Friday, 15 July 2016

મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે કોચિંગ

મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે કોચિંગ


  • વિહંગાવલોકન | અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ માટે તાલીમ આપવાની જરૂરિયાતને અનુલક્ષીને અમે તે પ્રકારે તબીબી કોલેજોમાં અનુસૂચિત જનજાતિની બેઠકો ખાલી ન રહે તે માટે ગુજસેટ કોચીંગ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત આદિવાસી વિદ્યાર્થીઓને ગુજસેટ ની તાલીમ આપીને તેમને તબીબી શિક્ષણ માટે પ્રોત્સાહિત કરાશે.
  • ઉદ્દેશ | તબીબી અભ્યાસક્રમની પ્રવેશ પરીક્ષાઓમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે બહેતર તક ઉપલબ્ધ કરવી.
  • પ્રારંભ | ૨૦૧૩-૨૦૧૪
  • ભાગીદાર સંસ્થા | એમટી એડ્યુ કેર (MT એડ્યુકેર)
  • ભૌગોલિક ભૂમિભાગ | ૧૪ આદિવાસી જિલ્લાઓમાં આવેલા ૧૬ કેન્દ્રો
  • અપેક્ષિત લાભાર્થીઓ | તબીબી શિક્ષણમાં પ્રવેશ માટે રસ ધરાવતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
  • પ્રવેશ માટેની પાત્રતા | વિદ્યાર્થીઓને મળવાપાત્ર વિવિધ પ્રકારના પ્રોત્સાહનો અને ભથ્થાંઓમાં ફી, નિભાવ ભથ્થું, ભોજન બીલની ચૂકવણી, પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ માટે આવશ્યક સાધનોની ખરીદી માટે વધારાની રકમ વગેરે.
  • યોજના નીચે મળતા લાભ | માળખાકીય સુવિધાઓનું નિર્માણ, માર્ગોનું બાંધકામ, શૈક્ષણિક સુવિધાઓ, પીવાના પાણીની સુવિધાઓ, આરોગ્ય સુવિધાઓ, કૃષિ વિકાસ, જમીન વિહોણાને જમીનની વહેંચણી, આવક પેદા કરવા માટેની પ્રવૃતિઓ, પરંપરાઓની જાળવણી વગેરે.
  • ૨૦૧૪-૧૫ દરમિયાન મુખ્ય સિધ્ધિ | ૨૦૧૪-૧૫ દરમિયાન, ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે મંજૂર કરવામાં આવેલી ૩૫૪ બેઠકોમાંથી ૩૨૩ બેઠકો(૯૧%) ભરી શકાઈ. આમ આગળના વર્ષમાં આવી માત્ર ૬૦% બેઠકો જ ભરી શકાઈ હતી.

સંલગ્ન સંગઠનો/સંસ્થાઓ

આદિવાસી

કુલ  વસ્તી
89.17 Lacs
કુલ રાજ્ય બજેટ જોગવાઇ
14.75%
આદિવાસી જિલ્લાઓ
14
અનુસૂચિત જનજાતિ
25
આદિમ જુથો
5
સાક્ષરતા
દર
62%
આઈ.ટી.ડી.પી
કચેરીઓ
14

ભારતના બંધારણની કલમ ૨૭૫ (૧) હેઠળ અનુદાન

ભારતના બંધારણની કલમ ૨૭૫ (૧) હેઠળ અનુદાન


દરેક વર્ષે રાજ્યની મહેસૂલી આવકના સંદર્ભે સંસદ કાયદા દ્વારા ઠરાવે તે અનુરુપ ભારતના એકત્રિત ભંડોળમાંથી જેને સહાયની જરૂર હોય તેવાં રાજ્યોને સંસદ નક્કી કરે તે અનુસાર સહાયક ગ્રાન્ટ તરીક ચૂકવાય છે. જુદાં જુદાં રાજ્યો માટે આ રકમ અલગ-અલગ હોઈ શકે છે.
પરંતુ, ભારત સરકારના એકત્રિત ભંડોળમાંથી રાજ્યની મહેસૂલી આવકમાં સહાયક ગ્રાન્ટ તરીકે એવી મૂડીરૂપ કે આવર્તક રકમ ચૂકવાશે જે રકમ તે રાજ્યોને, તે રાજ્યો ભારત સરકારની મંજૂરીથી પોતાના રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓના કલ્યાણને આગળ ધપાવવા માટે અથવા પોતાના રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓની કક્ષા ઊંચી લાવવા માટે અથવા અનુસૂચિત વિસ્તારોમાં વહીવટની કક્ષા રાજ્યના અન્ય વિસ્તારોમાં રહેલી વહીવટની કક્ષાની સમકક્ષ બનાવવાના હેતુથી ઊંચી લાવવા માટે, સહાયક બનવાના હેતુથી ચૂકવવામાં આવશે.
(અ) પરંતુ, બંધારણની અનુસૂચિ ૬ ના ફકરા નં.૨૦ ની સાથે જોડેલા ટેબલના ભાગ-૧ માં નિર્દિષ્ટ કરેલા આદિવાસી વિસ્તારોના વહીવટ સંબંધિત, આ બંધારણનો અમલ શરૂ થયો તેની તરત પહેલાંના બે વરસ દરમિયાન આસામ રાજ્યની અંદર મહેસૂલી આવક કરતાં સરેરાશ ખર્ચ જેટલો વધુ થયો હોય તેની બરાબરના મૂડીખર્ચ અને આવર્તક ખર્ચ જેટલી રકમ ભારતના એકત્રિત ભંડોળમાંથી આસામની મહેસૂલી આવક તરીકે સહાયક ગ્રાન્ટ તરીકે ચૂકવાશે.
(બ) તે રાજ્ય દ્વારા ભારત સરકારની મંજૂરીથી તે રાજ્યના સંબંધિત વિસ્તારોના વહીવટની કક્ષાને ઊંચી લાવી રાજ્યના અન્ય વિસ્તારોના વહીવટની સમકક્ષ બનાવવા માટે વિકાસની જે યોજનાઓ સંબંધિત ખર્ચ થયો હશે તે તમામ ખર્ચ સહાયક ગ્રાન્ટ તરીકે ચૂકવાશે.

(૧-અ) બંધારણની કલમ ૨૪૪-A નીચે સ્વાયત રાજ્યની રચના હાથ ધરાતાં અને તે પછી

જો તે સ્વાયત્ત રાજ્ય તેમાં નિર્દિષ્ટ કરેલ તમામ આદિવાસી વિસ્તારોનું જ બનેલું હોય તો પેટા કલમ(૧)ની બીજા પરંતુકની પેટા કલમ(અ) નીચે ચૂકવવાપાત્ર કોઈપણ રકમ તે સ્વાયત રાજ્યને ચૂકવવી અને જો તે સ્વાયત રાજ્યમાં માત્ર અમુક જ આદિવાસી વિસ્તારોનો સમાવેશ થયેલો હોય તો રાષ્ટ્રપતિ પોતાના હુકમ દ્વારા જે સૂચવે છે તે પ્રમાણે આસામ રાજ્ય અને તે સ્વાયત રાજ્ય વચ્ચે ફાળવવા.
સ્વાયત રાજ્યની મહેસૂલી આવકમાં, તે સ્વાયત રાજ્ય ભારત સરકારની મંજૂરીથી, આસામ રાજ્યના અન્ય વિસ્તારોની સાથે તેના વહીવટની કક્ષા સમકક્ષ બનાવવા માટે, જે યોજનાઓનો અમલ કરે તેના મૂડી ખર્ચ અને આવર્તક ખર્ચ જેટલી પૂરેપૂરી રકમ, સહાયક ગ્રાન્ટ તરીકે ભારતના એકત્રિત ભંડોળમાંથી ચૂકવવી.
પેટા કલમ(૧) નીચે જ્યાં સુધી સંસદ દ્વારા જોગવાઈ કરવામાં ન આવે ત્યાં સુધી, તે પેટા કલમ નીચે સંસદને આપવામાં આવેલી સત્તાનો રાષ્ટ્રપતિ દ્વારા કરાતા હુકમથી ઉપયોગ કરાશે અને આ પેટા કલમ નીચે રાષ્ટ્રપતિ દ્વારા જારી કરાયેલ કોઈપણ હુકમ સંસદ દ્વારા કરાતી કોઈપણ જોગવાઈને આધીન રહીને અમલી બનશે.
પરંતુ જ્યારે નાણાંપંચની રચના કરાશે તે પછી નાણાંપંચની ભલામણની ઉપર વિચારણા કર્યા વિના, આ કલમ નીચે રાષ્ટ્રપતિ કોઈ હુકમ જારી કરશે નહિ.

કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ

કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓ


વિશેષ કેન્દ્રીય સહાય (SCA)

રાજ્યની આદિવાસી પેટા યોજના ઉપરાંત કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય તરફથી રાજ્ય સરકારોને વિશેષ કેન્દ્રીય સહાય (SCA) પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. વિશેષ કેન્દ્રીય સહાયનો હેતુ કૃષિ, બાગાયત, રેશમ ઉદ્યોગ, પશુપાલનનાં ક્ષેત્રોમાં પરિવારલક્ષી આવક ઊભી કરવા અને સહકાર માટેની યોજનાઓ માટે હોય છે.

બંધારણની કલમ ૨૭૫ (૧) હેઠળ અનુદાન

દરેક વર્ષે રાજ્યની મહેસુલી આવકના સંદર્ભે સંસદ કાયદા દ્વારા ઠરાવે તે અનુસાર ભારતના એકત્રિત ભંડોળમાંથી, જેને સહાયની જરૂર હોય તેવાં રાજ્યોને સંસદ નક્કી કરે તે અનુસાર સહાયક ગ્રાન્ટ તરીકે ચૂકવાય છે. જુદાં જુદાં રાજ્યો માટે આ રકમ અલગ-અલગ હોઈ શકે છે.

છત્રરૂપ યોજનાઓ નીચે ગ્રાન્ટ (ગ્રાન્ટસ અંડર અંબ્રેલા સ્કીમ્સ)

છત્રરૂપ યોજનાઓ નીચે ગ્રાન્ટ...

સંરક્ષક-સહ-વિકાસ (CCD) યોજનાઓ

દેશના ૧૭ રાજ્યો અને એક કેન્દ્રશાસિત વિસ્તારમાં પ્રાગ્ કૃષિ ટેકનોલોજીની કક્ષા, સાક્ષરતાનો નીચો દર, ઘટતી જતી અથવા સ્થગિત થઈ ગયેલી આદિવાસી વસતિનો દર વગેરે બાબતોના આધાર પર ૭૫ આદિવાસી સમુદાયોને વિશેષ અસરગ્રસ્ત આદિજાતિ સમુદાયો (PVTGs) તરીકે નક્કી કરવામાં આવેલ છે. આ જૂથોની અસરગ્રસ્તતા (Vulnerability) ધ્યાનમાં લઈને તે સમુદાયોના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજના શરૂ કરવામાં આવી હતી.

ભારત સરકારે ગૌણ જંગલ પેદાશને (MFP) માટે ન્યૂનત્તમ ટેકારૂપ ભાવો (MSP) નક્કી કરેલ છે

ભારત સરકારે ગૌણ જંગલ પેદાશને (MFP) માટે ન્યૂનત્તમ ટેકારૂપ ભાવો (MSP) નક્કી કરેલ છે...

ગુજરાતની આદિજાતિ વસતિ

ગુજરાતની આદિજાતિ વસતિ


ગુજરાતનું અર્થતંત્ર મજબૂત વિશાળ પાયો ધરાવે છે. અને અગિયારમી પંચવર્ષીય યોજનાની રાજ્યની સિધ્ધિ સરાહનીય છે. આની અસર આદિવાસી વિસ્તારો પર પણ પડી છે અને તે વિસ્તારોનો વિકાસ ઝડપી બન્યો છે. અલબત્ત, આ વિકાસગાથામાં કેટલીક નબળાઈઓ પણ રહેલી છે, જેનો ઉપચાર કરવાની જરૂર છે. કેટલાક નવા પડકારો પણ ઝીલવાના રહે છે. આદિવાસી વિસ્તારોના વિકાસનું માપ કાઢવું કંઈક મુશ્કેલ છે. કારણ કે આ વિભાવનાનાં વિવિધ પાસાંઓ જોવાનાં રહે છે.
દેશની આદિવાસી વસતિનો ૮.૧% ભાગ ગુજરાતમાં વસે છે. ગુજરાતમાં આદિવાસીઓની એકંદર વસતિ ૮૯.૧૭ લાખ છે. જે ગુજરાતની કુલ વસતિનો ૧૪.૮% હિસ્સો છે. આદિવાસી વસતિ રાજ્યની પૂર્વપટ્ટીમાં રાજસ્થાનની ઉત્તર સરહદે માઉન્ટ આબુ થી દક્ષિણમાં મહારાષ્ટ્રના દહાણું જિલ્લાને અડીને આવેલા વિસ્તારોમાં વસે છે. આદિજાતિ પેટા યોજના હેઠળનો વિસ્તાર રાજ્યના ભૌગોલિક વિસ્તારનો ૧૮% હિસ્સો રોકે છે. રાજ્યમાં આદિવાસીઓની ૧૧ મુખ્ય જાતિઓ છે, જેમાં ભીલ જાતિની વસતિ સૌથી વધુ છે અને તે રાજ્યની કુલ આદિવાસી વસતિના ૪૭.૮૯% થાય છે. હાલની વસતિ ગણતરી અનુસાર, રાજ્યમાં જે પાંચ અતિ પછાત આદિમ જાતિ સમુદાયો છે તેની વસતિ ૧,૪૪,૫૯૩ છે.

આકૃતિ - ૧ ગુજરાતમાં આદિવાસી વિસ્તારો

ગુજરાતમાં આદિવાસી વિસ્તારો
૨૦૧૧ ની વસતિ ગણતરી અનુસાર અનુસૂચિત જનજાતિઓમાં અસરકારક સાક્ષરતા દર ૬૨.૫% હતો. જે ૨૦૦૧ ની તુલનાએ ૧૪.૮% વધારે હતો. વળી, મહિલા સાક્ષરતા દરમાં તો ખૂબ જ પ્રભાવક સુધારો જોવા મળ્યો, જે ૨૦૦૧ ની તુલનાએ ૧૭.૨% વધુ હતો. ખૂબ જ ટૂંકા સમયગાળામાં સાક્ષરતા દર વચ્ચે જે ખાઈ ૨૧% હતી તે ઘટીને ૧૫% થઈ.

આકૃતિ - ૨ રાજ્યની અન્ય વસતિની સરખામણીમાં અનુસૂચિત જનજાતિમાં સાક્ષરતા દર

રાજ્યની અન્ય વસતિની સરખામણીમાં અનુસૂચિત જનજાતિમાં સાક્ષરતા દર

સંસ્કૃતિ અને ઉત્સવ

સંસ્કૃતિ અને ઉત્સવ


ભાંગુરિયા

  • મહિનો | માર્ચ
  • સ્થળ | કવાંટ - છોટાઉદેપુર, વડોદરા
  • વર્ણન | આ તહેવારની ઉજવણી હોળી પૂર્વે રાઠવા જનજાતિ દ્રારા કરવામાં આવે છે. મુખ્યત્વે આ સંગીતમય ઢબે થતી ઉજવણી છે. જેમાં રાઠવા જાતિનાં પુરુષો અને સ્ત્રીઓ ગામના મધ્યભાગમાં રંગીન વસ્ત્રો પહેરીને, હાથમાં સંગીતનાં સાધનો લઈને નાચતાં-કૂદતાં ગીતો ગાય છે.
 

ઘેરનો મેળો

  • મહિનો | માર્ચ
  • સ્થળ | ક્વાંટ - છોટાઉદેપુર, રૂમાડિયા વડોદરા
  • વર્ણન | આ તહેવારની ઉજવણી રાઠવા જાતિના લોકો દ્રારા હોળીના બીજા દિવસે (ધુળેટીના દિવસે) કરવામાં આવે છે. રાઠવા જાતિના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ રંગનો આ તહેવાર ઉજવે છે.
 

ચૂલનો મેળો

  • મહિનો | માર્ચ
  • સ્થળ | કવાંટ - છોટાઉદેપુર, વડોદરા
  • વર્ણન | આ તહેવાર હોળી - ધૂળેટી પછીના દિવસે ઉજવાય છે. રાઠવા જાતિના લોકો આ દિવસે પ્રગટાવેલા અગ્નિ ઉપર ખુલ્લા પગે ચાલે છે. આ ખૂબ રસપ્રદ અને ધ્યાનાકર્ષક મેળો છે.
 

ગોળ - ગધેડાનો મેળો

  • મહિનો | માર્ચ
  • સ્થળ | દાહોદ, દાહોદ જિલ્લો
  • વર્ણન | આ વિસ્તારના ભીલ જાતિના યુવક-યુવતીઓ માટે આ જાણે કે જીવનસાથી પસંદ કરવા માટેનો ઉત્તેજનાપૂર્ણ ઉત્સવ છે.
 

ગોળ-ઘોડીનો મેળો

  • મહિનો | માર્ચ
  • સ્થળ | વાંસકુઈ / મહુવા, સુરત
  • વર્ણન | આ મેળામાં હળપતિ, કુંકણા અને ગામિત જાતિના લોકો ત્યાં ભરાતા સાપ્તાહિક હાટમાં પૂજા માટેનાં ઉપયોગી માટીનાં વાસણો ખરીદવા એકત્ર થાય છે.
 

ચિત્ર - વિચિત્રનો મેળો

  • મહિનો | માર્ચ, હોળી પછી એક પખવાડિયામાં
  • સ્થળ | ગુણભાખરી, સાબરકાંઠા
  • વર્ણન | રાજ્યમાં યોજાતો આ આદિવાસી લોકોનો એક ખૂબ મોટો મેળો છે. જેમાં આ વિસ્તારના ભીલ અને ગરાસિયા જનજાતિના લોકો ભાગ લે છે. અહીં સાબરમતી, આકુળ અને વ્યાકુળ એમ ત્રણ નદીના સંગમ પાસે એક વિશાળ મંદિર આવેલું છે. આ મેળો આ જનજાતિના પૂર્વજોને યાદ કરી તેમની પૂજા કરવા માટે યોજાય છે. આ આદિવાસી સમુદાયમાં સ્ત્રી-પુરૂષો રંગીન વસ્ત્રો અને ચાંદીના ઘરેણાં પહેરી ઢોલના નાદે નૃત્ય કરે છે.
 

અખાત્રીજનો મેળો

  • મહિનો | માર્ચ
  • સ્થળ | અંબાજી, બનાસકાંઠા
  • વર્ણન | ભીલ ગરાસિયા જાતિ દ્વારા ઉજવાય છે. સ્ત્રીઓ માથે ઘાસમાંથી ગૂંથેલી ટોપલીઓ સાથે નૃત્ય કરે છે અને પુરૂષો ઢોલના નાદે તેમને સાથ આપે છે.
 

Kaliya Bhoot no Melo

  • મહિનો | March
  • સ્થળ | Ambaji, Banaskantha
  • વર્ણન | A dance festival of witchcraft celebrated by Bhil Garasias. Hand-made terracotta sculptures are worshipped amid dancing and drumbeats.
 

ડાંગ દરબાર

  • મહિનો | માર્ચ - હોળીના થોડાક દિવસ પહેલાં
  • સ્થળ | આહવા - ડાંગ
  • વર્ણન | આ ડાંગ દરબાર ભરવાની શરૂઆત તો બ્રિટીશ અમલ દરમિયાન થયેલી, જેમાં આજુબાજુના દરબારો કે રજવાડાઓના રાજવીઓનો દરબાર ભરાતો. આઝાદી પછી આ તહેવારની ઉજવણી ચાલુ રખાઈ છે અને ડાંગના માજી રાજવીઓના વારસદારો તથા જિલ્લાના આદિવાસી લોકો તેમાં ઉત્સાહથી ભાગ લે છે. જિલ્લા કલેક્ટર આ દરબારના પ્રમુખસ્થાને હોય છે. ઉજવણી માટે જિલ્લાના દૂર-દૂરના આદિવાસીઓ આવે છે અને નૃત્ય - સંગીત સાથે ઉજવણીનો માહોલ રચાય છે.
 

દશેરાનો મેળો

  • મહિનો | ઓક્ટોબર
  • સ્થળ | છોટાઉદેપુર, વડોદરા
  • વર્ણન | આ ઉત્સવ અહીંની રાઠવા જાતિના લોકો ઉજવે છે. રંગીન વસ્ત્રો અને દાગીના પહેરેલાં પુરુષો અને સ્ત્રીઓ જુદાં જુદાં જૂથમાં નૃત્યનો આનંદ માણે છે.
 

નાગધરાનો મેળો

  • મહિનો | નવેમ્બર
  • સ્થળ | શામળાજી, સાબરકાંઠા
  • વર્ણન | ગુજરાતના ભીલ કે ગરાસિયા જાતિના લોકો તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી લોકો મોટા સમૂહમાં ભેગા થાય છે અને પૂજા / પ્રાર્થના કરે છે.

આદિજાતી વિકાસ વિભાગ (TDD) વિશે તથ્યો

આદિજાતી વિકાસ વિભાગ (TDD) વિશે તથ્યો


રાજ્ય સરકારે અનુસૂચિત જનજાતિઓના નિવાસી વિસ્તારો ના લક્ષિત વિકાસ માટે સક્રિયપણે આયોજન હાથ ધર્યુ છે. અનુસૂચિત જનજાતિઓ માટે સરકારની દરમિયાનગીરી માટેના લાંબા ગાળાના લક્ષ્યો છે.શિક્ષણ,આરોગ્ય સંભાળ અને આવક પેદા થાય તેવી બાબતોમાં આદિજાતીઓની પહોંચ વધે તે સુનિશ્ર્ચિત કરવુ. અને તે પ્રકારે તેમના જીવનધોરણમાં સુધારો લાવવો.
આદિજાતિ વિકાસ વિભાગ(TDD)ની રચના સામાજીક ન્યાય અને અધિકારીકતા વિભાગની એક પાંખ તરીકે કરવામા આવી હતી પરંતુ હવે તે સ્વતંત્ર પણે કાર્યરત છે

આદિજાતી વિકાસ વિભાગના કાર્યોમા નીચેના સમાવેશ થાય છે :
  • અનુસૂચિત જનજાતીઓનો વિકાસ
  • સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના (ITDP)વિસ્તારનો વિકાસ.
  • આદિવાસી પેટા યોજના (TSP) પર દેખરેખ .
  • અનુસૂચિત જનજાતિઓ ઉપર થતા અત્યચારો રોકવા.
  • જ્ઞાતિ સંબંધિત મુદ્દાઓ પરત્વે કામ કરવુ.
સામાજીક ન્યાય અને અધિકારીકતા વિભાગ નોકરીમા અનામત, આશ્રમ શાળાઓ સંબંધિત નીતી-નિર્ધારણ તેમજ વિચરતી જાતિઓ સંબંધિત મુદ્દાઓનુ કાર્ય હાથ ધરે છે. આદિજાતી વિસ્તારોનો વિકાસ કરવાની જવાબદારી કાર્યરત વિભાગોને સુપરત કરવામા આવી છે. જ્યારે આદિજાતી વસતિના હકો અને લાભો ની સંભાળ લેવાનુ કાર્ય મુખ્યત્વે આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક રહેલુ છે.

આદિજાતિ વિસ્તાર પેટા યોજના

આદિજાતિ વિસ્તાર પેટા યોજના


દેશમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના(TASP) ની વિભાવનાનો પ્રારંભ ૧૯૭૪ માં થયો. તેનો ઉદ્દેશ દેશની અનુસૂચિત જનજાતિની વસતિના પ્રમાણમાં નાણાકીય ફાળવણી ઉપલબ્ધ કરવાનો હતો. આને કારણે આદિવાસીનાં જીવનના લગભગ તમામ પાસાંઓને આવરી લેતી વિવિધ યોજનાઓ મોટી સંખ્યામાં શરૂ થઈ. આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળનું ભંડોળ અન્યત્ર વાળી શકાતું નથી, અને તેની ફાળવણી સીધી જે-તે રાજ્યના આદિવાસી વિકાસ વિભાગને હસ્તક જ કરવામાં આવે છે. આ વિભાગોને આદિવાસી પેટા યોજના હેઠળના ભંડોળ સંબંધિત યોજનાઓ ઘડવાની તેમજ અંદાજપત્રીય સત્તાઓ પણ આપવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓની વસતિ ૧૪.૮ ટકા છે અને ત્યાં પણ તે વસતિના પ્રમાણમાં જ અંદાજપત્રની ફાળવણી અંકિત કરવામાં આવે છે. તાજેતરના સમયગાળામાં અનેક પ્રકારની નવી દરમિયાનગીરીઓ વિકસાવવામાં આવી છે અને તેને કારણે વિકાસ સૂચકાંકોમાં જે નબળી કડીઓ છે તે સુધારવામાં અને દૂર-સદૂરના આદિવાસી વિસ્તારોમાં સારી ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં સહાય મળી છે.

વનબંધુ કલ્યાણ યોજના – કેન્દ્રીય ક્ષેત્રની યોજના

વનબંધુ કલ્યાણ યોજના – કેન્દ્રીય ક્ષેત્રની યોજના


કેન્દ્રીય ક્ષેત્રની યોજના વનબંધુ કલ્યાણ યોજના (VKY-CSS)ની મહત્વકાંક્ષી પહેલ એક સંકલિત સાર્વત્રિક અને સંપૂર્ણ સમાવેશક કાર્યક્રમ છે. તેમાં વિકાસ માટેનાં ૧૩ કેન્દ્રબિંદુઓ છે. અનુસૂચિ V હેઠળનાં ભારતભરનાં દસ રાજ્યોમાં પ્રત્યેક રાજ્યના એક-એક તાલુકામાં પ્રાયોગિક ધોરણે મિશન-મોડ પધ્ધતિથી આ યોજના વર્ષ ૨૦૧૪-૧૫ માં શરૂ કરવામાં આવી હતી. તેનો અમલ ભારત સરકારનું આદિજાતિ બાબતોનું મંત્રાલય કરે છે. એક નવી પહેલ તરીકે ભારત સરકારે ચાલુ વરસમાં આ યોજના અંતર્ગત રૂપિયા ૧૦૦ કરોડની ફાળવણી કરી છે. આ યોજના મુખ્યત્વે અનુસૂચિત જનજાતિઓ અને સમાજના અન્ય સામાજિક જૂથો વચ્ચે માળખાકીય સુવિધાઓ અને માનવ વિકાસ સૂચાંકો (HDI) માં જે અંતર રહેલું છે તે પૂરવા માટે સેતુ બનવા ઉપર ઝોક ધરાવે છે.
"તેનો ઉદ્દેશ આદિવાસી લોકોના જરૂરિયાત આધારિત અને પરિણામલક્ષી સર્વતોમુખી વિકાસ માટે પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ કરવાનો છે."

આકૃતિ ૩૫ વનબંધુ કલ્યાણ યોજના - કેન્દ્ર પુરસ્કૃત યોજના (VKY-CSS) નાં કેન્દ્રવર્તી ક્ષેત્રો

કેન્દ્ર પુરસ્કૃત યોજના
શરૂઆતમાં તો જો તાલુકામાં તાલુકાની કુલ વસતિના ઓછામાં ઓછા ૩૩% લોકો આદિવાસી જાતિના હોય તે જ તાલુકાઓને લક્ષિત બનાવાયા હતા. વળી, તાલુકાની પસંદગી જે તાલુકાની આદિવાસી વસતિમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોય તે માપદંડનો આધાર લેવામાં આવતો હતો.
તદનુસાર ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાનો છોટાઉદેપુર તાલુકો પસંદ કરવામાં આવ્યો. આમ કેન્દ્ર પુરસ્કૃત યોજના - વનબંધુ કલ્યાણ યોજનાના પ્રાયોગિક અમલ માટે પસંદ કરવામાં આવેલ છોટાઉદેપુર તાલુકામાં કુલ ૧૪૪ ગામ અને ૪૪ ગ્રામ પંચાયતો આવેલી છે. ૨૦૧૪-૧૫ માં આ નવી યોજનાનો અમલ શરૂ થતાં આ તાલુકામાં આદિવાસી વિકાસની વિવિધ પ્રવૃતિઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

આદિવાસી વિકાસ માટેના મુખ્યમંત્રીશ્રીના દસ મુદ્દાના કાર્યક્રમ તરીકે જાણીતી વનબંધુ કલ્યાણ યોજના (vky)નો અમલ ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૭ ના દિવસથી એક વિશિષ્ટ મિશન તરીકે શરૂ કરવામાં આવ્યો. આદિજાતિ સમુદાયોના સંકલિત, સર્વાંગી અને સર્વ સમાવેશક વિકાસ માટે પ્રેરિત આ કાર્યક્રમના દસ મુદ્દા આ પ્રમાણે છેઃ આકૃતિ-૧ : મુખ્યમંત્રીશ્રીનો ૧૦ મુદ્દાનો કાર્યક્રમ

મુખ્યમંત્રીશ્રીનો ૧૦ મુદ્દાનો કાર્યક્રમ

વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬

પરિચય


વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ એ ભારત સરકારના આદિજાતિ મંત્રાલયે બનાવેલો કાનૂન છે અને ગુજરાત રાજયમાં તેનો અમલ થઈ રહ્યો છે. આ કાયદાની જોગવાઈ અંતર્ગત અનુસૂચિત જનજાતિઓના તથા અન્ય વનવાસીઓના પરંપરાગત રહેણાંકીય, સામાજિક, આર્થિક આજીવિક વિષયક અધિકારોની નોંધણી કરી તેવા અધિકારો તેમને એનાયત કરવામાં આવે છે. જંગલ અધિકાર અધિનિયમ, ૨૦૦૬ ની જોગવાઈઓ અંતર્ગત વ્યકિતગત, સામુદાયિક અને માળખાગત સુવિધાઓ સંબંધિત હક્કોની બાબત આવરી લેવાઈ છે.
કાયદો ઘડાયા પછીનાં વરસોમાં ભારત સરકારે કાયદાનું જાહેરનામું પ્રસિધ્ધ કરી તેની નીચે ક્રમાનુસાર નિયમો અને માર્ગદર્શિકાઓ જારી કરી છે. આ માર્ગદર્શિકા અનુસાર તેમજ સુધારેલા નિયમો અનુસાર,

मनोविज्ञान के 40 रोचक तथ्य

मनोविज्ञान के 40 रोचक तथ्य 1. यदि आप चाहते हो कि कोई आपकी बात ध्यान से सुनें तो बात की शुरूआत इस वाक्य से करो: “ मैं आपको यह बताना तो ...