Tuesday, 27 September 2016

સામાજિક વનીકરણ

સામાજિક વનીકરણ

રાષ્ટ્રીય વન નીતિ-1988 મુજબ રાજ્યના એક તૃત્યાંશ ભાગ ભૌગોલિક વિસ્તારને જંગલ અને વૃક્ષ આવરણ તરીકે રાખવો જોઇએ. રાજ્યના ફોરેસ્ટ રિપોર્ટ (2009) મુજબ ગુજરાતનાં માત્ર 11.04% ભૌગોલિક વિસ્તારને જંગલ તરીકે જાહેર કરાયો છે, આ વિસ્તાર રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઘણો ઓછો છે. વન અને વૃક્ષ આવરણ 11.04% (7.48% જંગલો અને 4.26% વૃક્ષ આવરણ જંગલની બહાર છે- TOF) તેના ભૌગોલિક વિસ્તારમાં છે. રાજ્યની અડધોઅડધ વસતી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને તેમની બળતણના લાકડાં, ઘાસચારો, નાના ઇમારતી લાંકડાં અને અન્ય જરૂરિયાતો જેવા જંગલના સ્ત્રોતો પૂર્ણ કરે છે. આ જ કારણે પુનઃનિર્માણ, ઉત્પાદન સ્તર તેમજ બિન-જંગલ જમીનને જાળવી રાખવા ખાસ કરીને રાજ્યની સામાન્ય જમીન ગ્રામ્ય વિસ્તારની વધતી જઇ રહેલી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અત્યંત આવશ્યક છે.
ગુજરાત રાજ્યમાં જંગલના સંરક્ષણ તેમજ હરિયાળા પ્રદેશમાં વધારો કરવા માટે સામાજિક વનીકરણ કાર્યક્રમ થકી બિન-જંગલની જમીનમાં વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો ઉપાય જ કારગત નીવડે તેમ છે. તેને લીધે જ 1969-70માં ગુજરાત વન વિભાગે "સામાજિક વનીકરણ કાર્યક્રમ” શરૂ કર્યો જેની પાછળનો આશય બિન-જંગલ જમીનમાં વૃક્ષારોપણ કરવાનો હતો. ત્યારથી આ કાર્યક્રમને સતત વધુને વધુ સુદ્રઢ કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામે આ ક્ષેત્રે ગુજરાત એક અગ્રણી રાજ્ય બની ગયું છે.

No comments:

Post a Comment

मनोविज्ञान के 40 रोचक तथ्य

मनोविज्ञान के 40 रोचक तथ्य 1. यदि आप चाहते हो कि कोई आपकी बात ध्यान से सुनें तो बात की शुरूआत इस वाक्य से करो: “ मैं आपको यह बताना तो ...