Tuesday, 27 September 2016

પરીચય

પરીચય

Overviewગુજરાતનો કુલ ભૌગોલિક વિસ્તાર 196024 ચો.કીમી છે, જે પૈકી 18961.69 ચો.કીમી.(9.67%) વિસ્તારને વન વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ગરમીથી તપતા ક્ષારયુક્ત રેતીના રણથી માંડીને ભેજયુક્ત પર્વતીય વિસ્તાર, દરિયાથી માંડીને ઉચા ઉંચા પહાડો સહિત ભૌગોલિક અને ઇકો-ક્લાઈમેટિક પરિસ્થિતિનુ વૈવિધ્ય જોવા મળે છે, જેના પરિણામે વિવિધ પ્રકારના જંગલોનું નિર્માણ થયું છે. આ પરિબળોને કારણે જ રાજ્યને કુદરતી સંપદા અને સૌંદર્યનો લખલૂંટ અને અમૂલ્ય વારસો ભેટમાં મળ્યો છે. બહુવિધ પ્રજાતિની વનસ્પતિઓનું વૈવિધ્ય, વસાહતો અને જીવસૃષ્ટિથી ગુજરાત હર્યુંભર્યુ છે. દેશની 13% જેટલી બહુવિધ પ્રજાતિની વનસ્પતિઓનું વૈવિધ્ય એકલા ગુજરાતમાં જ છે. સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહો અને જંગલી ગધેડા(ઘુડખર)ની વસતી માત્ર ગુજરાતમાં જ છે. દેશની કુલ જીવસૃષ્ટિ પૈકી પ્રાણીઓની જૈવવૈવિધ્યતાની દ્રષ્ટીએ 14% માછલીઓ, 18% સિરસૃપો, 37% પક્ષીસૃષ્ટિ 25% સસ્તન પ્રાણીઓની વસતી એકલા ગુજરાતમાં જ છે. ગુજરાતના વન વિભાગની પ્રમુખ અને મુખ્ય જવાબદારી વન્યજીવન અને વન વિસ્તારના રક્ષણ, સંરક્ષણ અને વિકાસ કરવાની છે.

No comments:

Post a Comment

मनोविज्ञान के 40 रोचक तथ्य

मनोविज्ञान के 40 रोचक तथ्य 1. यदि आप चाहते हो कि कोई आपकी बात ध्यान से सुनें तो बात की शुरूआत इस वाक्य से करो: “ मैं आपको यह बताना तो ...