રજુ કર્યુ હતુ.*
👁‍🗨👉જેમા તેમણે ઉચ્ચ હિંન્દુ શ્રીમંત વર્ગ પર આવકવેરો નાખ્યો હતો. જેનો જોરદાર વિરોધ થયો હતો. આ નિર્ણયે પણ ભારત- પકિસ્તાનના ભાગલામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.🔘🔘

♻️💠🎯આઝાદ ભારત નુ પ્રથમ સામાન્ય અંદાજપત્ર આઝાદી પછી 26મી નવેમ્બર 👉1947ના દિવસે સાંજે 5 વાગે આર.કે.શણમુખમ રેડ્ડી એ રજુ કર્યુ હતુ.

*👉💠👉1948-49માં આર.કે.શણમુખમ રેડ્ડી એ સૌ પ્રથમ 🔸વચગાળાનુ અંદાજપત્ર 🔹એવો શબ્દ પ્રયોગ કર્યો હતો.ત્યારબાદ વચગાળાના અંદાજપત્ર નો અર્થ🔘 ટુંકાગાળાનુ અંદાજપત્ર એવો થવા લાગ્યો.*

*🇮🇳પ્રજાસત્તાક ભારત નુ સૌપ્રથમ અંદાજપત્ર 28મી ફેબ્રુઆરી 1950 ના રોજ ⭕️જહોન મથાઈ ⭕️એ રજુ કર્યુ હતુ. પ્રજાસત્તાક ભારતના પ્રથમ સામાન્ય અંદાજપત્ર ની રજુઆત સમયે 🔘આયોજનપંચ અસ્તિત્વ માં આવ્યુ🔘 હતુ.♻️જહોન મથાઈ પહેલા રેલ્વે પ્રધાન હતા પછી નાણાંપ્રધાન બનેલા.*

*🎯👉સી.ડી.દેશમુખે નાણાંમંત્રી તરીકે 1950 થી 1956 સુધી સામાન્ય અંદાજપત્ર રજુ કર્યા હતા.👉સી.ડી. દેશમુખે નાણાંપ્રધાન બન્યા તે પહેલા 11 ઓગસ્ટ 1943 થી 30 જુન 1949 સુધી રીઝર્વ બેંક ઓફ ઈંડિયા ના ગવર્નર તરીકે ની જવાબદારી સંભાળી હતી...*
*👉આમ સી.ડી.દેશમુખ નાણાંમંત્રી તરીકે અંદાજપત્ર રજુ કરનાર રીઝર્વ બેંક ના પહેલા ગવર્નર હતા.👏👏👏*
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*👉1955-56થી સામાન્ય અંદાજપત્ર ના દસ્તાવેજો હિન્દી ભાષામા પણ તૈયાર કરવાની શરૂઆત થઈ. પહેલા માત્ર અંગ્રેજી ભાષામાંજ દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા હતા.*

*💠🎯👉ભારતમાં સૌથી વધુ સામાન્ય અંદાજપત્ર રજુ કરનાર નાણાંમંત્રી તરીકે ગુજરાત ના પનોતા પુત્ર એવા શ્રી ⭕️મોરારજી દેસાઈ⭕️ એ 10 વાર સામાન્ય અંદાજપત્રો રજુ કર્યા છે. 
🎯👉જેમા ચીન સાથેના યુધ્ધ પછી નું 1962-63નું અને 1967-68નું એમ બે વચગાળાના અંદાજપત્રો નો પણ સમાવેશ થાય છે.*

💠🎯👉1965-66ના અંદાજપત્રમાં સૌ પ્રથમ વખત 🔘કાળાનાણાંની જાહેરાત🔘 ની યોજના અમલમાં મુકવામાં આવી.
♻️🔘♻️મોરારજી દેસાઈ દેશ ના એકમાત્ર એવા નાણાંમત્રી છે જેમણે પોતાના જન્મદિને 2અંદાજપત્ર રજુ કર્યા છે.જેમાં 29મી ફેબ્રુઆરી વર્ષ 1964 અને વર્ષ 1968 ના અંદાજપત્ર નો સમાવેશ થાય છે.🍰🎂🍰

🎯👉👉1973-74 ના અંદાજપત્ર ની ગણના ભારતના ઈતીહાસમાં ⚫️કાળા અંદાજપત્ર⚫️ તરીકે થાય છે કારણકે એ વર્ષ અંદાજપત્રીય ખાધ રૂ. 550/- કરોડની થઈ હતી.

*🔵કુલ ત્રણવાર દેશ ના વડાપ્રધાન દ્વારા સામાન્ય અંદાજપત્રો રજુ થયા છે જેમ કે,*  🔶(1)1958-59માં જવાહરલાલ નહેરુએ 
🔷(2)1970-71માં ઈન્દીરા ગાંધીએ 
🔶(3)1987-88માં રાજીવ ગાંધીએ
*☑️🔘☑️ જોગાનુ જોગ ત્રણેય એકજ કુંટુબના વારસદારો પિતા-પુત્રી અને માતા પુત્ર છે.*

*👵👵ઈન્દીરા ગાંધી દેશના એક માત્ર મહિલા છે જેમણે દેશનું સામાન્ય અંદાજપત્ર રજુ કર્યુ હોય.*

*👴👴“પ્રણવ મુખર્જી” પ્રથમ એવા નાણાં પ્રધાન હતા જેઓ રાજ્યસભાના સભ્ય તરીકે નાણાંખાતાનો હવાલો સંભાળતા હતા તેમણે રાજ્યસભાના સભ્ય અને નાણાંપ્રધાન તરીકે 1982 થી 1985 દરમિયાન ચાર અંદાજપત્રો રજુ કર્યા હતા....*
👤👥👤ત્યારબાદ તેમણે 2010 થી 2012 સુધી લોકસભાના સભ્ય અને નાણાંપ્રધાન તરીકે ત્રણ અંદાજપત્રો રજુ કર્યા હતા. આમ તમણે કુલ સાત અંદાજપત્રો રજુ કર્યા છે.👏👏

*👁‍🗨👉 વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે વર્ષ- 1991-92માં નાણાંમંત્રી તરીકે રજુ કરેલ અંદાજપત્ર ભારતીય રાજ્યસભાના સભ્ય સામાન્ય અંદાજપત્ર ના ઈતિહાસ નુ ક્રાંતિકારી અંદાજપત્ર ગણાય છે....*

*🔰👉જેમા તમણે આર્થિક ક્ષેત્રે ઉદાર વલણ અપનાવ્યું. જેના પરીણામે આજે ભારત આર્થિક ક્ષેત્રે વિશ્વના ટોપ-10 દેશો માં સ્થાન ધરાવેછે અને ભારતની આર્થિક સ્થિતી મજબુત બની છે....*

*👁‍🗨💠💠👁‍🗨👁‍🗨👁‍🗨👉2001 પહેલાનુ કેન્દ્રનુ સમાન્ય અંદાજપત્ર સાંજે 5-00 કલાકે રજુ થતું હતું પરંતુ 2001માં 🔘એન.ડી.એ.સરકારમાં અટ્લબિહારી બાજપેઈ વડાપ્રધાન હતા ત્યારે 🔘નાણાં મંત્રી યશવંત સિંહા એ સવારે 11 કલાકે અંદાજપત્ર રજુ કરી એક વર્ષો જુની પરંપરા બદલી હતી.👏👏*

*🎯💠🎯કોર્પોરેટ ટેક્ષ સૌપ્રથમ વખત રાજીવગાંધીએ 1987 ના અંદાજપત્રમાં નાખ્યો હતો. આ તેમનુ એક્માત્ર અંદાજપત્ર હતુ જે તેમણે 🔘વડાપ્રધાન તરીકે રજુ કર્યુ હતુ...*
કોર્પોરેટટેક્સ  સરકારને સૌથી વધુ આવક આપતો કરછે.
♻️1994માં નાણાંમંત્રી ડૉ.મનમોહન સિંહે પ્રથમ વખત સર્વિસ ટેક્સ દાખલ કર્યો હતો.
🎯💠વર્ષ 2012-13નું સામાન્ય અંદાજપત્ર પાંચ રાજ્યો ની વિધાનસભાની ચુંટણી ને કારણે ફેબ્રુઆરીના અંતીમ દિવસ ને બદલે ચુંટણી ના પરિણામ પછી 16 માર્ચે રજુ કર્યુ હતુ.

👉પી.ચિદમ્બરમ સામાન્ય અંદાજપત્ર રજુ કરનારા દેશના 28મા નાણાંપ્રધાન હતા કે જેમણે સૌથી વધુ 10 સામાન્ય અંદાજપત્રરજુ કરનાર નાણાંમંત્રી મોરારજી દેસાઈ પછી બીજા ક્રમે 8 સામાન્ય અંદાજપત્રો રજુ કર્યા છે.

*🎯👉દેશનુ સૌ પ્રથમ સામાન્ય અંદાજપત્ર કુલ 193 કરોડ રૂપિયાનુ હતુ...*

1 comment:

  1. આ પોસ્ટ શ્રી યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ) દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.. આ લખાણ માં એમની મેહનત છે, બીજાની મહેનત ને માન આપો, બીજાની મહેનત ઉપર ચરી ખાવાનું બંધ કરો

    ReplyDelete

मनोविज्ञान के 40 रोचक तथ्य

मनोविज्ञान के 40 रोचक तथ्य 1. यदि आप चाहते हो कि कोई आपकी बात ध्यान से सुनें तो बात की शुरूआत इस वाक्य से करो: “ मैं आपको यह बताना तो ...